Friday, February 26, 2016

સ્વામિનારાયણના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - ( ૭ )

લોકલ સીટી કાઉન્સીલના અધિનિયમ કરતા આ મંદિરના સ્ટ્રક્ચરની ઉંચાઈ વધુ હોવાના વિવાદના કારણે આ મંદિરનું નિર્માણ અટકી પડેલ. તદ ઉપરાંત કેટલાક સ્થાનિક લોકોએ પણ અવાજ પ્રદુષણ અને ટ્રાફિક જામ થવાની દહેશત જણાવી વિરોધ કરેલ. ૭ વરસ સુધી ચાલેલ કોર્ટ કેસના અંતે આખરે સીટી કાઉન્સીલે તેના ઉંચાઈ અધિનિયમન ધારામાં  આ મંદિર માટે ખાસ છૂટ-છાટ આપી અને ડીસેમ્બર ૨૦૧૨માં આ મંદિર ભવ્ય ધામધૂમ પૂર્વક લોકાર્પણ કરાયું.


૭  વરસ સુધી આ મંદિરના  નિર્માણ માટે અથાગ પરિશ્રમ અને સંઘર્ષ કરનાર પૂજ્ય સર્વદર્શન સ્વામીએ 
સીયાતલ સત્સંગ મંડળને જણાવેલ બે રસમય વાતો :- 

(૧)   દિલ્હી અક્ષરધામ જેમના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ તે સંતને સ્વામીબાપાએ ન્યુજર્સીમાં બની 
રહેલ અક્ષરધામના માર્ગદર્શન માટે અમેરિકા મોકલ્યા. તે સંત જયારે લોસ એન્જલસના આ મંદિર ની
મુલાકાતે આવ્યા ત્યારે તેમણે અહીના સર્વદર્શન સ્વામીને અહીની સ્થાનિક એક અમેરિકન કંપનીની 
મુલાકાતનું આયોજન કરવા કહ્યું. આ કંપની દુનિયાભરમાં વિશિષ્ટ પ્રકારના ફુવારા (Fountain) બનાવે છે,
અને વરસમાં ફક્ત એક કે બેજ પ્રોજેક્ટ અબજો ડોલર્સની કિંમતના હાથમાં લે છે. દિલ્હીથી આવેલ સંતને  
આ માહિતી ઈન્ટરનેટ ઉપરથી મળેલ. બંને સંતોને આ વિષયમાં રસ એટલે નિર્ધારિત દિવસે તેઓ ફુવારા 
બનાવતી આ સ્થાનીક ફેકટરીમાં પહોંચી ગયા.

નસીબ જોગે તે ફેક્ટરીનો માલિક  ત્યાં હાજર હતો અને તેણે ઔપચારીક રીતે તેનું ધંધાદારી કાર્ડ (Visiting
Card) આપ્યું. સંતો પાસે તો આવા કાર્ડ હોય નહિ એટલે તેમણે સ્વમુખે તેમનો પરિચય અને મંદિર નો ટેલીફોન નંબર આપી ક્યારેક મંદિરે આવવાનું આમંત્રણ આપ્યું અને મુલાકાત પૂરી થઇ. બે એક અઠવાડિયા પછી આ અમેરકન નો ફોન આવ્યો કે હું તમારા એરીયામાંથી પસાર થઇ રહ્મો છં અને મારી પાસે સમય નથી, પણ ૧૫ મીનીટની ઉડતી મુલાકાતે આવું તો ચાલશે ?  જવાબમાં સર્વદર્શન સ્વામીએ કહ્યું ભલે ખુશીથી અમારે મંદિરે પધારો.

ત્યાં આવ્યા પછી મંદિર ની હવેલી અને ભવ્યતા જોઈ તે એટલો બધો પ્રભાવિત થયો કે તેણે તેની ધંધાકીય મુલાકાત કે જે કાર્ય માટે તે  ઘરે થી નીકળ્યો હતો તે ફોન કરીને કેન્સલ કરી. લગભગ 3 કલાક સુધી બારીક નીરીક્ષણ કર્યું અને સંતો જોડે મિત્ર ભાવે અમુક ચર્ચા કરી અને મંદિરની ઓફીસમાં ચા-પાણી-નાસ્તો પણ
કર્યો. વિદાય થતી વેળાએ કહે તમારા આ ભવ્ય મંદિર માટે હું એક ભવ્ય ફુવારાનું નિર્માણ મારા પોતાને
ખર્ચે બનાવી આપવાનો નિર્ધાર મેં કરી લીધો છે.

(૨)  એક વખત એક અજણ્યા સ્થાનિક ધોળીયાની કાર અચાનક જ મંદિરમાં આવી ઉભી રહી. કારમાંથી
નીચે ઉતારી આશ્ચર્ય અને વિસ્મય નજરે તે મુખ્ય મંદિરને જોવા લાગ્યો. તે દરમ્યાન સર્વ દર્શન સ્વામી
ત્યાંથી પસાર થયા એટલે તેમની પાસે આવી સીધો સવાલ કર્યો -  "નવી બનેલી તમારી આ ઈમારતમાં તમે શું કોઈ લોહીચુંબક (MAGNET) નો કોઈ પણ હેતુ માટે વપરાશ કર્યો છે કે ?  સ્વામી કહે અમારું આ મંદિર
પણ પત્થર અને સિમેન્ટ-ચુનાથી બનેલું છે. અને અમારા બીજા બધાજ મંદિરોની માફક લોખંડનો બિલકુલ
વપરાશ કરેલ નથી.

ધોળીયાએ તેની વાત આગળ ચલાવી. "હું એક અગત્યની ધંધાકીય મીટીંગ માટે હાઈ-વે ઉપરથી મારી આ કારમાં પસાર થઇ રહ્યો હતો. અચાનક મારી નજર તમારી  આ નવી ઈમારતના શિખર ઉપર પડી અને
મનમાં કુતુહલતા જાગી કે આ નવી ઈમારત શું અને કોની છે ? એટલે આ જ રસ્તે પાછા ફરતી વખતે આ
ઈમારતની મુલાકાત લેવાનું મેં વિચાર્યું. બરાબર તેજ ઘડીએ કોઈ પાવરફુલ મેગ્નેટ મારી કારને ખેંચતી
હોય તેવી મને અનુભૂતિ થઇ. એટલુજ નહિ મારી કારની ગતિ અવરોધાવા લાગી. એટલે મેં અકળાઈને
હાઈ-વે છોડી જે પહેલી એકજીટ મળી તે તરફ મારી કારને ઘુમાવી અને હું અહિયાં પહોંચી ગયો"

પછી તો મારી મીટીંગનો સમય હું ચુકી ગયો એટલે માફી માંગી ધંધાકીય મીટીંગ મેં કેન્સલ કરી. ત્યારબાદ
તેણે મંદિરનું બારીક અવલોકન કર્યું એટલુજ નહિ પણ સર્વ દર્શન સ્વામી સાથે મંદિરની અંદર પ્રવેશી
મૂર્તિના દર્શન પણ કર્યા. અને અદભૂત -અદભૂત ના ઉદ્ગારો સાથે ભાવ વિભોર થઇ વિદાય લીધી.