Saturday, November 25, 2017

મિત્રો, વ્હોટસ એપ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા સત્યતા ચકાશો






હું માનું છું કે હાલ ઇન્ડીયામાં બી.જે.પી ના ઉદય સાથે જે લોકો ને હિન્દુઇઝમ ના પુનરસ્થાપન વિષે ની દહેશત છે અને કોંગ્રેસ ની બિન-સામપ્રદાયિકતા નું જતન કરવું છે તેવા કોઈ બુદ્ધિજીવી એ ચાણક્ય ના નામે આ ગતકડું વ્હોટસ એપ ઉપર ગબડાવ્યું છે.


હું ૧૭ વરસ થી બી.એ.પી.એસ. સાથે સંકળાયેલ છું. અને જગતવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા એક દસક માં દુનિયાભર માં ભવ્યાતી ભવ્ય વિશાળ મંદિરો બનાવ્યા છે. અને પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે તેમ આ મંદિરો હકીકત માં બ્રહ્મવિદ્યા ની વિશ્વ વિદ્યાપીઠો છે. મારી જિંદગી માં સ્કુલ-કોલેજો દ્વારા મેં મેળવેલ જ્ઞાન દ્વારા હું ફક્ત ધન ઉપાર્જિત કરી શક્યો. પણ મેં પ્રાપ્ત કરેલ ધન દ્વારા મારી, મારા કુટુંબીજનો અને મારા સમાજ ની સુખાકારી માટે મારે કેવી જીવન શૈલ અપનાવવી તે જાણકારી તો મને મંદિરો દ્વારા મળતી બ્રહ્મવિદ્યા દ્વારા મળી.


મિત્રો હકીકત મા તો બી.એ.પી.એસ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય મંદિરો દ્વારા વ્યસનમુક્તિ, સેવા પરાયણતા, અને સંસ્કારી સમાજ નિર્માણ થી આઝાદી પછી બિન-સાંપ્રદાયીકતા ના અંચળા હેઠળ દબાઈ ગયેલ ભારત દેશ ઉન્નતી ના માર્ગે આગળ વધી રહ્યો છે.


પ્રસ્તુત છે આપણા વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું આ વિષે પ્રવર્ચન :-

                                   

દુનિયા ની કોઈપણ મહાવિદ્યાલય માં શીખવવામાં આવતા અભ્યાસ, ત્યાના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ના જ્ઞાન અને જીવન શૈલી ની તુલના બી.એ.પી.એસ. ના સારંગપુર મંદિર ખાતે બ્રહમવિદ્યા શીખવતા અને શીખતા સાધુ જોડે દુનિયા નો કોઈ પણ સ્કોલર નોંધ લઈને રીપોર્ટ તૈયાર કરે તો સારંગપુર મંદિર ની બ્રહ્મવિદ્યા ની વિદ્યાપીઠ બેશક પહેલો નંબર પ્રાપ્ત કરશે.


અથવા તો  ગાંધીનગર, દિલ્હી અને રોબીન્સવિલા-અમેરિકા ના ભવ્ય અક્ષરધામ ખાતે ની મુલાકાતી ઓ ની નોંધ પોથી માં દુનિયાભર ના મહાનુભાવો એ ટપકાવેલ અભિપ્રાય વાંચશો તો આવા મંદિરો ની આજે કેટલી બધી જરૂરત છે તે સમજાશે.


આપ જો મારા આ મંતવ્ય સાથે સહમત હો તો આ પોસ્ટ ને વધુમાં વધુ લોકો સુધી પહોચાડશો અને નીચે ના ચિત્ર માં દર્શાવેલ લોકો થી સાવધાની કેળવશો.











Friday, November 24, 2017

ભારત ના વડા પ્રધાન પદ નો તાજ આકર્ષક કે કાંટાળો ?

જન સંખ્યા પ્રમાણે નીચે નકશા માં બતાવેલ ૨૦ દેશો = આપણો ભારત દેશ 

       મતલબ કે ભારતના વડા પ્રધાન ને ઉપર દર્શાવેલ ૨૦ દેશો ની   આબાદી જેટલા માણસો ની સુખાકારી સંભાળી ખુશ રાખવાના

--- સાલું જબરું ખાતું છે મોદી સાહેબ નું --- 

1. આખા દેશ નો વહીવટ કરવાનો.

2. દરેક રાજ્ય મા ચૂંટણી ની રેલીઓ ચાલુ હોય

3. વિદેશ પ્રવાસ ચાલુ જ હોય 

4. રોજ નવા મુદ્દા પર ....લોકસભા અને વિધાન સભામાં રણનીતી નક્કી કરવાની.

5. બજેટની માથાકૂટ હોય 

6. દરેક રાજ્યના રિપોર્ટ 

7. આંતરીક વિરોધ , પક્ષની અંદરનો વિરોધ....... બઘા પર કાબુ રાખવાનો.

8. સરકારી અઘિકારી, વિચિત્ર નેતાઓ અને પોલીસ ખાતા.... પર કાબૂ રાખી કામ કરાવાનું.

9. સુપ્રીમ કે હાઈકોર્ટનું લફડુ ચાલુ જ પડયુ હોય ....અને ..

10. પેલો કેજરીવાલ અને રાહુલ... ...રોજ સામે ઊભાં ને ઊભા જ હોય.... તોય મોદી સાહેબ ક્યારેય... - મગજ નથી બગાડતા, 

- બીમાર પડી ને રજા નથી લેતા ,... કે.. કોઈ કામ બીજા ને નથી સોંપતા.

...રોજ નવા ... સેટીંગ કરવાના, યોગ હોય કે - વાઈબ્રન્ટ રેલી હોય કે - રેડિયો, પેપર હોય કે ટીવી...


* રાહુલ વારંવાર વેકેશન પર


* સોનિયા વારંવાર અમેરીકન હોસ્પિટલ


*  લાલુ વારંવાર જેલ


*  365 દિવસ નોન સ્ટોપ મોદી સાહેબ... 🙏.. ઊભા ને ઊભા જ હોય.. 🙏 

  

✋ ગમે એટલો મોટો વિરોધી હશે...... એને પણ એ માનવું તો પડશે જ કે...

       ગજબ ની શક્તિ મોદી પાસે છે


જરા સોચો તમને કે મને નિસ્વાર્થ ભાવે આવી ફર્જ બજાવવાનું કહેવામાં આવે તો પહેલા તો આપણી પાસે આટલો ભોગ આપવાની તૈયારી અને બીજું શક્તિ છે ???????????? 


તમારી આજુ બાજુ સગા વહાલા મિત્ર મંડળમાં આવી દેશ દાઝ વાળો કોઈ દેશભક્ત તમોને દેખાય છે કે???????  

  

### જવાબ જો "ના" હોય તો ### 

એમના કુશળ સ્વાસ્થ્ય અને શક્તિ માટે ભગવાન ને નિત્ય પ્રાર્થના કરજો અને આ મેસેજ ને વધુ માં વધુ લોકો સુધી પહોચાડવા પ્રયત્ન કરજો. યાદ રાખો પ્રાર્થના માં અજબ ની શક્તિ અને સામર્થ્ય રહેલું છે. 

(બચ્ચનજી ને જયારે કુલી ના શુટિંગ વખતે ગંભીર ઈજા થઇ હતી ત્યારે તેમના ચાહકો ની પ્રાર્થના ના બળે તેમને નવજીવન પ્રાપ્ત થયેલ.)





Wednesday, November 22, 2017

અમેરિકા માં આજે ઉજવાઈ રહેલ "થેન્ક્સ ગીવીંગ ડે" ની ઉજવણી મારી રીતે

       આજે ગુરુવાર અને ૨૩ નવેમ્બર ૨૦૧૭ ના દિને અમેરિકામાં થેન્ક્સ ગીવીંગ ડે ની ઉજવણી થઇ રહી છે.  ત્યારે મારા માટે આજનો દિવસ એટલે મારી આ જીવન યાત્રા ને સફળ અને સુખદાયી બનાવવામાં જે જે લોકો એ મહત્વ ની ભૂમિકા ભજવી છે, તેમને યાદ કરવાનો દિવસ-ઋણ સ્વીકાર નો દિવસ -મનોમન વંદન કરવાનો દિવસ અને મારા હ્રદય ના ભાવો આ બ્લોગ પોસ્ટ ઉપર શબ્દ સ્વરૂપે વ્યક્ત કરવાનો દિવસ. 




સુરેન્દ્રનગર ના સ્વામિનારાયણ મંદિર ની માલિકી ની જગામાં બીજા ભાડુતોની સાથે બે રૂમ નું રહેણાંક ભાડે રાખી પત્ની તેજબાઈ જોડે સંસાર માંડ્યો. મારું તે સારું મૂકી જગત માં જે સારું તે મારું સમજી સ્થાનકવાસી જૈન ધર્મ ત્યજી મુળી સ્વામિનારાયણ મંદિર ના અતિ ત્યાગી  અને તપસ્વી સાધુ ગોપીવલ્લભદાસ ના હસ્તે વર્તમાન ધારણ કરી, તિલક ચાંદલો, પૂજા પાઠ, વ્રત જપ પરાયણ જીવન જીવીને અમોને વારસા માં સ્વામિનારાયણ સંપ્રદાય અને અમોને એક આદર્શ જીવન શૈલીની રીત શીખવી જવા બદલ આપને કોટી કોટી વંદન. 





આજે આપની ચીર વિદાય ના ત્રણ દશક પછી પણ હું મારી આંખો બંધ કરું છું અને સ્પષ્ટ નિહાળું છું; નિત્ય સવારે પિતાશ્રીના દુકાન પ્રયાણ પછી તુરંત કબાટ માંથી સુંદર ફૂલો ની છાપ વાળો નવો સાડલો પરિધાન કરી કપાળે કંકુ નો મોટો ચાંદલો કરી તમારું મંદિર તરફ પ્રયાણ. હા આજે પણ હું સ્પષ્ટ જોઉં છું મંદિરમાં લાકડાની ઘોડી ઉપર વચનામૃત નું પુસ્તક મૂકી કેટલીક સાંખ્યયોગી અને બીજી બહેનો સમક્ષ તમે વાંચન કરતા તે દ્રશ્ય. સંધ્યા સમયે ઠાકોરજી ની આરતી ઉતારી, દૂધ ધરી અને પછી ભક્તચિંતામણી અને હરિ લીલામૃત નું ગાન કરતો તમારો અવાજ હજી પણ મારા કાનો માં ગુંજે છે.


યાદ છે મને ફાનસના અજવાળે માટીના ચુલા ઉપર તાવડી મૂકી અમારા માટે બાજરી ના ગરમ ગરમ રોટલા શેકતાનું અને રાત્રીના પાટલા ઉપર બેસી ગરમ ગરમ ખીચડી દૂધ જમતા મારા પિતાશ્રી ને તમો હાથ પંખો વીંઝતા નું દ્રશ્ય. બહેન પાસે પાટલા ઉપર ફાફડા ગાંઠિયા ઘસાવી પ્રાયમસ ઉપર તેલ ના તવા માં તમો તળી અમારા માટે મોટો ડબો ભરતા નું દ્રશ્ય. ઘરના સૌ સભ્યો ને સ્નાન અને ૫ માળા કર્યા પછી જ ચા-નાસ્તો અને અગિયારસ ને દિવસે ઉપવાસ નો અમારો ઉત્સાહ વધારવા ફરાળ માં બટાકા નું શાક, રાજગરા ની પૂરી ઉપરાંત શીંગ ની સુખડી, તલ ની ચીકી, ઘી માં સાંતળેલ ખજુર અને બટાકા ની કાતરી માં ભેળવેલ તળેલી શીંગ અચૂક રહેતી.


બે ઓરડા અને ઓસરી ના ભાડાના નાનકડા એ ઘરમાં કેટ કેટલા મહેમાનો ને તમો એ સાચવી લીધેલા? અમે ૬ ભાઈ બહેનો, દાદી તેજમા ઉપરાંત પેટીયું રળવા ભાવનગર આવેલ રાજસીતાપુરના દુરના પિત્રાઈ લાડકચંદ અને ભદ્રેશી થી આવેલ લક્ષ્મીચંદ નો  મહિના ઓ સુધી એ નાનકડી જગા માં સમાવેશ થઈ શક્યો હતો.


અને હા મારા સ્કુલ અને કોલેજ ના ૧૨ વર્ષના ગાળામાં ક્યારે પણ કોઈ માંદગી  કે બીમારીએ તમારા માં રહેલ સાત્વિકતા, પવિત્રતા અને સેવાભાવના કારણે જ તમારા શરીર માં ક્યારે પણ પ્રવેશ કરવાની હિમ્મત કરી નહોતી.


એ જમાનામાં ફક્ત ૪ ચોપડી સુધી અભ્યાસ કરેલ ગ્રહીણીમાં આટલી બધી સૂઝ, સમઝણ, આવડત ક્યાંથી આવી? એ પ્રશ્ન નો એક ફક્ત જવાબ છે, આપના માતુશ્રી અને મારા નાની સમજુ-બા. નામ એવાજ ગુણ એ સમજુ-બા એ સ્વસુરગ્રહે વળાવતા પહેલા તમારા માં સિંચેલ ગૃહ સંસ્કાર.


તમે અને નાની સમજુ-બા મારા હર્દય પટ પર મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સદાય છવાયેલ રહેશો.



ધન સંપતી ને બદલે તમોએ શૂન્ય માંથી સર્જન કરવાની આવડત મને વારસા માં આપી. મારા જીવ માં ધર્મ નિયમ વૃત જપ ના બીજ જન્મ સાથે જ રોપી ખંત પૂર્વક તેનું પોષણ કર્યું. સફળતા ના શિખરે પહોંચ્યા પછી ધન-સંપત્તિ વધારવા તરફ દુર્લક્ષ કરી તમોએ ધીમે ધીમે દિન દુખિયા ને મદદગાર બની પ્રભુ પરાયણ જીવન શૈલી અપનાવી. 


મને યાદ આવે છે, ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૬ ના વહેલી પરોઢ ના પાંચ વાગ્યાની એ ઘટના. હોસ્પિટલ ની પથારી માં જીવનના  અંત નો સૂચક આપના  એક દંડિયા  શ્વાસ ની શરૂઆત થઇ ચુકી હતી. ત્યારે સમાજમાં ઊંચા મોભા ના પ્રમાણ માં આપની ધન સંપત્તિ ના અભાવની પરીસ્થિતી થી વાકેફ એવા હાજર એક હિતેચ્છુ મિત્રે આપને પુછેલ -"અંત સમયે આપની કાઈ ઈચ્છા કે મારા તરફ થી અપેક્ષા કે કોઈ ભલામણ કરવી હોય તો વિના સંકોચે મને કહો". ત્યારે તમોએ કેટલી સ્વસ્થતા પૂર્વક કહેલ કે -"મને મારા નાના દીકરા ની આવડત માં સંપૂર્ણ વિશ્વાસ  છે, એટલે તમે હવે મારા આત્મા ની સદગતી માટે સ્વામિનારાયણ નામની ધૂન કરો". આટલું કહી આપે હમેશ માટે આંખો બંધ કરી દીધેલ.


આ ઘટના સમયે મારો એન્જીનયરીંગ નો અભ્યાસ પણ હજુ પૂર્ણ થયો ન હતો. હકીકત માં ૨૦ દિવસ પછી મારી છેલા વરસની ફાઈનલ પરીક્ષા ઓ શરુ થનાર હતી. દેહ ત્યાગ વેળાએ  ઇષ્ટદેવ સ્વામિનારાયણ માં તમારી શ્રદ્ધા કેટલી દ્રઢ હતી તે વાત વરસો પછી આજે મને સમજાઈ છે. હકીકત માં તો ધન સંપતી ને ગૌણ ગણી, ઇષ્ટદેવ ને યાદ કરી  આશીર્વાદ રૂપી મહામૂલી મૂડી મને આપી ને આપે દેહત્યાગ કરવાનું ઉચિત માન્યું. 


ધન સંપત્તિ ને બદલે મને ધર્મ પરાયણ જીવન શૈલી નો વારસો આપવા બદલ આપને કોટી કોટી પ્રણામ.





ડીસેમ્બર ૧૯૭૧ મા આગમન સાથે જ સ્વેચ્છા એ જવાબદારી સ્વીકારી મને મારી બે સામાજિક ફરજો માંથી નિવૃત્તિ અપાવી - (૧) સંધિવાના કારણે હલન ચલન કરી શકવાને અસમર્થ મારી માતા ની કાળજી પૂર્વક ની સંભાળ [ ટોઇલેટ માં ફસડાઈ પડેલ મારી માતા ને નાના બાળક ની જેમ શાવરમાં લઇ જઈને નહવારવી સ્વચ્છ કર્યા નો પ્રસંગ હું ક્યારે પણ ભૂલી શકુ તેમ નથી](૨) મારી નાની બહેન માટે યોગ્ય જીવન સાથી ની શોધ કરીને  લગ્ન વિધિ પતાવી સ્વસુર ગ્રહે વિદાય અપાવી.


પિયરગ્રહ ની રસોઈ, કરકસર પૂર્વક ની ઘર રખાવટ અને પહેલા 'સ્વામિનારાયણ' નું ક્યારેય નામ પણ નહિ સાંભળ્યું હોવા છતાં સાસુમા પાસે થી જાણી સ્વામિનારાયણ સંપ્રદાય ના ચુસ્ત નિયમધર્મનું  પાલન સ્વીકારી - ગંગા જમુના ના અનેરી સંગમ જેવી જીવન શૈલી અપનાવી શ્વસુરગ્રહે સૌના હૈયા જીતી લીધા. આ વાત નો શ્રેય હું ઈલા ના માતુશ્રી અને મારા સાસુમા સ્વ. કમળાબેનને તેમણે દીકરીને  આપેલી કેળવણી અને સંસ્કાર બદલ આપું છું. 


ગ્રહસ્થીની જવાબદારી ની રુએ હું નવ વરસ દુબઈ/કુવૈત નોકરી અર્થે કમાણી કરવા ગયો. તે દરમ્યાન  મુંબઈ માં સિંગલ મોમ ઈલા એ અમારા દીકરા-દીકરી ના અભ્યાસ અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયી કૌટુંબિક પરમ પરા ને અનુરૂપ સંસ્કાર ની જવાબદારી નિભાવી.


આજે એ વાત નીર્વિવાદિત છે કે મિડલ ઇસ્ટ જઈને મેં કરેલી કમાઈ કરતા મુંબઈ માં રહીને ઈલા એ અમારા બંને સંતાનો ને આપેલ સંસ્કાર જેના કારણે આજે પણ અમેરિકા આવી વસેલા અમારા બને સંતાનો એ નિત્ય સવારે પ્રથમ સ્નાન-પૂજા-માળા ની કૌટુંબિક પરમપરા જાળવી રાખ્યા નું મહત્વ વધારે છે. 



એપ્રિલ ૧૯૯૭ માં કૃપા કરી કુવૈત પધારીને  આપે મારો હાથ જાલ્યો અને જાણેકે મને નવી જિંદગી મળી. મારા યોગક્ષેમ ની સઘળી જવાબદારી આપે લઇ લીધી. પૂર્વ જન્મો ના કર્મ બંધનો માંથી મને મુક્તિ અપાવવા અવાર નવાર આપના ચરણ સ્પર્શ નો મને લાભ આપ્યો. હે સ્વામી બાપા બહુ બધા સંતો હરિભક્તો ઉપરના ક્યારે પણ નહી ચૂકવી શકાય તેવા આપના અનેક ઉપકારો થી કૃતાર્થ થનારાઓ માં હું પણ એક છું. આપે મારા સર્વ શુભ સંકલ્પો પૂર્ણ કર્યા. સાંસારિક સહજ આવતી અનેક આધી-વ્યાધી-ઉપાધિઓ દરમ્યાન આપે મારી રક્ષા કરી. સત્સંગ, નિયમ ધર્મ માં ક્યારેય ચૂક ના થાય તેવી શક્તિ અને બળ આપતા રહેજો અને અંતકાળે વહેલા વહેલા તેડવા આવજો એજ માત્ર મારી એક અરજ સ્વીકારજો. 

જુન  ૧૯૫૪ થી ૧૯૬૦ સુધી ભાવનગર ની સનાતન ધર્મ સ્કુલ માં અને પછી બે વરસ ભાવનગર ની સાયંન્સ કોલેજ માં સાથે અભ્યાસ કરતા કરતા કૃષ્ણ સુદામા જેવી દોસ્તી  જામી. ખિસ્સા ખાલી છતાં મજબુત મનોબળ અને પ્રબળ પુરૂસાર્થ કરી સ્વપ્નો ને સાકાર કરવા અમે મુંબઈ આવ્યા. મુંબઈ પહોંચી TRIPLE F - ફ્લેટ, ફિયાટ અને ફોન પ્રાપ્તિ નો ટાર્ગેટ પૂર્ણ કર્યો. 


ત્યારબાદ  એક વધુ F ફોરેન ટુર નો નિર્ધાર કર્યો. મારી પહેલા કિશોરે વર્ડ ટુર કરી મને પ્રોત્સાહિત કર્યો એટલુજ નહિ પણ જરૂરી માર્ગ દર્શન ઉપરાંત દુનિયા ના કોઈપણ ખૂણા માં મને એક અઠવાડિયા માં ૫૦૦ ડોલર્સ જેટલું ફંડ પહોચાડવા ની હૈયે હામ આપી. અને મેં ખિસ્સા માં એક પણ ડોલર વગર કાર્ગો શીપ દ્વારા વિઝાગપટનમ થી જાપાન વાયા સિંગાપોર જવા પ્રયાણ કરી અમારો એ ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો.


પછી તો પહેલા એ દુબઈ જઈ શારજાહ માં સ્થાઈ થયો અને પાછળ પાછળ હું પણ દુબઈ જઈ પહોંચ્યો. શારજાહ થી પછી તે મસ્કત (ઓમન) શિફ્ટ થયો અને હું કુવૈત શિફ્ટ થયો. અમારી જુગલબંધી ચાલુ રહી. મસ્કત છોડી પછી પહેલા તે અમેરિકા આવી ને વસ્યો અને ત્યારબાદ વરસો પછી નસીબે મને પણ અમેરિકા આવી વસવાનો મોકો મળ્યો. અમારી દોસ્તી આજે પણ એટલીજ નિર્ભેળ -નિસ્વાર્થ અને સુખ દુખ માં એક બીજા ને સહીયારે આગળ ધપતા રહેવામાં મદદગાર થઇ છે.


અંતમાં  નિખાલસતા પૂર્વક હું  એ કબુલ કરું છું કે અમારા બંને માં એ હમેંશા મારા માટે પ્રેરણા દાયી અને મદદગાર રહ્યો છે. માટેજ મારા બીજા બધાજ મિત્રો કરતા તેની છબી આજ દિવસ સુધી મારા દિલો દિમાગ માં હમેશ માટે છવાયેલ રહી છે.













 




 

 




 


    










 

Monday, November 20, 2017

$ કમાવા પરદેશ ગમન કરનાર ની વ્યથા



      પ્રસ્તુત છે વ્હોટસ એપ દ્વારા મળેલ એક હિન્દી વીડીયો કલીપ 




           આ વિડિયો ક્લીપ જોઇને મને યાદ આવ્યો ૭ ડીસેમ્બર ૧૯૯૨  નો દિવસ. બાબરી ધ્વંસ નો બીજો દિવસ અને મારી પચાસમી વર્સગાંઠ નો આગલો દિવસ. મુંબઇ જ્યારે ભડકે બળી રહ્યું હતુ ત્યારે બપોરે બે વાગે ઘર છોડી સાંજ ચાર ની ફ્લાઇટ માં મારું દુબઈ ગમન.


           મેં મારો મુંબઈ નો COMFORT ZONE સ્વેચ્છા એ ત્યજ્યો - શા માટે? રુપિયા ને બદલે ડોલરીયા કમાવા. પછી દુબઈ છોડી કુવૈત પહોંચ્યો ત્યારે મારા SCI/Mumbai ના એક જુના સમવયસ્ક મિત્રે વ્યંગ મા પુછ્યું " क्युं  भाई कुवैत कैसा लगा मेरे  दोस्त? "મારો જવાબ હતો "मै कुवैत देखने नहीं आया मेरे यार, मे तो यहा हरे रंग का डॉलर देख कर खुश हूं."  


           ત્યારબાદ થોડા જ વરસો પછી મુંબઈ માં TCS માં જોબ કરતા મારા દીકરા એ પણ અમેરિકા ના સાનડીએગો સ્થિત ઓફીસ માં પોસ્ટીંગ મેળવી સ્વેચ્છા એ મુંબઈ નો COMFORT ZONE છોડ્યો. 

             

          અને આજે 🍁અમેરિકામાં  સ્થાઈ થયેલ મારા દીકરા ના ડોલર્સ માં મહાલતા બાળકો ને રૂપિયો એટલે શું ? 🤔 વરસો પૂર્વે ઇન્ડિયા થી અહી આવેલ વસેલ વડીલો એ કેવી તકલીફ ભોગવી હતી તે વાત તેમને કોણ સમજાવશે ?

           

          અહિયાં રેડમોન્ડ માં અમારા BAPS મંદિરમાં PRO તરીકે સેવા દરમ્યાન મંદિરમાં દર્શને આવતા ઘણા બધા વડીલો એ મારી પાસે અવાર નવાર આવી વ્યથા ( ખાસ તો કુટુંબ કાજે ડોલર્સ કમાવા તેમણે આપેલ ભોગ અને ત્યારબાદ તેઓએ આપેલ ભોગ ને ભૂલી નવી પેઢી દ્વારા થતી તેમની અવહેલના ના કિસ્સા)  ઠાલવે છે.   

            

         ત્યારે હું તેમને ફક્ત એટલું જ કહું છું - "ભૂતકાળમાં કરેલ એ ભૂલ ને ભૂલી હવે બાકીનું શેષ જીવન ફક્ત શ્રી હરિ ને સમર્પણ કરતા થાઓ એજ હવે શ્રેષ્ટ ઉપાય છે"

                                                






Friday, November 17, 2017

બે જોડકણા - એક બાળપળનું અને બીજું બુઢાપાનું

બાળપણ માં ગાઈ - કોડી થી લાડુ ની ગાથા




બુઢાપા માં ગાઈ - કંઠી થી અક્ષરધામ ની ગાથા
જન્મ મરણ ના ફેરા ફરતા થા, ફરતા થા ભાઈ ફરતા થા , ફરતા ફરતા જન્મ ધર્યો , ભાવનગર માં જનમ ધર્યો , સત્સંગ કુળમાં જનમ થયો ને સ્વામિનારાયણ ની કંઠી મળી , સ્વામિનારાયણ ની એ કંઠી એ, પૂજા વ્રત જપ માળા દીધી , દશ વરસની એ વૃત જપ માળાએ, યોગી બાપા નો જોગ થયો , યોગી બાપા એ ધબ્બો દીધો, ધબ્બો દઈ આશીર્વાદ દીધા, એ ધબ્બા એ અમોને , દીરહામ, દીનાર ગણતા કર્યા, દીરહામ થી હરખાઈ ને અમે, દુબઈ માં સત્સંગ માં જોડાયા, સત્સંગ ને યોગીજી ના ઈશારે, અમે પહોંચી ગયા કુવૈત , કુવૈતમાં શું કૌતુક થયું, એની કરવી છે આજે વાત, કુવૈત માં અમારા કાજે, આવી પધાર્યા પ્રમુખ સ્વામી , બાપા ના ચરણ સ્પર્શ કર્યા ને , બાપા એ જાલ્યો મારો હાથ, પછી તો એવું ઘેલું લાગ્યું , જ્યાં બાપા ત્યાં હું દોડું , સઘળા સંકલ્પો પૂર્ણ થયા ને હવે કોઈ ના રહી આશ, ૧૩ દેશો માં ઘૂમી ફરીને , આખરે પહોંચ્યા અમેરિકા, અમેરિકા માં નિહાળ્યું અક્ષરધામ , ને હવે તો જોઈએ બસ એક અક્ષરધામ.



Wednesday, October 25, 2017

ભગવાન નો ભાગ


કવિ શ્રી રમેશ પારેખ ની એક અદ્ભુત રચના 


૨૦૦૦ ની સાલમાં મારી અમેરિકાની સૌ પ્રથમ મુલાકાત દરમ્યાન હું , મેરીલેન્ડ,કિંગસ્ટન (કેનેડા), સાન ડીએગો, લોસ એન્જલસ, લાસ વેગાસ વગેરે સ્થળો ની મુલકાત લીધા પછી ક્વીન્સ/ન્યુ યોર્ક માં મારી બહેન ને ત્યાં આવ્યો. બે દિવસ પછી મારે જે.એફ.કે એરપોર્ટ થી ઓલમ્પીક એર ની કુવૈત પરત જવાની ફ્લાઈટ પકડવાની હતી. એક મોડી સાંજે હસતા હસતા મારા જીજાજીએ  પહેલા જરા હળવાસ થી પૂછ્યું - "તમારા આ હરવા ફરવા માટે તમે કેટલા પૈસા ખર્ચ્યા?" ત્યારે મેં નિર્દોષ ભાવે તેમને જણાવેલ કે હું જ્યાં જ્યાં ગયો ત્યાં મારા સગા સબંધી અને મિત્રો એ મને બધે ફેરવ્યો એટલે એર ટીકીટ શિવાય વિશેષ કાઇ ખર્ચ થયો નથી. પછી મુદ્દા ની વાત ઉપર આવતા તેમણે મને આવોજ એક માર્મિક પ્રશ્ન કર્યો કે "શિક્ષાપત્રી માં મહારાજે લખ્યા પ્રમાણે આવક નો ૧૦ મો ભાગ ધર્માદો આપો છો કે?" ત્યારે મેં તુરંત કાનબુટ પકડી મારી ચૂક કબુલી, એટલુજ નહિ પણ પરત જતા પહેલા મારી પાસે વધેલ ડોલર્સ ની બધીજ કેશ મેં તેમને ભગવાન ના  ભાગ રૂપે એક કાર્ય માટે આપી. અને તે કાર્યમાં ખૂટતી રકમ અમેરિકા માં જોબ કરતા મારા દીકરા પાસેથી મળી રહે તેવી વ્યવસ્થા કરી. ત્યાર થી મારા જીવનમાં  "ભગવાન નો ભાગ" જુદો કાઢવાની  શરૂઆત થઇ. અને ત્યાર બાદ આજ દિવસ સુધી હું  સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો સુખદ અનુભવ કરી રહ્યો છું.


શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના શ્લોક ૧૪૭ દ્વારા તેમના સર્વે આશ્રિતો ને આજ્ઞા કરી છે "ગૃહસ્થાશ્રમી એ પોતાની આવક ના ધન-ધાન્ય આદીમાંથી દશમો ભાગ ભગવાન ને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો.". સ્વામિનારાયણ સંપ્રદાય ના લાખો હરિભક્તો આજે આ નિયમ પાળી ને સુખી થયેલા મેં જોયા છે.

         પ્રસ્તુત છે આ વિષયની વધુ જાણકારી  નો એક વીડીયો 






Saturday, October 21, 2017

"નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ" ....







“નિર્વિકલ્પ ઉત્તમ અતિ..”
સ્વામિનારાયણ ના દરેક મંદિરો માં સાયંકાળે આરતી પછી ગવાતી પ્રાર્થના વિષે જાણવા જોગ વાત .... એક ખૂબી લગભગ આ વાત ✅ પડશે... ભગવાન સામે ઊભા ઊભા આ પ્રાર્થના બોલતા હોય. મોઢાને બોલવાની આજ્ઞા આપી મનજી ભાઈ ફરવા નીકળી જાય. સમાપન થાય ત્યારે ખબર પડે લે બોલાય ગયું.... અંદરના ભાવ સાથે બોલાય તો બોલ્યું કહેવાય, નહિતર મોઢાની કસરત કહેવાય.... પ્રાર્થનાની અંદર ૧ : નિશ્ચય : શ્રી સ્વામિનારાયણ ભગવાન એક સનાતન ભગવાન છે એવો પાકો દ્રઢ નિશ્ચય... ૨ : ભક્તિ : ભગવાનનો મહિમા અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. મહિમા અને જ્ઞાન સાથેની એકાંતિક ભાવ સાથેની અનન્ય ભક્તિ જેનો એકજ અંત છે આ સિવાય બીજો નહિ. ભક્તિનો આદિ અને અંત એક પુરુષોત્તમ નારાયણ જે સ્વામિનારાયણ છે એવી એક ભક્તિ.

3 : દોષ : ભક્તપણામાં કોઈ જાતનો, કોઈ પ્રકારનો દોષ-ખામી ન રહે એવો હું પાકો ભક્ત બનું...
૪ : દ્રોહ : ભગવત પ્રાપ્તિમાં મોટામાં મોટું વિઘ્ન હોય તો તે છે ભગવાનના ભક્તનો દ્રોહ. હે મહારાજ તમારા કોઈ ભક્તનો મારાથી ક્યારેય દ્રોહ ન થાય... ૫ : સમાગમ : ભગવત આરાધનામાં સફળ થવા માટે મોટામાં મોટું સાધન હોય તો તે છે... એકાંતિક ભક્ત, પરમ એકાંતિક સંત, અનાદિ મુક્તની સ્થિતિએ વર્તતા મોટા મુક્તનો સમાગમ. મોક્ષ માર્ગમાં દરેક સાધન સમાગમથીજ પ્રાપ્ત થાય છે...

૬ : દાસનકો દાસ : સમુદ્રમાં જેમ જળનો સંગ્રહ થાય છે તેમ જે દાસના દાસ થઈને આ સત્સંગમાં રહે છે ત્યાં સદ્ ગુણની સાથે મોટા સંત-હરિભક્તના રાજીપાનો ઢગલો થાય છે...દાસના દાસ થાવું એ ભગવત પ્રાપ્તિનો મોટો સદ્દ ગુણ છે...
૭ : સદા રાખીએ પાસ : : ભક્ત ભગવાન પાસે માગે છે કે હે પ્રભુ ! અમને સદાય તમારી પાસે રાખજો... આપણને ભગવાન પોતાની પાસે રાખે એનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે ? અર્થાત કોઈ નહિ. 👆🏼આ સાત વરદાન જોઈતા હોય તો, એના બદલામાં અગિયાર (નિયમ) પાળવા પડે... આ દુનિયામાં મફત તો કંઇ મળતું નથી... ★★★★★★★★★★★ અગિયાર નિયમની વાત શિક્ષાપત્રી ૧ : કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી... ૨ : પરસ્ત્રીનો સંગ ન કરવો... ૩ : ક્યારેય, કોઈ પણ સંજોગોમાં માસ ન ખાવું..

૪ : દારૂ-ભાંગ ક્યારેય, કોઈ પણ સંજોગોમાં ન પીવો, ન પીવી... ૫ : સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો (આનાથી વિધવા સ્ત્રીની સલામતી જળવાય, શાસ્ત્રનો એવો શુભ આશય રહેલો છે) ૬ : આત્મઘાત ન કરવો, કોઈ પણ દુઃખના પ્રસંગે આત્મઘાતનો વિચાર પણ ન કરાય...

૭ : કોઈ પણ પ્રકારની ચોરી ન કરાય... ૮ : કોઈના ઉપર ખોટું કલંક ન દેવું... ૯ : કોઈ પણ દેવ, દેવી, દેવતા, અવતારની નિંદા ન કરવી... ૧૦ : જેના પાત્રનું રાંધેલ અનાજ ખપતું ન હોય તેના પાત્રનું અનાજ ન ખાવું ને તેના પાત્રનું પાણી ન પીવું...(ચાર વર્ણ અને ચાર આશ્રમની મર્યાદાનું પાલન કરવું)

૧૧ : વિમુખ જીવ, વિમુખ માણસના મોઢેથી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી... આ ૧૧ નિયમનું જે પાલન કરે છે તે નિઃશંક પણે ભગવાનના ધામમાં જાય છે એમાં શંકા કરવા જેવું છેજ નહિ શ્રીજી મહારાજે કહેલી આજ્ઞાઓને સદ્દ. શ્રી પ્રેમાનંદ સ્વામીએ કાવ્યમાં ગૂંથીને સત્સંગીઓને આપી તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ નીચેની કથા પ્રવર્ચન દ્વારા. આ અદ્ભુત કથા સાંભળવા આપનો એકાદ કલાક નો સમય અચૂક ફાળવશો.

Sunday, October 15, 2017

પ્રભાવના ભાગ : ૨

        ગુજરાતી શબ્દકોશ ભગવદ ગો મંડળ માં "પ્રભાવના" શબ્દનો અર્થ નીચે મુજબ આપેલ છે. (૧) પ્રભાવ પ્રસરાવવો (૨) ધર્મ પ્રચાર (૩) પતાસા વગેરેની લહાણી (૪) શાસન(જૈન) ઉન્નતીનું પ્રવર્વન કરવું તે.


        વીડીયો કલીપમાં બીજી માહિતી નથી પણ આપણે કલ્પના કરીએ કે વિરજીભાઈ નામની કોઈ વ્યક્તિએ પ્રભાવના માં તેમને મળેલ સિક્કા ને પૂજા અર્થે તેમણે પ્લાસ્ટિકની ડબ્બી માંથી બહાર કાઢવા કોશીસ કરી ત્યારે તેમને આ છેતરામણ ની જાણ થઇ. એટલે આ વીડીયો દ્વારા તેમણે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો.



         આ ધાર્મિક પ્રસંગમાં હાજર બીજા કેટલાક શ્રાવકો રવજી, મુળજી વગેરે પણ પ્રભાવના માં પ્રાપ્ત થયેલ આવાજ ખોટા ચાંદીના સિક્કા લઈને ઘરે ગયા હશે. શક્ય છે કે રવજીભાઈએ ઘરે આવી તેમના ધર્મ પત્નીને તે ચાંદીનો સિક્કો ઘરમાં બીજી કીમતી ચાંદીની ચીજો જોડે મુકવા આપી દીધો. એટલે તેમને છેતરાયા નો અહેસાસ પણ નહિ આવ્યો.



       વેપારી મુળજીભાઈ તો જાણતા જ હતા કે શ્રેણીકભાઈ જેમના તરફથી આ લાણી કરવામાં આવી હતી તેમનો ધંધોજ બજાર માં બે નંબરી ડુપ્લીકેટ માલ વેચવાનો છે. અને સમાજમાં મોટાઈ દેખાડવા લાણીમાં તેમણે ખોટા સિક્કા જ પધરાવ્યા છે. એટલે તેમણે આ ખોટો સિક્કો નજીક માં આવતા દિવાળી ના તહેવાર દરમ્યાન તેમની ઘરકામ કરવા વાળી બાઈ ને ખુશ કરવા પધરાવી દેવાનો મનોમન વિચાર કરી લીધો.



       મારી આ પરી કલ્પના નું કારણ છે મારો જાત અનુભવ. એકાદ દાયકા પૂર્વે મારે ત્યાં માંગલિક પ્રસંગે ભેટ આપવા મારે ચાંદીના સિક્કા ખરીદવા ની જરૂરીયાત જણાઈ. ત્યારે મુંબઈ ના મારા એક અતિ શ્રીમંત વેપારી મિત્ર જે કિલો ને હિસાબે ચાંદી ખરીદતા તેમનો મેં સંપર્ક કરેલ. તે વેપારી મિત્ર મને તેમના એક વિશ્વાસુ જવેરી બઝારના વેપારી ની દુકાને લઇ ગયા. ત્યારે દુકાનદારે મને પહેલો પ્રશ્ન કર્યો તમારે કેવો માલ જોઈએ છે, એક નંબરી કે બે નંબરી? એક નંબરી એટલે ચાંદીના સિક્કા અને બે નંબરી એટલે લોખંડ ઉપર ચાંદીનો ઢોળ ચઢાવેલ નકલી.



       ત્યારે મારા શ્રીમંત વેપારી મિત્રે ખંધુ હસીને મને કીધેલ કે હું વાર તહેવારે અહીંથી બે નંબરી સિક્કા ખરીદીને મોટી સરકારી ઓફિસો માં વોચમેન અને પ્યુનસ ને છૂટથી લાણી કરૂ છું. વળી જેને પણ આપું તેને તેના ઇષ્ટ દેવી દેવતા ની છબી વાળા સિક્કા આપું. લેનાર હોંશે હોંશે ઘરે જઈને તે સિક્કો તેની પત્નીને આપે અને પછી તે ખોટો સિક્કો ઘર મંદિર કે ઘરના લોખંડ કબાટ ના લોકરમાં કાયમ માટે ગોઠવાઈ જાય. ત્યારબાદ આખું વરસ આ વોચમેનો અને પ્યુનો મને સલામ કરતા થઇ જાય.   

       

        આ સંદર્ભ માં મને મારા શાળાના દિવસો દરમ્યાન ૧૯૫૬ ના વર્ષની ફિલ્મ ભાઈ-ભાઈ નું નીચેનું ગીત યાદ આવી ગયું.      



                                 

       

       ટૂંકમાં વરસો થી માનવી ઈશ્વરે બક્ષેલ બુદ્ધિનો દુર ઉપયોગ એક બીજાને છેતરવા કરતો આવ્યો છે. મઝાની વાત એ છે કે માનવી જયારે બીજાને છેતરવા માં કામયાબ નીવડે છે ત્યારે તેને આનંદ આવે છે. પણ તે જ વ્યક્તિ જયારે બીજાથી છેતરાયા નો અનુભવ કરે છે ત્યારે બળાપો કાઢવા માં કોઈ કસર રાખતો નથી.


            હવે આ હકીકત ને ધ્યાન માં રાખી  આપણે તેમાંથી શો બોધ પાઠ લેવો જોઈએ તે હવે પછીની બ્લોગ પોસ્ટ દ્વારા જણાવીશ.


                                                                                               


 
      

      

Saturday, October 14, 2017

પ્રભાવના (વીડીયો કલીપ) ભાગ ૧

"પ્રભાવના" એટલે જૈન સમાજ મા સાધુ-ભગવંતો ના પ્રવર્ચન દરમ્યાન  શ્રેષ્ઠી લોકો દ્વારા ભેટ તરીકે અપાતી અમુક રકમ જે પછી  શ્રોતાઓ ને સરખે હિસ્સે વહેંચવા મા આવે છે, તેમ મારી સમજ છે. કેટલાક સાધન-સંપન શ્રેષ્ઠી રોકડ કેશ ને બદલે ચાંદીના સિક્કા ની પ્રભાવના કરે છે. અમેરિકામાં જેમ પાર્ટી ના અંતે યજમાન તરફ થી સૌ આમન્ત્રીતો ને "ગુડ્ડી બેગ" અપાય છે, તેવીજ આ એક આ પ્રણાલી છે. 


આવી ઉમદા પ્રણાલીમાં પણ આપણા ભારત દેશના સોના-ચાંદીના વેપારીઓ લોકો ને કેવી રીતે છેતરે છે, તેને ઉજાગર કરતી એક વીડીયો કલીપ મને હમણાં વ્હોટસ ગ્રુપના મારા એક મિત્ર તરફ થી મળી જે અહી પ્રસ્તુત છે. 


આ  વીડીયો કલીપ જોયા પછી મારા મનમાં ઉદભવેલા વિચાર વંટોળ ને ટૂંક સમય માં શબ્દ સ્વરૂપે આપની સમક્ષ મારા આ ગુજરાતી બ્લોગ ઉપર પોસ્ટ કરીશ.



Tuesday, September 26, 2017

પ્રગટ સદા પ્રગટ

મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે, એક સાધનને કર્યા થકી જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય ?” 


પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્રીશ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન, કર્મ, વચને કરીને રાખે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાય છે.” -

                           ***********************


                       શ્રીજી મહારાજની રુચિ અને અભિપ્રાય ના જાણકાર  એવા                                                  સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામિ એ નીચેનું કીર્તન રચ્યું ;-                                                                                                                                                                             ધન્ય ધન્ય એ સંત સુજાણને,

જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ  ૧

આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત ૨

જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત ૩ 

જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત ૪

જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત ૫ 

જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત ૬

જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના† પાવ... સંત ૭

જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત ૮ 

એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત ૯

ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત ૧

એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી‡ દૂર... સંત ૧૧

કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત꠶ ૧૨


સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના આ કીર્તન ઉપરથી વરસો પૂર્વે પ્રમુખ સ્વામિ મહારાજ ની આણંદ ખાતે ઉજવાયેલ જન્મ જયંતી નીમ્મીતે સંતોએ નીચેના સુંદર વીડીયો નું નિરૂપણ કર્યું.




શ્રીજી મહારાજે સંત સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામિ મહારાજ માં રહીને કરેલ કાર્યો ની યાદી :-                                 

■ અક્ષરધામ નિર્માણ~ 3   (દિલ્હી, ગાંધીનગર, અમેરિકા)
■ વિદેશમાં શિખર બદ્ધ મંદિરોનું નિર્માણ -8  (લંડન, કેન્યા, અમેરિકા-5, કેનેડા)
■ દેશમાં ભવ્ય 31 શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ ;  મુંબઈ, દિલ્હી, તીથલ, સાંકરી, સુરત, સિલવાસા, નવસારી, ભરૂચ, સુરેન્દ્રનગર, લીંબડી, રાજકોટ, ભાદરા, જામનગર, જુનાગઢ, મહુવા, ધારી, ભાવનગર, બોડેલી, દાહોદ,  મેહસાણા, હિમ્મતનગર, નાગપુર, આણંદ, ડભાણ, નડિયાદ, કોલકત્તા.
■ 75 હજાર ગામોમાં વિચરણ
■ 2લાખ 50000 ઘરોમાં પધરામણી
■ 7 લાખ પત્રો લખ્યા.
■ ૧૫  શાળાઓમાં અદ્યતન સુવિધા સાથેનું શિક્ષણ
■ ભૂકંપ ગ્રસ્ત ૨૫ ગામો દત્તક લઈ તેનો વિકાસ
■ ૨૬ છાત્રાલયોમાં છાત્રો માટે આધુનિક વ્યવસ્થા
■1100 મંદિરોમાં સ્વહસ્તે પ્રાણપ્રતિષ્ઠા
■ ૮૫૦ પ્રકાશનોનું અલગ-અલગ પ્રગટીકરણ -અઢાર સામયિકો પ્રકાશિત
■ ૧૦૦૦ સંતોને દીક્ષા આપી સંતમાળની રચના
■ ૧૦૦૦ જેટલા ગામોને ભૂકંપ, પૂર, દુષ્કાળ, કુદરતીઆપત્તિમાં રાહત પહોંચાડી.
■ 9 લાખ સત્સંગ સભાઓ દર વર્ષે થાય છે, જેમાં પ્રત્યેક સભામાં 100 થી 500 કે 1000 ની સંખ્યામાં ભક્તો નિત્ય સત્સંગ કરે છે.
■ ગ્રામ, શહેર, તાલુકા, નગર કક્ષાએ રોજ અને સાપ્તાહિક મળીને દર વર્ષે થતી સત્સંગ સભાઓમાં સંખ્યા 30 લાખ 45 હજારની થાય છે.
■ ૯૦૦૦ મહિલા સત્સંગ કેન્દ્રો
■ ૯૫૦૦ બાળ-યુવા સત્સંગ કેન્દ્રો
■ ૨૧૦૦૦ ગાય-બળદ-પશુઓની કેટલકેમ્પ દ્વારા સારસંભાળ
■ ૨૮૫૦૦ વૃક્ષારોપણ
■ ૩૬૦૦૦  યુવાનોને આંતરરાષ્ટ્રીયમહોત્સવો દ્વારા પ્રોત્સાહન
■ ૬૦૦૦૦ યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ કર્યા
■ ૯૦૦૦૦ તબીબોને પરિષદો દ્વારા જ્ઞાાન, તાલીમથી કટિબદ્ધ કર્યા.
■ કચ્છ ભૂકંપ વખતે ૧૮૦૦૦૦૦ ડીશ-ભોજનનો પ્રબંધ કર્યો.
■ ૨૧૦૦૦૦૦ હરિભક્તોએ ચાર જ દિવસમાં સારંગપુરમાં દિવ્યાત્માનાં દર્શન કર્યા
■ ૪૦૦૦૦૦૦ લોકોને વ્યસનમુક્ત કર્યા
■ ૪૦૦૦૦૦૦ લોકોએ દ્વિશતાબ્દી મહોત્સવમાં (શ્રીહરિ) દર્શન કર્યા. (1981)
■ ૫૦૦૦૦૦૦ લોકોએ યોગીશતાબ્દિ મહોત્સવમાં (1992) દર્શન કર્યા
■ ૫૦૦૦૦૦૦ લોકોને બાર મોબાઈલ મેડિકલ ક્લિનીકથી સારવાર
■ ૮૦૦૦૦૦૦ લોકોએ ગુણાતીત દ્વિશતાબ્દિ મહોત્સવ (1985)માં દર્શન કર્યા.
■ દોઢ કરોડ લોકોને કુદરતી આફતોમાં રાહત આપી.
■ દસ કરોડ દર્શનાર્થીઓએ  વિવિધ અક્ષરધામ મંદિરોમાં દર્શન કર્યા.
■ તેર કરોડ દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં સારવારનો લાભ મળ્યો
■ ૧૧૯૬ દિવસ સળંગ સારંગપુરમાં રોકાણ. (તા. ૫-૫-૨૦૧૩થી ૧૩-૮-૨૦૧૬)
■ શ્રીપ્રમુખસ્વામી મહારાજ કુલ : ૩ ૪ ૫૮૩ દિવસ - ૧૨ કલાકનુંઆયુષ્ય ભોગવી  અક્ષરધામ નિવાસી થયા.
■ એક દિવસના  ૨૧૬૦૦ શ્વાસોચ્છવાસ લેખે તેમના કુલ ચુંવોતેર કરોડ, સિત્તેર લાખ, ત્રણ હજાર છસો શ્વાસનું આયુષ્ય થાય છે.


                                                                                                                                                                 


Wednesday, August 9, 2017

ઘટના અને અર્થ ઘટન - ૫ ( આજના લોકો ની માનસિકતા )


              

         ઘટના 

              

હમણા જ મને વ્હોટસ એપ દ્વારા એક મિત્રે  ત્રણ વીડીયો ક્લિપ્સ મોકલાવી. વીડીયો ક્લિપ્સ માં આ  વર્ષે ગુજરાત ખાસ કરીને ઉત્તર  ગુજરાત/રાજસ્થાન માં અતિ વ્રષ્ટિ ના કારણે જળ બમ્બાકાર થયેલ  રસ્તા/પુલો ને તેમજ માનવ હાની નું ચિત્રીકરણ થયેલ છે.

ત્રણેય વીડીયો ક્લિપ્સ નું સંકલન કરી તેને અનુરૂપ એક લોકપ્રિય ભજન ની ઓડિયો કલીપ જોડી  આપના માટે તૈયાર કરેલ એક વીડીયો અહિયાં મુકવામાં આવેલ છે.



            

                                             

પહેલી  વીડીયો કલીપ માં રસ્તા ઉપર થી પસાર થતી એક બસ ધસમસતા પાણી માં ગરકાવ  થતી  નજરે પડે છે. બીજી વીડીયો કલીપ માં રસ્તા ઉપર થી પસાર થતી એક સફેદ મોટર કાર  ઉપર થી  વહી  રહેલા પાણી માં ગરકાવ થતી નજરે પડે છે. અને ત્રીજી વીડીયો કલીપ માં એક  યુવાન મોટર બાઈક સવાર રસ્તા પરથી વહેતા પાણી માં ગરકાવ થતો નજર પડે છે.


હકીકત :

૧)  જે કોઈ પણ વ્યક્તિ એ આ વીડીયો રેકોર્ડીંગ કરી તેની કલીપ તૈયાર કરી તે બસ, મોટર કાર અને મોટર બાઈક સવાર થી અત્યંત નજીક ના અંતરે હોવી જોઈએ નહી તો આટલી ક્લીર  વીડીયો કલીપ  તૈયાર થઇ શકે નહિ.


૨)  વીડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ ને રોડ ઉપર થી ધસમસી રહેલા પાણી ના પ્રવાહ /વહેણ માં  રહેલ પ્રચંડ તાકાત અને આ રોડ ઉપર વાહન ચલાવવું કેટલું જોખમી હતું તેની જરૃર જાણ હશેજ.

        


૩)  વીડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ બસ, કાર કે મોટર બાઈક ચાલક ને રોડ ઉપર વાહન લઇ આગળ વધવા માં રહેલ જાન ના જોખમ વિષે જાણકારી આપી ત્રણ વ્યક્તિ ના જીવન બચાવી શક્યો હોત.



અર્થઘટન

આજનો માનવ અતિ સ્વાર્થી બની ગયો છે. વીડીયો રેકોર્ડ કરનારને ત્રણ વ્યક્તિ ના જીવ બચાવવા કરતા આવી ત્રણ વીડીયો કલીપ રેકોર્ડ કરવાની તેને મળેલ તક જતી નહિ કરવાનું વધારે ઉચિત લાગ્યું હશે.  

દુઃખ અને ખેદ સાથે સ્વીકારવું રહ્યું કે ઉપર ની ત્રણ વીડીયો કલીપ ત્રણ વ્યક્તિ - બસ ડ્રાઈવર , કાર ડ્રાઈવર અને બાઈક સવાર ની જીન્દીગી ના ભોગે આપણ ને જોવા મળી છે !

         



             



         

       

                

              
               
                

Monday, May 22, 2017

શ્રી કૃષ્ણ શરણં મમઃ,

                                                                           

   




Check this out on Chirbit

શ્રી કૃષ્ણ શરણં મમઃ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
શ્રી કૃષ્ણ શરણં મમઃ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સત્ય ધર્મનાં સંરક્ષક, પાપીજનોનાં વિનાશક
યુગ યુગનાં એ અવતારક, શ્રી કૃષ્ણ શરણં મમઃ
 ધર્મ મર્મનાં પ્રવર્તક, જ્ઞાન યુગનાં ઉપદેશક
ભક્તિ માર્ગ તણા દર્શક, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પરમ કૃપાળુ પરમેશ્વર, જગનિયંતા જગદીશ્વર
હે વિશ્વાત્મા વિશ્વમંભર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ અનુપમ સર્વોત્તમ પરમ બ્રહ્મ હૈ પુરુષોત્તમ
હે અવિનાશી અચ્યુતમ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

મન મોહક હે સુંદર શ્યામ, દિવ્ય સુખોનાં અક્ષયધામ
ભક્ત જનોનાં પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
હે લીલાધર યોગેશ્વર, પ્રેમ નિઘી છો પરમેશ્વર
ગોપીજનોનાં હૃદયેશ્વર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

અંતરયામી પ્રાણ જીવન, દયા સિંધુ દેવકી નંદન
મુકુંદ મોહન મધુસુદન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સત્ય સનાતન જ્ઞાન સ્વરૂપ, આપ અલૌકિક દિવ્ય સ્વરૂપ
અદભૂત એવા એક અનુપ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સ્વયં પ્રકાશી રહયાં તમે છો, સચ્ચીદાનંદ નાદ તમે છો
વિશ્વેશ્વર વિરાટ છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આત્માઓનાં આત્મા છો, એવી ભૂ પર વેદાત્મા છો
પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

દેવોનું દેવત્વ તમે છો, સાત્ત્વિકોનું સત્વ તમે છો
ચંદ્ર સુર્યનું તેજ તમે છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
તેજસ્વીની રિદ્ધિ તમે છો, તપસ્વીઓની સિદ્ધિ તમે છો
બુદ્ધિમાનની બુદ્ધિ તમે છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ


સ્નાન સરિતા ગંગાજી છો, પાન પવિત્રા યમુનાજી છો
મોક્ષદા માતા સરસ્વતી છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
ઘટ ઘટમાં વ્યાપક છો શ્યામ, શાશ્વત શાંતિ તણા સુખ ધામ
જ્ઞાન જ્યોત પ્રગટાવી નામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

વેણુનાદનાં સૂર તમે છો, પ્રેમાશ્રુનાં પૂર તમે છો
શુરવીરોનું શૂર તમે છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
મહામનોના મન તમે છો, શ્રીધર આતમ ધન તમે છો
અણું અણું નું ચેતન છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કોટીયુગોનાં સાક્ષી છો, શાશ્વત છો અવિનાશી છો
આદિ અને અનાદિ છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
હે મંગલમય જગન્નિવાસ, શબ્દાતિત ને દિવ્યાકાશ
વસી રહયા જલ સ્થલ આકાશ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

શ્યામ સુંદરની ઝાંખી થાય, મન વૈષ્ણવનું બહુ હરખાય
દિવ્ય સુખોની પ્રાપ્તિ થાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
અગણિત આંખો ચરણો છે, અગણિત મસ્તક બાહું છે
અગણિત રૂપ તમારા છે, શ્રી કૃષ્ણ શરણં મમઃ

અનેક રૂપે ધરી અવતાર, ધર્મ તણી રક્ષા કરનાર
આર્યોને નિર્ભય કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રથમ વરાહનો લઈ અવતાર, હિરણ્યાક્ષનો વધ કરનાર
પૃથ્વીના બંધન હરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

બીજો મત્સ્યનો લઈ અવતાર, વેદબિજોનો કર્યો ઉદ્ધાર
સંસ્કૃતિનાં હે રક્ષણહાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
ત્રીજો કુર્વનો લઈ અવતાર, દેવ દૈત્યનો લઇ સહકાર
સમુદ્રમંથન પાડયું પાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ચોથો શુભ નૃસિંહ અવતાર, સર્જ્યો અદભૂત ચમત્કાર
હિરણ્યકશીપું નો વધ કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પંચમ પ્રભુ વામન અવતાર, બલિરાજાને યશ દેનાર
દ્વારપાળ થઈ ઉભા દ્વાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

છઠો છે આવેશ અવત્તાર, અદભૂત કથાનો છે વિસ્તાર
પરશુરામની લીલા આપાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સપ્તમ લીધો રામાવતાર, રાવણનો કીધો સંહાર
મર્યાદાનો કીધો સાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

આઠમો અદ્દભૂત કૃષ્ણાવતાર, ધર્મનો મર્મ પ્રગટ કરનાર
ભગવાત ગીતાનાં ગાનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
નવમો બુદ્ધનો છે અવતાર, સત્ય શોધવા તપ કરનાર
અહિંસાનું ગૌરવ કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ


દસમો છે કલ્કી અવતાર , દુષ્ટજનોનો વધ કરનાર
ધર્મની પરિ સુસ્થિર કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રલયથી ઉત્પત્તિ સુધીનું, આ છે અદભૂત સરવૈયું
પાર્થને આપે સ્વયં કહ્યું, શ્રી કૃષ્ણ શરણં મમઃ

જન્મ, જીવન ને મૃત્યુની આ ઘટમાળ છે રહેવાની
અનુકંપા કરો ભક્તિની, શ્રી કૃષ્ણ શરણં મમઃ
ભક્તો માટે ભયનાશક છો, દુષ્ટો માટે ભયકારક છો
ચૌદભૂવનનાં નિયામક છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ભક્તના વત્સલ એ ભગવાન કુંજવિહારી કરુણાનિદાન
ભક્તિભાવનું દો વરદાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
નિરાધારનાં આશ્રયસ્થાન, શરણાગતનાં નિર્ભયસ્થાન
ભાવિકજનનાં હૃદયવિરામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

વિઠ્ઠલ વિઠ્ઠલ મુખથી જપાય, મનમાં સ્થિરતા આવી જાય
તો જ કલેશથી મુક્ત થવાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
બાલકૃષ્ણ એ માખણ ચોર નટવર નાગર નંદકિશોર
જીવ માત્રની જીવાદોર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

મહીં ધર છો મુક્તિદાયક, ત્રિવિધ તાપનાં નિવારક
નામ સ્મરણ છે ભવ તારક, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કલ્પવૃક્ષ સમ મુક્તિમાન, મનવાંછિત ફળ કરો પ્રદાન
આશ પૂરો હે પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પુણ્યાત્માનાં પોષક છો ને દુરાત્માનાં શોષક છો
સંતજનોનાં રક્ષક છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ પ્રભુ છો દિન દયાળ દુષ્ટજનોનાં છો મહાકાળ
સૌમ્ય થી સૌમ્ય છતાં વિકરાળ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ભક્તોને જે આપે ત્રાસ, એ દૈત્યોનો કરો વિનાશ
અમને છે પૂરણ વિશ્વાસ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
માર્યા વૃષભ ને નરકાસુર, માર્યા અઘા ને બકાસુર
માર્યા પેસી શકટાસુર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

માર્યા તૃણાવૃત ચાણુર, યમલા જૂન ને શંખાસુર
માર્યો મુર કઠોર અસુર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
મામા કંસનો વધ કરી પૂતના કેરા પ્રાણ હરી
બંને જીવોની મુક્તિ કરી, શ્રી કૃષ્ણ શરણં મમઃ

દ્રૌપદીનાં રક્ષણ ને કાજ દોડયા તેજ ધરી મહારાજ
ભરી સભામાં રાખી લાજ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
દોષ દેખી દુર્યોધનનાં, બન્યા સારથી અર્જુનનાં
પક્ષકાર થયા સત્યનાં, શ્રી કૃષ્ણ શરણં મમઃ


શાસ્ત્ર ધર્મનું કરી સન્માન, ધર્મનું સહુને કરાવ્યું ભાન
યુદ્ધમાં દીધું આત્મજ્ઞાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
રચી રુડી ભગવદ ગીતા, દિવ્ય જ્ઞાનની રસ સરિતા
જનજીવન મંગલ કરતા, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પાંડવને દઈ ધર્માશ્રય, સત્ય ધર્મનો કર્યો વિજય
કૌરવ કૂળ નો થયો વિલય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ જીવો છે તમને સમાન, છતાં કરો ભક્તોનું માન
ભક્તના વાત્સલ હે ઘનશ્યામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ગિરિરાજ ધારણ કરનાર, ગોપગોપીનાં રક્ષણહાર
ઈન્દ્રનું મદ મર્દન કરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કાંત્યાયની વ્રત કરી મહાન, ગોપિકા કરે અઘટિત સ્નાન
વસ્ત્ર હરીને કીધું જ્ઞાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ

પ્રસન્ન થયા પ્રભુ કુબજા પર, સ્પર્શ થતા થઈ ગઈ સુંદર
શરણાગતનાં હે પ્રિયંકર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રિય સખા સુદામા ભણી, અનુગ્રહની અમીદ્રષ્ટિ કરી
સમૃદ્ધિની વૃષ્ટિ કરી, શ્રી કૃષ્ણ શરણં મમઃ

રુકિમણીએ લીધું શરણ, પળમાં એનું કીધું હરણ
મનોકામના કીધી પૂરણ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
દુર્વાસા ઋષિ દોડ્યાં જાય, ચક્ર સુદર્શન પાછળ જાય
અમરીષ ભક્તની કરી સહાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

હે સૃષ્ટિનાં સર્જન હાર, લીલા તમારી અપરંપાર
ઋષિ મુનિ નથી પામ્યાં પાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પાંચ વરસનાં ધ્રુવ કુમાર નિષ્ઠાથી ભક્તિ કરનાર
તેને અવિચળ પદ દેનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ભક્તિમાં શક્તિ છે જ અપાર, અહંકારને કાઢે બહાર
નોંધારાના હે આધાર શ્રી કૃષ્ણ શરણં મમઃ
હે વિભૂવર ગિરિધર ગોપાલ, દુઃખ હર્તા હે દિન દયાળ
સહુના હે પ્રણત પ્રતિપાળ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કૃપા તણા સાગર છો નાથ, ભક્તોનાં પકડો છો હાથ
સદા રહો છો એની સાથ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
વંદન છે વસુદેવ કુમાર, શ્રીમદ ભગવદ ગીતાકાર
જ્ઞાનનું અમૃત દેલાવનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ગીતા આપની વાણી છે, જ્ઞાનીજનોએ વખાણી છે
શાસ્ત્રોએ પરમાણી છે, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ અજન્મા અનાદિ છો, જળ ચેતનનાં આદિ છો
અવિરત કર્મવાદી છો , શ્રી કૃષ્ણ શરણં મમઃ


નથી ત્રિલોકે આપ સમાન, ગોપિકા વલ્લભ પ્રભુ મહાન
નટવર વપુને કોટી પ્રણામ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
બાંસુરી મધુર બજાવનહાર, બ્રહ્મનાદ ગજાવન હાર
ગોપ ગોપીનાં મન હરનાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

મુરલી મધુર વગાડો છો, મનમાં સ્થિરતા જગાડો છો
ચિત્ત ભક્તિમાં લગાડો છો , શ્રી કૃષ્ણ શરણં મમઃ
આત્માનંદ કરાવો છો અમૃત રસ રેલાવો છો
નવચેતન પ્રગટાવો છો , શ્રી કૃષ્ણ શરણં મમઃ

દિવ્ય બંસીની સુણતા તાન પશુ પંખી સહુ ભૂલે ભાન
વૃક્ષો તણા ના હાલે પાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
યમુના કેરા થંભે નીર, વૃજ વનિતાઓ બને અધીર
અવળા સહુ શણગાર શરીર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

હૈયા કોઈના રહે ના હાથ, ઝૂમે ધરતી ને આકાશ
અદભૂત રંગ જમાવે રાસ,શ્રી કૃષ્ણ શરણં મમઃ
બ્રહ્મનાદનું કરતા પાન, ઋષિમુની સહુ ધરતા ધ્યાન
દેવોના સ્થિર થતા વિમાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ

એક એક ગોપી એક એક કાન, રાસ રમે સહુ થઇ ગુલતાન
પીએ પ્રેમ રસ થઇ મસ્તાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પ્રભુ રમ્યાં ગોપિકા સંગ,પરાગયો સહુ ને ઉર ઉમંગ
જીવ બ્રહ્મનો ધન્ય પ્રસંગ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

રાસ રામે ગોપી ને કાન, ગાતા દિવ્ય મધૂરાં ગાન
કરતાં પ્રેમ સુધાનું પાન, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સુરમુનિવર જોવા લોભાય, રાસલીલા નિરખી હરખાય
પુષ્પવૃષ્ટિ કરી કૃતાર્થ થાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કૃષ્ણ કૃષ્ણ રસ નાખી રટાઇ, દામોદર નું ચિંતન થાય
ભવ બંધનથી છૂટી જવાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
હરિ ભજતા હરિરૂપ થવાય, કીટ ભ્રમરનો એ છે ન્યાય
પરમાનંદની પ્રાપ્તિ થાય શ્રી કૃષ્ણ શરણં મમઃ

જ્યાં સુધી ચાલે શ્વાછોસ્વાસ, ઉરમાં ભરવો અતિ ઉલ્લાસ
અવિરત રટવા પુંડરીકાક્ષ, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સર્વ સમર્પણ કરીને જુવો પ્રાણ જીવનનાં થઇને જુવો
મહામંત્ર આ જપી ને જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સાત્વિક પ્રિતી કરીને જુવો, રાધા રમણને મળીને જુવો
પ્રેમ સુધા રસ પી ને જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કાન ની ગોપી બની તો જુવો, રાસ હૃદયથી રમી તો જુવો
તન મન અર્પણ કરી તો જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ


વ્રજની વનિતા બની તો જુવો, અંતઃકરણથી નમી તો જુવો
વિરહ વેદના ખામી તો જુવો , શ્રી કૃષ્ણ શરણં મમઃ
નામ હરિનું ભજી તો જુવો, હું કાર હું નો ત્યજી તો જુવો
માધવ મનથી યજી તો જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ

રાધે રાધે રટી તો જુવો , કૃષ્ણ કૃષ્ણ એમ કથી તો જુવો
પ્રેમ સુધા રસ મથી તો જુવો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
સાચી ભક્તિ કરી તો જુવો, વિરહ અગનમાં બળી તો જુવો
મદન મોહનને મળી તો જુવો શ્રી કૃષ્ણ શરણં મમઃ

મુખથી જનાર્દન નામ જપાય, કોટી જન્મનાં પાપ કપાય
જીવન સુખ શાંતિમાં જાય શ્રી કૃષ્ણ શરણં મમઃ
ખોટા મન થી કૃષ્ણ કહો કૃષ્ણ તમારો થઇ જ ગયો
ત્યાર પછી તો ભયો ભયો શ્રી કૃષ્ણ શરણં મમઃ

મહા વિષમ છે આ કળી કાળ, તપ વ્રત કાંઈ ના વહે લગાર
નામ સ્મરણ બસ છે આધાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
જૂઠી છે જગની જંજાળ, સત્ય નામ છે શ્રી ગોપાલ
જગન્નાથ છે તારણ હાર, શ્રી કૃષ્ણ શરણં મમઃ

કરુણાકરની કરુણા થાય, મૂર્ખજનો પંડિત બની જાય
રંક થી રાય બની પૂજાય,શ્રી કૃષ્ણ શરણં મમઃ
ઈશ્વરની અનુકંપા થાય મૂંગા ને વાચા મળી જાય
પંગુ ગિરી ઓળંગી જાય શ્રી કૃષ્ણ શરણં મમઃ

અંધકારનો નાશ કરે, ઉર માં દિવ્ય પ્રકાશ કરે
જીવનમાં ઉલ્લાસ ભરે, શ્રી કૃષ્ણ શરણં મમઃ
જન્મ મરણને ટાળે છે, પાપ પુંજ ને બાળે છે
જ્ઞાનાગ્નિ પ્રગટાવે છે, શ્રી કૃષ્ણ શરણં મમઃ

ધર્મનું જ્ઞાન કરાવે છે, મનનાં રોગ મટાડે છે
સત્યનો પંથ બતાડે છે શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃપા પ્રભુ કેશવની થાય, નામ સ્મરણ માં પ્રીતિ થાય
ભવ સાગર ને તારી જવાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

નરથી નરની કરણી થાય, નર નારાયણ સમ થઇ જાય
પારસથી પારસ થઇ જાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
દાસ પ્રભુનાં જે થઇ જાય દાસનાં દાસ પ્રભુ થઇ જાય
લીલામાં પણ લીલા થાય શ્રી કૃષ્ણ શરણં મમઃ

કૃષ્ણનો વૈભવ જોવા ગયાં, અનંત લીલા જોતા ગયાં
નિરખી નારદ વિસ્મિત થયાં, શ્રી કૃષ્ણ શરણં મમઃ
પરમ કૃપાળુ પરમાનંદ, જીવ માત્રનાં આનંદ કંદ
પાય ધરી લો યશોદા નંદ, શ્રી કૃષ્ણ શરણં મમઃ


જગન્નાથની કરુણા થાય, માનવ જન્મ સફળ થઇ જાય
બિંદુ સાગર માં ભળી જાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ
કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી
ચિત્તથકી કે અહંકાર થી, કે પ્રકૃતિ કે સ્વભાવથી

કરેલી ભૂલો, થયેલા દોષો, બધું જ ભૂલી ખરા હૃદયથી
તમારે શરણે આવી ગયો છું, શ્રી કૃષ્ણ શરણં મમઃ
તમે આમારી માતા છો ને તમે પિતા છો પાલક છો
તમે જ બંધુ બની ઉભા છો તમે જ મિત્ર પરિચિત છો

તમે જ અક્ષય દ્રવ્ય આમારા, તમે જ વિદ્યા નિર્મળ છો
તમે જ અમારા સર્વ સ્વજન છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
અનંત ઊંડો સાગર હો ને નગાધિશ સમ કાજળ હો
કલ્પવૃક્ષનું કિત્તુ હો ને પૃથ્વી જેવડો કાગળ હો

માત સરસ્વતી ગુણો કથે ને ,ગણેશજી એ લખતા હો
કોઈ ભીતિ નહિ અંત એવા શ્રી કૃષ્ણ શરણં મમઃ
આ જપમાળા જે કોઈ ગાય એને કૃષ્ણની ઝાંખી થાય
અંત સમયે વ્રજમાં લઇ જાય, શ્રી કૃષ્ણ શરણં મમઃ

સહુ ભક્તો આ મંત્રો ગાવ, કૃષ્ણ પ્રભુમાં સાયુજ્ય થાવ
વૈકુંઠે વિઠ્ઠલનાં થાવ, મહા રાસમાં બુદ્ધિ થાવ
રોમે રોમથી પુલકિત થાવ બ્રહ્મનાદનાં સ્વરc બની જાવ
રાધા સ્વામી પ્રસન્ન થાવ શ્રી કૃષ્ણ શરણં મમઃ
શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ

~~~~~~~~~~~~~~~~