શ્રીજી મહારાજની રુચિ અને અભિપ્રાય ના જાણકાર એવા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામિ એ નીચેનું કીર્તન રચ્યું ;- ધન્ય ધન્ય એ સંત સુજાણને,
જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ ૧
આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત ૨
જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત ૩
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત ૪
જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત ૫
જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત ૬
જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના† પાવ... સંત ૭
જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત ૮
એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત ૯
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત ૧
એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી‡ દૂર... સંત ૧૧
કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત꠶ ૧૨
સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના આ કીર્તન ઉપરથી વરસો પૂર્વે પ્રમુખ સ્વામિ મહારાજ ની આણંદ ખાતે ઉજવાયેલ જન્મ જયંતી નીમ્મીતે સંતોએ નીચેના સુંદર વીડીયો નું નિરૂપણ કર્યું.