Category

Tuesday, November 22, 2016

વી.એસ. હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર પ્રતિકભાઈ નું લોસ એંજલ્સ/અમેરિકા માં એક મનનીય પ્રવર્ચન


         ૨૧ મે ૧૯૫૦ થી ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ એટલે કે ૬૬ વર્ષ અને ત્રણ માસના દીર્ઘકાળ દરમ્યાન પ્રમુખ સ્વામી મહારાજે તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના બધાજ સંકલ્પો પૂર્ણ કરી બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાના ધ્વજ  ધરતીના પાંચેય ખંડોમાં લહેરાવ્યા. તેમણે ગાંધીનગર, દિલ્હી અને  રોબીન્સવિલે /ન્યુ જર્સી/અમેરિકામાં ભવ્ય અક્ષરધામ, તેમજ ૧૧૦૦ જેટલા નાના મોટા મંદિરો અને   ૯૦૦ જેટલા ભણેલ ગણેલ યુવાન સાધુઓ ની સમાજ ને ભેટ આપી.

       સમાજ સેવાના તેમના આ દીર્ઘ કાર્યકાળ દરમ્યાન નાના મોટા, દેશ-પરદેશના અગણીત લોકો તેમના સંપર્કમાં આવ્યા પણ તેમના ખરા સ્વરૂપને બહુજ ઓછા લોકો પિછાણી શક્યા હતા. દેખાવ અને વર્તનમાં
તેઓ ભલે બીજા સાધુ - સંતો જેવા લાગે પણ હકીકતમાં તેઓ શાક્ષાત બ્રહ્મસ્વરૂપ હતા.

      શ્રી સ્વામિનારાયણ ભગવાનની  પરમ કૃપાથી તેઓ અતિ સામર્થ્યવાન હતા અને અનેક લોકોને તેમના સામર્થ્યનો અનુભવ થયેલ. પ્રસ્તુત છે અમદાવાદની વી.એસ. હોસ્પિટલ ના ડોક્ટર પ્રતિકભાઈ ને થયેલો અનુભવ તેમના પોતાનાજ મુખે અમેરિકામાં લોસ એન્જલ્સ ખાતે તેમણે કરેલ ૧૫ મીનીટના પ્રવર્ચન દ્વારા :-

      કૃપા કરી આપનું સ્પીકર ઓન કરી નીચેના પ્લ્યેયર ની ટેબ ને ક્લિક કરો :-



       ઉપરનું પ્લેયર ટેકનિકલ ક્ષતિને કારણે જો કાર્ય ના કરે તો કૃપા કરીને નીચેની લીંક આપના બ્રાઉઝર
       માં કોપી/પેસ્ટ કરવાથી પણ આ પ્રવર્ચન સાંભળી શકાશે.

                    http://yourlisten.com/ykshah/dr-pratik-speech-at-los-angeles


                      # આ બ્લોગ ઉપરની પોસ્ટ્સ વિષે આપનો અભિપ્રાય અને સૂચનો આવકાર્ય છે #