Monday, March 26, 2018

મારી નજરે - માનવ જીવન - લેખાંક (૪)

પ્રસંગ (૪)

આજથી ૧૮ વર્ષ પહેલા કુવૈત માં સત્સંગ શિબિર દરમ્યાન પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીને મુખે સાંભળેલ આ પ્રસંગ વિષે અહિયાં હું કોઈ દસ્તાવેજી પ્રમાણ આપી શકું તેમ નથી. પ્રસંગ આ મુજબ છે.

અમદાવાદ માં કાપડ ની મિલના માલિક એક અતિ ધનાઢ્ય શેઠ રહેતા હતા. સત્યસંકલ્પ સ્વામીએ ૨૦૦૦ ની સાલમાં આ પ્રસંગ કહ્યો ત્યારે તે શેઠ જીવતા હતા અને તેમનું નામ પણ જણાવેલ જે હવે મને યાદ નથી. કુટુંબ પરંપરા અનુસાર આ શેઠે જીવન પર્યંત અમદાવાદના ભદ્રના કિલ્લા માં આવેલ ભદ્રકાળી માતાજી ની પૂજા અર્ચના અને આરાધના અતિ ભક્તિભાવ પૂર્વક કરેલ. તેની ફલશ્રુતિ રૂપે ભદ્રકાળી માતાજી તેમના ઉપર પ્રસન્ન થઈને સ્વપ્ન માં દર્શન આપ્યા અને શેઠ ને વરદાન માંગવા કહ્યું.

વયોવ્રદ્ધ ઉંમરે પહોચેલા શેઠે માતાજી ને કીધું કે "ધન દોલત સંતાન સુખ સાહ્યબી આ પૃથ્વી ઉપર નો માનવી જે કાઈ પણ અપેક્ષા રાખે તે બધુજ મારી પાસે છે. હવે તો ઉંમર થઇ છે, એટલે મ્રત્યુ પછી આ જીવને મોક્ષ પ્રાપ્તિ થાય એટલી એક અરજ મારી કૃપા કરીને સ્વીકારો." "ત્યારે મા ભદ્રકાળી એ કીધું  કે શેઠ હું તો શક્તિ ની દેવી છું. તમારા ગમે તેવા શક્તિશાળી દુશ્મન સામે તમે જીત મેળવી શકો, તમારા બધાજ દુશ્મનો ધૂળ ચાટતા થઇ જાય તેવું વરદાન આપી શકું.તમારા ધન ભંડાર છલકાઈ જાય તેવી શક્તિ આપી શકું. પણ મોક્ષ ને આપનાર તો એક માત્ર કાલુપુર મંદિરના રંગ મહોલ માં  વિરાજમાન ઘનશ્યામ મહારાજ છે."

ત્યારબાદ આ શેઠે ભદ્રકાળી માતાજી એ કહ્યા મુજબ કાળુપુર મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ ની એવીજ ભક્તિ ભાવ પૂર્વક આરાધના શરુ કરી. અને એક દિવસ રંગ માહોલમાં બિરાજમાન આ ઘનશ્યામ મહારાજે પોતાના ગળા માં રહેલો ફૂલ નો હાર આ શેઠને પહેરાવી તેમની ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિની અરજ સ્વીકારી.

આ પ્રસંગ ની વાત કર્યા પછી સત્યસંકલ્પ સ્વામી એ બે વાત કહેલ (૧) આ હકીકત  વિષે જેને પણ કાઈ શંકા -કુશંકા હોય તેમણે અમદાવાદ સ્થિત આ શેઠ (નામ દઈને ) નો સંપર્ક કરી શકે છે. (૨) મારી સત્સંગ સભામાં આવતા સૌ હરિભક્તો ને મારી એક નમ્ર વિનંતી છે. કે સભા બાદ બહાર નીકળ્યા પછી જો તમારે મન ગમતી રીતે જીવન જીવવું હોય - જેમકે શિક્ષાપત્રી માં નિષેધ કરેલ 'લસણ - ડુંગળી અને બહાર ની હોટલ ખુમચા નું જ્યાં ત્યાં ખાવું હોય, તો કૃપા કરીને હવે પછી મારા સત્સંગમાં આવવાની તકલીફ લેશો માં. તમોને તો કશો ફર્ક નહિ પડે પણ મારું સાધુપણું જરૂર લજવાશે. લોકો કહેશે - સત્યસંકલ્પ સ્વામી ના સત્સંગમાં જતો હરિભક્ત આવો શિક્ષાપત્રી માં મહારાજે આપેલ આજ્ઞા નો લોપ કરવા વાળો?"

સુજ્ઞ વાંચકો, આ પ્રસંગ ઉપર થી વિચારી જોજો - મંથન કરજો કે અનાજ વેચતી રેશનીંગની દુકાન ની લાંબી લાઈન માં ઉભી રહેલ કોઈ વ્યક્તિ પોતાનો નંબર આવે ત્યારે દુકાનદાર પાસે જલેબી - ફાફડા માંગે અને દુકાનદાર તેને કંદોઈ ની દુકાને જવા કહે તેવી ભૂલ જીવન માં તમે તો કરી રહ્યા નથી ને ?


પ્રસંગ (૫)

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છ-ગુજરાતમાં આવેલ વિનાશકારી ભૂકંપ પછી ભુજમાં બીએપીએસ સંસ્થા દ્વારા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ના માર્ગ દર્શન નીચે રાહત કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે ભારત સરકાર ના મુખ્ય વિજ્ઞાનિક સલાહકાર તરીકે ભુજ માં ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ અને પૂજ્ય બ્રહ્મવિહારી સાહેબ ની પ્રથમ મુલાકાત થયેલ. ત્યારે આપણા કલામ સાહેબ ઓક્ષફોર્ડ યુનીવર્સીટી ના ગોલ્ડ મેડલીસ્ટ અને જનસંપર્કમાં  નિષ્ણાત બ્રહમવિહારી સ્વામી થી અતિ પ્રભાવિત થયા. એટલુંજ નહી પણ બ્રહમવિહારી સ્વામી ના ગુરુ અને બીએપીએસ સંસ્થાના પ્રમુખ સ્વામી ની વ્યક્તિગત મુલાકાત માટે ઉત્સુક થયા.

પછી તો રામેશ્વરમ ના માછલી પકડવાનો વ્યવસાય કરતા એક મુસ્લિમ પરિવારમાં જન્મ લઈને, રોકેટ અને અણુ વિજ્ઞાનમાં ઉચ્ચ ડીગ્રી મેળવી ભારતના રાષ્ટ્રપતિ તરીકે નો સૌથી ઉંચો હોદ્દો મેળવનાર  ડોક્ટર કલામ સાહેબ અને હિંદુ જન સમુદાય ના જગત વંદનીય બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી વચ્ચે એક અનેરો સેતુ રચાયો.

ગુજરાતી માતૃભાષા વાળા પ્રમુખ સ્વામી અંગ્રેજી ભાષા નહોતા જાણતા અને તેમનું હિન્દી પણ બાવા બન્યા એટલે હિન્દી બોલના પડતા હૈ જેવું હતું. તો બીજી તરફ તામીલ માતૃભાસી કલામ સાહેબ નું  હિન્દી પણ એવુજ હતું. એટલે બંને વચ્ચેના  વાર્તાલાપ માં ઘણુખરું પુ.બ્રહ્મવિહારી સ્વામી દુભાષિયા નો પાઠ ભજવતા. આવા વાર્તાલાપ ની પુ,બ્રહ્મવિહારી સ્વામીએ તેમના પ્રવર્ચનો દ્વારા આપેલી કેટલીક રસપ્રદ માહિતી નું આચમન કરીએ.

એક વખત કલામ સાહેબે પૂછાવ્યું કે સ્વામી ને પૂછો  કે મને સાધુ બનાવશે કે? તો સ્વામી એ ઉત્તર માં કહેવડાવ્યું કે - તમોએ લગ્ન કર્યા નથી અને સાધુ જેમ માનવ સેવા કરે છે તેમ તમો પણ રાષ્ટ્રપતી તરીકે દેશની સેવા કરો છો. એટલે તમે સાધુ જ છો.

તો એક વખત કલામ સાહેબે સ્વામીને તેમના સૌ સંત મંડળ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રોકાણ અને ભોજન લેવા આમન્ત્રણ મોકલાવ્યું. તેના જવાબ માં સ્વામીએ મર્માળુ હાસ્ય કરીને કીધું કે - બ્રહમવિહારી, કલામ સાહેબે તો આમન્ત્રણ પાઠવ્યું. પણ આપણે સાધુઓ નો સંઘ રાષ્ટ્રપતિ ભવન માં લઇ જતા પહેલા યજમાન ને તકલીફ ના પડે તેનો વિચાર તો કરવો જોઈએ ને. આપણા ૧૦૦ - ૧૫૦ સાધુઓ નો સંઘ રાષ્ટ્રપતી ભવન પહોંચે અને વહેલી સવારે રાષ્ટ્રપતી ભવન માં દોરી ઉપર ૧૦૦ - ૧૫૦ જેટલા ભગવા ધોતિયા સુકવાય તો મેડિયા અને છાપાવાળા ને તો હો -હા કરવાનું બહાનું મળી જાય. એટલે કલામ સાહેબ ને  કહો કે તમે જયારે જયારે  અમોને યાદ કરશો ત્યારે અમે તમારી સાથેજ  હોવાની પ્રતીતિ કરાવશું. અને ત્યારબાદ આવી અનેક અનુભૂતિ થયાની નોંધ  કલામ સાહેબે તેમના પુસ્તક TRANSCENDENCE માં લખી છે.

પુ.બ્રહ્મવિહારી સ્વામી એ કલામ સાહેબ ના રામેસ્વરમ ખાતે ના ઘરની  બે વખત લીધેલ મુલાકાત ના સંદર્ભ માં વધુમાં જણાવે છે કે; પહેલી વખત ની મુલાકાત દરમ્યાન કલામ સાહેબે એક અલાયદા રૂમમાં તેમને મળેલા મેડલો, માન-ઈલ્કાબ ના સર્ટીફીકેટો, મહાનુભાવો સાથેની તેમની મુલાકાત ના ફોટાઓ, તેમણે લખેલ પુસ્તકો વગેરે મુલાકાતીઓ ની જાણ માટે પ્રદર્શન માં મુકેલ.

બીજી અને છેલી મુલાકાત દરમ્યાન તેઓ એ જોયું કે કલામ સાહેબે પ્રદર્શન માં મુકેલ બધીજ વસ્તુઓ ને એક લાકડા ની મોટી જૂની પેટી માં પધરાવી દીધેલ. તેમને મળેલ ભારત રત્ન ના ઈલ્કાબ નું સર્ટીફિકેટ પણ રદ્દી ની માફક પેટી માં પુરાઈ ગયેલ. તેમના જીવન માં આ બદલાવ પ્રમુખસ્વામી જોડે ની તેમની કેટલીક મુલાકાતો બાદ આવેલ. સ્વામી જોડે ના આત્મીય જોડાણ પછી તેઓ એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે પૃથ્વી ઉપરના જીવન દરમ્યાન તમણે મેળવેલ બધીજ સિદ્ધિ ની અવધી હવે પૂરી થઇ ગઈ હતી.

રોકેટ વિજ્ઞાની કલામ સાહેબે તેમના પુસ્તક TRANSCENDENCE માં લખ્યું છે કે
"મારા અંતિમ ગુરુ પ્રમુખ સ્વામી એ મને એવી ભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે કે હવે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂરત રહી નથી"

સુજ્ઞ વાંચકો, વિચારો, મનોમંથન કરો કે તમે કઈ ભ્રમણકક્ષા માં જવા કેવા પ્રયત્નો અને કેવી પ્રવૃત્તિ કરી રહ્યા છો ?????

Sunday, March 25, 2018

મારી નજરે - માનવ જીવન - લેખાંક ( 3 )

માનવ જીવન - ( 3 )

પ્રસંગ ( ૧ )

સુંદરિયાણાના વણિક હેમરાજ શાહ વલ્લભાચાર્યના અનન્ય ભક્ત, દ્રઢ, સેવક અને  ચુસ્ત વૈષ્ણવ હતા. તેઓ
નિષ્ણાત નાડી પરીક્ષણ વૈદ પણ હતા. તેમના ત્રણ દીકરા વનાશા,પૂજાશા,જેઠાશા તથા એક ભત્રીજા ભગાશા હતા. ત્રણેય ભાઇઓ અને ભત્રીજા ને શ્રીજી મહારાજના સંત થકી સત્સંગ થયેલો અને તેઓ સ્વામિનારાયણ ભગવાન ની  દિવ્યતા અંગે વાતો કરતા. આ વાત વલ્લભાચાર્યના અનન્ય વૈષ્ણવ ભક્ત અને તે વખતના ખ્યાતનામ વૈદ હેમરાજ શાહ ને રુચતી નહી.

એક વખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ગામ સુંદરીયાણાં પધાર્યા. ત્યારે ત્રણેય ભાઈઓ સ્વામીને તેમના પિતાશ્રી હેમરાજ શાહ ની સ્વામિનારાયણના . સત્સંગ બાબતમાં નારાજગી ની વાત કરી. ત્યારે સ્વામી કહે તેમને અહિયાં બોલાવી લાવો તો કહે તેઓ અહિયાં નહિ આવે. એટલે સ્વામીએ લીલા કરી, મંદવાડ ધારણ  કરી નાડી જોવા વણિક વૈદરાજ હેમરાજ શાહ નેબોલાવ્યા.

હેમરાજ શાહે જ્યાં જ્યાં નાડી પરીક્ષણ કર્યુ.ત્યાં તેમને નાડી અદ્રશ્ય થયેલી જણાઇ છતાં ગોપાળાનંદ સ્વામી સ્વસ્થ જણાયા.આથી હેમરાજભાઇને ખૂબ આશ્ચર્ય થયું અને તેઓ પગે પડી ગયા. અને પછી સ્વામીને હાથે વર્તમાન ધારણ કરી સ્વામિનારાયણ ના સત્સંગી થયા.

પ્રસંગ (૨)

સુરેન્દ્રનગર જીલ્લાના ભદ્રેશી, રાજ-સીતાપુર, ડુમાણા નામના ગામો મા આજ થી ૧૨૫ વરસો પૂર્વે કેટલાક સ્થાનકવાસી જૈન કુટુંબો રહેતા હતા. તેમાંના એક શ્રાવક કુટુંબમાં એક બાળક નો જન્મ થયો. નાની ઉંમરમાં જ માતા-પિતા ની છત્ર-છાયાં ગુમાવનાર આ બાળક નો પછી ડુમાણા ગામમાં જૈન શ્રાવક લવજી કાકા ને ત્યાં ઉછેર થયો. ભણવા માં અતિ બાહોશ અને તેજસ્વી આ વણિક વિદ્યાર્થી મેટ્રિક પાસ કરીને તે વખત ની બ્રિટીશ સરકાર માં સારા પગાર ની નોકરી મળવાથી સુરેન્દ્રનગર આવ્યો. સુરેન્દ્રનગર માં અત્યારે પણ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ એક મોટા પ્લોટ ઉપર ની મંદિર ની માલિકીના મકાનો/દુકાનો છે. તેમાંના એક મકાનમાં ભાડુઆત તરીકે સ્થાયી થઇ ઘર સંસાર શરુ કર્યો. સુરેન્દ્રનગર થી આશરે ૧૦૦ કિલો મીટરના અંતરે મુળી ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ની આજ્ઞા થી સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ની દેખરેખ નીચે એક ભવ્ય મંદિર બન્યું છે. મુળી મંદિર ને લીધે સંપ્રદાય ના તપસ્વી અને વચન સિદ્ધ સંતો ની સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે અવર જવર વધી ગયી.

આવાજ કોઈ તપસ્વી અને વચન સિદ્ધ સ્વામિનારાયણ ના સંત થી પ્રભાવિત થઇ ડુમાણા ગામ થી સુરેન્દ્રનગર આવી વસેલે મૂળ સ્થાનકવાસી જૈન શ્રાવકે વર્તમાન ધારણ કરી સ્વામિનારાયણ ની કંઠી પહેરી. એટલુજ નહિ પણ પછી તો નિત્ય સવારે પૂજા -જપમાળા અને તિલક ચાંદલો કરતા ચુસ્ત સત્સંગી બન્યા. સંત કૃપા એ નોકરી માં પોસ્ટ માસ્ટર નો ઉચ્ચ હોદ્દો અને હોદ્દા ની રુએ બ્રિટીશ સરકાર તરફ થી જુનાગઢ ડીસ્ટ્રીકની પોસ્ટ ઓફિસો નું નિરીક્ષણ કરવા માટે સગરામ (સુવા બેસવાની સુવિધા અને છતવાળું ગાડું), સગરામનો ચાલક કમ નોકર અને રસોઈયા ની પણ સુવિધા મળી. ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના આશ્રીતો ને વચન આપેલ છે -

"મારા જન ને અંત કાળે જરૂર તેડવા આવું, એ બિરુદ મારું કદી ના ફરે તે સૌ હરિ  જન ને જણાવવું".

તે મુજબ આ  સત્સંગી હરિભક્ત ના અંતકાળે શ્રી હરિ તેમને તેડવા આવેલ. તેની નિશાની રૂપે તેમના મૃતક દેહ ને લીપણ કરેલ જે જગા પર મુકેલ ત્યાં બીજે દિવસે પાંચ કુમ કુમ ની ઢગલીઓ તેમના કુટુંબી જન ને જોવા મળેલ. ડુમાણા ના સ્થાનકવાસી જૈન શ્રાવક સુરેન્દ્રનગર આવી વસેલ અને સ્વામિનારાયણના  તિલક ચાંદલો કરતા ચુસ્ત સત્સંગો બનેલ તે ગ્રહસ્થ એટલે કે આ લખનાર ના દાદા મોહનલાલ જીવનલાલ શાહ.


પ્રસંગ (3)

ધાર્મિક અને રૂઢીચુસ્ત શીખ કુટુંબ માં એક બાળક નો જન્મ અને ઉછેર થાય છે. શ્રીમંત અને સુખી કુટુંબ માં જન્મેલ એ બાળક પછી અમેરિકામાં અભ્યાસ કરી ત્યાની ખ્યાતનામ યુનીવરસીટી ઓ માંથી સિવિલ એન્જીન યરીંગ ની કેટલીક ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી બહેરીન આવે છે. બહેરીનમાં સિવિલ એન્જીનયરીંગ કોન્ટ્રાકટર તરીકે પોતાની કંપની શરુ કરી સફળતા અને સમૃધી મેળવે છે.

બાળપણ થી જ ધાર્મિક વાતાવરણ માં ઉછરેલ આ વ્યક્તિ ૫૦ - ૫૫ ની વયે વ્યવસાયિક પ્રવૃત્તિ માંથી સમય ફાળવી અધ્યાત્મ માર્ગે આગળ વધવા માતા -પિતા તરફ થી વારસા માં મળેલ શીખ ધર્મના પુસ્તકો નું અધ્યન શરુ કરે છે. આ અધ્યયન - અભ્યાસ દરમ્યાન આ બુદ્ધિ જીવી ગ્રહસ્થ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે શીખ ધર્મ માં જ્યાં સુધી ગુરુ પરમપરા હતી ત્યાં સુધી તો ઠીક હતું. પણ ત્યારબાદ ગુરુની જગાએ ગ્રન્થ સાહેબ ની પ્રથા શરુ થઇ તેમાં આ મુમુક્ષુ જીવ ને સંતોષ થયો નહિ. એટલે તેમણે ભારતમાં બીજા ક્યા ધર્મ/સંપ્રદાય માં આજે પણ ગુરુ પરંપરા જળવાઈ રહી છે તેની શોધ શરુ કરી. તેમની આ જીગ્નાશાવ્રત્તી તેમને પ્રમુખ સ્વામી મહારાજ  પાસે ખેંચી લાવી. પહેલીજ મુલાકાતે તેમણે જન્મો-જન્મ ના ગુરુ-ચેલા ના મિલન થયાની અનુભૂતિ કરી. પ્રમુખસ્વામી મહારાજ ને ગુરુ તરીકે સ્વીકારી લીધા, સ્વામિનારાયણ ના સત્સંગી થયા. એટલુજ નહિ સ્વામિનારાયણ સંપ્રદાય ના ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ બધાજ પુસ્તકો નું પોતે અધ્યયન કરી શકે તે હેતુ થી બહેરીન દેશમાં ૫૦/૫૫ ની જૈફ વયે ગુજરાતી ભાષા શીખી લીધી.

એ ગ્રહસ્થ એટલે બીએપીએસ એક પરિવારના સૌ સભ્યો ના જાણીતા-માનીતા સરદાર શ્રી જસબીર સીંઘ.આ લખનારે ૨૦૦૧ ના વર્ષમાં બહેરીન મંદિર ની મૂર્તિ પ્રતિષ્ટા દરમ્યાન તેમની મહેમાન ગતિ માણી છે અને ગુરુભક્તિ નજરે નિહાળી છે. સ્વીમીંગપુલ માં પોતાના ગુરુ ને સ્વીમીંગ કરતા દર્શન કરવાના ઉદ્દેશ થી તેમણે
બહેરીન સ્થિત તેમના રહેણાંક માં સ્વીમીંગ પુલની વ્યવસ્થા કરેલ. ગુરુ ની આજ્ઞા પાળવાને તત્પર એવા જસબીર સિંહે પ્રમુખસ્વામી ના કહ્યા મુજબ બહેરીન સ્થિત પોતાની કંપનીમાંના  માલિક/ભાગીદાર ના હક્ક ત્યજી આજે એક પગારદાર મેનેજર તરીકે કાર્ય કરવાનું સ્વીકાર્યું છે. ગુરુ પાસે પ્રશનતા ની અનુભૂતિ સાથે ઢોલ વગાડતા લીલા જેકેટ માં શ્રી જસબીરસીંઘ નજરે પડે છે.



(ક્રમશ)





Friday, March 23, 2018

મારી નજરે, માનવ જીવન - લેખાંક (૨)

માનવ જીવન (૨)

બાળક સમઝણુ થાય કે તેને મળેલી માહિતી ના આધારે ડોક્ટર, એન્જીનયર, સી.એ. શિક્ષક -પ્રોફેસર, પાયલોટ કે કેપ્ટન બનવાના સપના જોતા જોતા તે પ્રમાણે સ્કુલ/કોલેજ માં અભ્યાસ શરુ કરી દ્યે છે. તેમાં પણ અમુક નામાંકિત અને શ્રેષ્ઠ સ્કુલ/કોલેજ માં જવાનો જ આગ્રહ રાખે. પછી સમયાંતરે સ્વાનુભવે જરૂર પ્રમાણે પોતે પસંદ કરેલ કારકિર્દી માં બદલાવ કરીને આગળ વધતો રહે છે. અભ્યાસ પૂરો થાય એટલે વધારે ઉન્નતી - તક ની શોધ માં જન્મભૂમિ/ગામ છોડી બીજા મોટા શહેરમાં રહેવા જાય. અને તેનાથી પણ  આગળ વધી પરદેશમાં કોઈ અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ન્યુ ઝીલેન્ડ, સિંગાપોર,યુરોપ, આફ્રિકા, કે મિડલ ઇસ્ટ વગેરે દેશમાં જાય છે.

પણ તેનાથી વિપરીત, બાળકે  જે ધાર્મિક માન્યતા/વિચાર ધારા વાળા કુટુંબ માં જન્મ લીધો હોય તે જ ધાર્મિક માન્યતા/વિચારધારા સાથે વળગી રહે છે. જૈન કુટુંબ માં જન્મ ધારણ કરેલ પોતાને જૈન તરીકે ઓળખાવવા માં ગૌરવ અનુભવે છે, તો વૈષ્ણવ કુટુંબ માં જન્મ લેનાર પોતાને વૈષ્ણવ, શિવ ઉપાસના કુટુંબ માં જન્મ લેનાર શીવપંથી, શીખ કુટુંબ માં જન્મ લેનાર શીખ, મુસ્લિમ કુટુંબ માં જન્મ લેનાર મુસ્લિમ અને પારસી કુટુંબમાં જન્મ લેનાર પોતાને પારસી તરીકે ઓળખાવવામાં ગૌરવ લે છે. આ પરંપરા વરસો થી ચાલી આવી છે અને તેમાં કશું ખોટું નથી. પણ વ્યવસાયિક કારકિર્દી માં સતત ઉન્નતી માટે જેટલું લક્ષ્ય અપાય છે, તેટલૂ ધ્યાન આધ્યાત્મિક માર્ગે ઉન્નતી કરવા માટે જવ્વલે જ જોવા મળે છે.

આપણે જાણીએ છીએ કે એન્જીનીયરીંગ કોલેજ નો વિદ્યાર્થી એન્જીનયર, મેડીકલ કોલેજ નો વિદ્યાર્થી ડોક્ટર વગેરે વગેરે બને છે. તેવીજ રીતે  પોતાને જૈન તરીકે ઓળખાવનાર વ્યક્તિ એ  જન્મ-જન્માંતરે "કેવળ જ્ઞાનની સ્થિતિ" એ પહોચવાનો  માર્ગ  જાણ પણે કે અજાણપણે પસંદ કર્યો હોય છે. અને વૈષ્ણવ વ્યક્તિ એ શ્રી કૃષ્ણ નું શરણ સ્વીકારી ગોલોક માં અને શિવપંથી એ શિવલોક, વિષ્ણુના ઉપાસકે બદ્રિકાશ્રમ, અને શ્રી રામના ઉપાસકે વૈકુંઠમાં પહોચવાનો માર્ગ પોત પોતાની રીતે સૌ એ પસંદ કર્યો હોય છે.

પોત પોતાના માર્ગે ચાલતી વ્યક્તિ એ ક્યારે પણ એ માર્ગે ચાલતા પોતે ક્યા ધામ માં પહોંચશે અને શા માટે એ જ ધામ માં જવા પ્રયત્ન કરી રહ્યો છે તેનો કદી પણ ક્યારે ય વિચાર કર્યો હોય છે? જવાબ જો "હા" હોય તો સારી વાત છે. પણ જવાબ જો "ના" હોય તો દરેક સમજદાર વ્યક્તિ એ આ બારામાં જરૂર વિચારી જોવું. 

આપણે જાણીએ છીએ તેમ ૬૦ ની વયે નોકરીયાત વ્યક્તિની વ્યાવસાયિક કારકિર્દી નો અંત આવે છે. નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવેલ મોટાભાગના લોકો બીજી કોઈ નોકરી કે વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ રાખે છે. તો સ્વયં રોજગારવાળી વ્યક્તિ સ્વયં નિવૃત્તિ વિશે ભાગ્યેજ વિચારે છે. વ્યવસાયિક નિવૃત્તિ બાદ પણ પોતાને ગૌરવ પૂર્વક જૈન, અથવા  વૈષ્ણવ તરીકે ઓળખાવનાર વ્યક્તિ એ પોતે પસંદ કરેલ આધ્યાત્મ માર્ગ ઉપર "કેવળ જ્ઞાનની સ્થિતિ" કે ગોલોક ધામ માં પહોચવા માટે કેટલી  પ્રગતી કરી તેનો ભાગ્યેજ વિચાર કરે છે.

વ્યવસાયિક કારકિર્દી માટે વ્યક્તિ પાસપોર્ટ મેળવ્યા પછી જે તે દેશમાં પહોચવા વિસા પ્રાપ્તિ માટે જરૂરી બધાજ નિયમ પાલન માટે સજાગ હોય છે. પણ  પોતાને ગૌરવ પૂર્વક જૈન કે વૈષ્ણવ તરીકે ઓળખાવતી વ્યક્તિ તે માટે ના જરૂરી બધાજ નિયમો નું ભાગ્યેજ પાલન કરતી હોય છે. આજે ભગવાન મહાવીર ના અહિંસા પાલન નિયમ નું ગાન ગાતા જૈન સમાજમાં  ભગવાન મહાવીર ના "અપરિગ્રહ" સિદ્ધાંત નું પાલન કરતા કેટલા? અને આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા એ તેમના પદ "વૈષ્ણવ જન તો તેને રે કહીએ" વ્યાખ્યા માં બંધ બેસતા કૃષ્ણ ભક્ત વૈષ્ણવો કેટલા?

મતલબ કે જ્યાં સુધી આધ્યાત્મ માર્ગ ને લાગે વળગે છે ત્યાં સુધી પોતાને જૈન કે વૈષ્ણવ તરીકે ગૌરવ પૂર્વક ઓળખાવનાર વ્યક્તિ હકીકત માં તો એક ભ્રમણા માં જીવન જીવી માનવ જીવન પૂરું કરતી હોય છે. સમજદાર વ્યક્તિએ આ આભાસી દુનિયા માંથી બહાર નીકળી વાસ્તવિક દુનિયા માં આવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. હવે પછી ની પોસ્ટ માં આવી કેટલીક સમજદાર વ્યક્તિઓ વિષે જાણકારી મેળવીશું.





મારી નજરે, માનવ જીવન - લેખાંક ( ૧ )

માનવ જીવન - ( ૧ )

આપણું માનવ જીવન એટલે પરીક્ષાઓ ની હારમાળા.

બાળક સમજણું થાય એટલે પહેલા સ્કુલમાં એડમીશનથી લઇ ને પછી શાળા-મહાશાળાઓ માં વરસો
વરસ પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ડીગ્રી-પદવી પ્રાપ્ત કરી લે ત્યાં સુધી પરીક્ષાઓ આપ્યા કરે. ત્યારબાદ પહેલા નોકરી અને પછી નોકરીમાં બઢતી - પ્રમોશન માટે ની પરીક્ષાઓ આવે. પછી ઘરસંસાર શરુ કરતા પહેલા વર-કન્યાએ એક બીજાની સ્વીકૃતિ પામવાની પરીક્ષામાંથી પસાર થવાનું. અને સંસાર માંડ્યા પછી ઘર સંસારની અનેક જવાબદારીઓ નિભાવવાની પરીક્ષાઓ ની હારમાળા ચાલુ જ રહે છે.

આ પ્રક્રિયામાંથી આપણે સૌ પસાર તો થઇએ છીએ. પણ તે દરમ્યાન આપણે એક વિદ્યાર્થી તરીકે, એક કર્મચારી કે સાહેબ તરીકે, એક નોકર કે શેઠ,એક પુત્ર કે પુત્રી, એક ભાઈ કે બહેન, એક પતિ કે પત્ની, એક પિતા કે માતા, એક જમાઈ કે વહુ, એક સાસુ કે સસરા,  એક દાદા કે દાદી, એક નાના કે નાની તરીકે કેટલા સફળ કે નિષ્ફળ રહ્યા તેનો જવ્વલેજ વિચાર કરીએ છીએ.

હા! આપણે કેટલી ધન સંપત્તિ કે બેંક બેલેન્સ વધારી કેટલું શેર, બોન્ડ, સોનું - ઝવેરાત, બંગલા-ગાડી,
દુકાન, ફેક્ટરીમાં રોકાણ કર્યું તેનો સતત વિચાર કરતા રહીએ છીએ. અને તે માપ દંડ મુજબ આપણા જીવન ની સફળતાનો સંતોષ લેતા રહીએ છીએ. પણ પછી દરેકના જીવનમાં એક ઘડી એવી આવે છે કે જયારે ધન-દોલત, ગાડી-બંગલા, ડીગ્રી, માન-પાન-ઈલ્કાબ બધાની કિંમત કોડીની થઇ જાય છે. જીવનની સફળતા માપવાનો આપણો માપદંડ જ નકામો થઇ જાય છે.

પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ તેમના એક પ્રવર્ચન માં ભારત ના મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબ ના રામેશ્વરમ સ્થિત ઘર ની બે મુલાકાત દરમ્યાન નો તેમનો અનુભવ જણાવેલ છે. તેમની  પહેલી વખતની મુલકાત દરમ્યાન કલામ સાહેબ ના ઘર માં તેઓ એ તેમને મળેલ ઇલ્કાબો, મેડલો, દુનિયાની મહાન વ્યક્તિઓ સાથેની તેમની મુલાકાત ના ફોટા, તેમણે લખેલ પુસ્તકો  વગેરે તેમના જીવન દરમ્યાન તેમણે પ્રાપ્ત કરેલ ભૌતિક સિદ્ધિઓને મુલાકાતીઓ ના પ્રદર્શન માટે મુકેલ વસ્તુઓ નો ઉલ્લેખ છે.

તેમની બીજી મુલાકાત દરમ્યાન તેઓ એ જોયું કે કલામ સાહેબે પહેલા પ્રદર્શન કાજે એક રૂમ માં મુકેલ બધીજ વસ્તુઓ ને એકઠી કરી લાકડાની એક જૂની બંધ પેટીમાં પધરાવી દીધેલ. તેઓને પ્રાપ્ત થયેલ ભારત રત્ન ઈલ્કાબ નું સર્ટીફીકેટ પણ રદ્દી ની માફક પેટી માં મૂકી દીધેલ. કલામ સાહેબ ના અભિગમ માં આ ફેરફાર
પ્રમુખ સ્વામી સાથેની  કેટલીક મુલાકાતો બાદ આવેલ. તેમને એ વાતની પ્રતીતિ થઇ ગઈ હતી કે વ્યક્તિના મ્રત્યુ બાદ તેની ભૌતિક સિદ્ધિઓની કિંમત કોડી ની થઇ જાય છે. 

ઈશ્વર આપણને આટલી બધી પરીક્ષાઓ ની પ્રક્રિયામાંથી એટલા માટે પસાર કરે છે, કે આપણે માનવ જીવન નો મુખ્ય ઉદ્દેશ-ધ્યેય સમજી શકીએ. ૬૦-૬૫ ની વય વટાવી ચુક્યા પછી પણ શું  "આપણે કઈ પ્રવૃત્તિ કઈ
પ્રાપ્તિ ને કાજે કરી રહ્યા છીએ અને કઈ દિશામાં ક્યા માર્ગે શાને માટે આગળ વધી રહ્યા છીએ?" તેનો  સ્પષ્ટ ઉત્તર આપવાને માટે આજે આપણે  સક્ષમ છીએ કે ?????   

Monday, March 19, 2018

આપણી માન્યતાઓ કેટલી સાચી અને કેટલી ખોટી???લેખાંક(૨)

          આજકાલ વ્હોટસ એપ ઉપર જાત જાતની  વિભિન્ન વિચારધારાની વીડીયો ક્લિપ્સ મને મળતી રહે છે.
જેમકે એક વીડીયો કલીપમાં આજની યુવા પેઢી ને વૃદ્ધ માતા -પિતા ની સાર સંભાળ રાખવાની ભલામણ કરતી કોઈ હૃદય સ્પર્શી કિસ્સાની રજૂઆત કરીને કરવામાં આવે છે. તો બીજા દિવસે તે જ વ્યક્તિ તરફ થી કોઈ નિવૃત્ત ફેમીલી કોર્ટના જજ નું મંતવ્ય અને એવી સલાહ સુચન આપતો સંદેશ હોય છે કે કુટુંબ ની સુખ શાંતિ ઈચ્છતા વૃદ્ધ મા-બાપે તેમના યુવાન પરણેલા પુત્ર અને પુત્ર વધુ અને પૌત્રો અને પૌત્રીઓ ના ઉછેર બાબત દખલગીરી કરવી નહી. બની શકે તો સંતાનો પાસેથી કશી અપેક્ષા રાખવાને બદલે પાછલી વૃદ્ધ અવસ્થા માટે જાતેજ પૂર્વ તૈયારી - જરૂરી બચત કરી આયોજન કરી રાખવું.

          મને નવાઈ એ વાત ની લાગે છે કે બે વિભિન્ન વિચાર ધારા ના સંદેશ એકજ વ્યક્તિ તરફ થી પોતાના ગ્રુપમાં બધાને મોકલવા માં આવે છે. અને આ "હિસ્સો હિસ્સો હઈસો" Message Forward કરવાનો સીલ સીલો ચાલુ રહે છે. મોકલનાર ક્યારે પણ એ તકલીફ લેતો નથી કે આવી વાહિયાત - આપણી ભારતીય સંસ્કૃતિ થી વિપરીત સલાહ સૂચન કરનાર નિવૃત્ત ફેમીલી કોર્ટ ના જજે તેનું નામ કેમ જણાવ્યું નથી અને ખરેખર આવો મેસેજ કોઈ જજે તૈયાર કર્યો છે કે કોઈ IT પ્રોફેશનલ સંસ્કારહીન માં બાપ ની સ્વછંદી અને સાસુ-સસરાથી દુર ભાગનારી મહિલા એ આ ગતકડું વહેતું કર્યું છે?

          મારી જેમ તમોને પણ જરૂર એક કરતા વધારે વિડીયો ક્લિપ્સ એવા સંદેશ ની મળી હશે કે ઈંટ પત્થર ના મંદિરો બાંધવાને બદલે હોસ્પિટલો અને જાજરુઓ બાંધવા જોઈએ. મંદિર નિર્માણ કે મંદિરો માં પૈસા આપવાનું બંધ કરો. અને તમે પણ કદાચ આવી  સુધારાવાદી ની જમાત માં સામેલ થઈને હોંશે હોંશે આવા વીડીયો ક્લિપ્સ ગ્રુપમાં બધાને મોકલી એક મહાન કાર્ય કર્યા નો અહેસાસ અનુભવ્યો હશે.

         પણ ક્યારે પણ એ વિચાર કર્યો છે કે આપણા પૂર્વજો એ શા માટે ભારતમાં આટલા બધા મંદિરો 
બાંધ્યા હતા? ભગવાન સ્વામિનારાયણે તેમની હૈયાતીમાં ૬ મંદિરો બનાવ્યા. તેમાં પણ અમદાવાદ કાળુપુર
વિસ્તાર માં આવેલ મંદિર માટે તો તે વખત ના ગોરા હાકેમ સર ડનલોપે ખાસ ઇન્ગલાન્ડ સ્થિત રાણી વિક્ટોરિયા ની પરવાનગી મેળવી મંદિર માટે જગા ભેટ આપેલ. તો શું આવા સંદેશ મોકલનાર અને તેને પોતાના ગ્રુપ માં વગર વિચારે આગળ ફોરવર્ડ કરનાર  ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સર ડનલોપ કરતા વધુ ડાહયા-સમજદાર અને બુદ્ધિશાળી લોકો છે કે?

         પૂજ્ય ડોક્ટર સ્વામી એ ખુલાસો કરેલ તે મુજબ મંદિર, શાસ્ત્રો અને સંતો આપણી વેદ સંસ્કૃતિ અને સંસ્કાર ની જાળવણી માટે અતિ મહત્વ ના છે. જાજરૂ બાંધવાની જવાબદારી સરકાર - અને મ્યુનીસીપાલીટી 
ની છે, જેને તમે ટેક્ષ - વેરો ભરો છો. અને હોસ્પિટલો બાંધ્યા પછી જરૂરી પ્રમાણિક ડોકટરો, નર્સો અને 
સેવાભાવી સ્ટાફ કઈ ફેક્ટરી માંથી લાવશો?

         આ હકીકત એક વાત જરૂર પુરવાર કરે છે કે આજનો મહાશાળાઓની ઉચ્ચ ડીગ્રી ધારી આપણો સમાજ દિવસે દિવસે વધુ ને વધુ દિશા શૂન્ય થતો જાય છે. તેમના મતે માનવ જીવન નો એક માત્ર ઉદ્દેશ વધુ માં વધુ પૈસો યેન કેન પ્રકારે ભેગો કરી વૈભવશાળી જીવન શૈલી અને દરેક ક્ષેત્રની  હરીફાઈમાં બીજા કરતા આગળ નીકળી માન પાન પ્રાપ્તિ અને પ્રસિદ્ધિ  મેળવવા શિવાય વિશેષ કાઈ જ નથી. ટી વી ઉપર ની ચેનલ INDIA GOT TALENTS કે પછી AMERICA GOT TALENTS માં નાના બાલ-બાલિકાઓ ને આજ માર્ગે આગળ વધવાની પ્રેરણા પોષવા માં આવે છે. 

        દિવસે દિવસે માનવ-માનવની  જીવન જીવવા ની સ્પષ્ટ વિચારધારાના અભાવ ને કારણે સમાજ માં ઘર્ષણ, અસંતોષ વધતો જાય છે. સયુંકત કુટુંબ વ્યવસ્થા તો ક્યારની લુપ્ત થઇ ગઈ, અમે બે અને અમારા બે 
ની કુટુંબ વ્યવસ્થા માં પણ હવે "મારું - તારું" અને આ મારી નહિ પણ તારી જવાબદારી છે નો વિવાદ શરુ 
થઇ જ ગયો છે.

        કહેવત છે "કુવામાં હોય તો અવેડા માં આવે". હવે જયારે માબાપ માં જ સંસ્કાર ના હોય ત્યારે તેના સંતાનો માં સંસ્કાર ક્યાંથી આવવાના? આજના યુગ ની શાળા મહાશાળાઓ બધીજ વિદ્યા શીખવે છે શિવાય એક સંસ્કાર.

         અને સંસ્કાર મેળવવાનો એક માત્ર સ્તોત્ર હવે રહ્યો છે - આપણા મંદિરો માં સાધુ સંતો દ્વારા થતી આપણા શાસ્ત્ર ગ્રંથો જેવા કે રામાયણ, મહા ભારત, શ્રીમદ ભાગવત આધારિત કથા વાર્તા અને સત્સંગ.

         પશ્ચિમી જગતના ફૂંકાયેલ પવન થી વિકૃત થયેલ આજની આપણી માન્યતાઓ કેટલી સાચી અને કેટલી ખોટી તે દરેક બુદ્ધિશાળી ભારતીય નાગરિકે શાંતિથી પોત પોતાની રીતે વિચારવાનો - ચકાશવાનો અને તપાસી જોવાનો વખત પાકી ગયો છે.

          

          





Friday, March 16, 2018

આપણી માન્યતાઓ કેટલી સાચી અને કેટલી ખોટી ??? ( લેખાંક: ૧ )

         
સંસ્કૃત ભાષા માં એક સુભાષિત છે - तुण्डे तुण्डे मतिर भिन्ना  

આપણે જાણીએ અને અનુભવીએ છે તેમ દરેક વ્યક્તિ ના વિચારો - માન્યતાઓ એક બીજાથી જુદા હોય છે. મઝાની વાત એ છે કે દરેક વ્યક્તિ પોતાની માન્યતા સો પ્રતિશત સાચી છે તેમ વિચારી - માની જીવન પૂરું કરે છે અને પોતે કરેલી ભૂલો નું પરિણામ આ જન્મ અથવા પુનર્જન્મ (જેને  હવે પશ્ચિમ ના મેડિકલ જગત નું પણ સમર્થન મળી રહેલ છે અને આ વિષે અનેક બેસ્ટ સેલિંગ પુસ્તકો ઉપલબ્ધ છે) માં ભોગવે છે.

મિત્રો - યુ ટ્યુબ ની  " स्वास्थ्य रक्षा " ચેનલ ઉપર પ્રભા મેડમેં  અપલોડ કરેલ હિન્દી ભાષા ના અત્રે પ્રસ્તુત કરેલ કેટલાક વિડીયો પ્રવર્ચનો સાંભળશો તો ખ્યાલ આવશે કે આપણે દરેક આપણી જાત ને ભણેલ ગણેલ (EDUCATED) અને હોશિયાર સમજતા કેવી નાની નાની ભૂલો કરીને બીમારી નો ભોગ બનીએ છીએ.