Monday, August 26, 2019

બોમ્બે સ્ટોક એક્સચેઈન્જ નો રસપ્રદ ઈતિહાસ

૧૪૪  વર્ષ પહેલાં પાંચ ગુજરાતીઓએ વડના ઝાડ નીચે બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરી હતી


5 ગુજરાતીઓએ ચર્ચગેટ નજીક વડના ઝાડ હેઠળ શરૂ કરેલ સંસ્થા આજે ભારતીય અર્થતંત્રનો ધબકાર મનાય છે

આજે રૂ. 148 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતા બોમ્બે સ્ટોક એક્સેચેન્જમાં આરંભે સભ્ય ફી ફક્ત 1 રૂ. હતી

BSEના સ્થાપક પ્રેમચંદ રાયચંદ બ્રિટનની કોટન મિલની કુલ જરૂરિયાતનું 65% રૂ સપ્લાય કરતા હતા 


અમદાવાદઃ રિઝર્વ બેન્કને જો ભારતીય અર્થતંત્રનું હૃદય ગણવામાં આવે તો એ હૃદય સુધી લોહી પહોંચાડનાર તંત્ર એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એવું કહેવાય છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને શરદી થાય તો સમગ્ર દેશને તાવ આવી જાય. દેશની આર્થિક ગતિવિધિના કેન્દ્રસ્થાને રહેલું આ શેરબજાર આજે 144 વર્ષનું થઈ રહ્યું છે. આજે સ્ટોક એક્સચેન્જની ઈમારત સમગ્ર મુંબઈનું પ્રતીક ગણાય છે પરંતુ 144 વર્ષ પહેલાં તેની શરૂઆત એ જ જગ્યાએ એક વડના ઝાડ હેઠળ થઈ હતી અને તેની સ્થાપનામાં મોખરાની ભૂમિકા ભજવનારા પાંચે પાંચ લોકો ગુજરાતી હતા. ભારત જેવા વિશાળ દેશની અર્થવ્યવસ્થાના આધારરૂપ ગણાતી આ સંસ્થા અને તેના સ્થાપકોની કહાની કોઈ ફિલ્મ કે નવલકથાને ય ટક્કર મારે એટલી રોચક છે.


1 રૂ.ની સભ્ય ફીથી 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સુધીની રોચક કહાની


* મુંબઈનો ઈતિહાસ જેમના ઉલ્લેખ વગર અધૂરો કહેવાય એવા ગુજરાતી માલેતુજાર પ્રેમચંદ રાયચંદ ઓગણીશમી સદીના અગ્રણી બિઝનેસમેન હતા. મૂળ સુરતના જૈન પરિવારના પ્રેમચંદ એ જમાનામાં મુંબઈના એકમાત્ર એવા વેપારી હતા જે અંગ્રેજોની સાથે ધાણીફૂટ અંગ્રેજીમાં, ફ્રેન્ચ વેપારીઓ સાથે ફ્રેન્ચમાં અને પોર્ટુગિઝ સાથે સ્પેનિશ ભાષામાં વાત કરી શકતા હતા.


* એવું કહેવાય છે કે એ જમાનામાં સમગ્ર ગુજરાતમાં કપાસના વાવેતર થાય અને પાકેલો સઘળો માલ મુંબઈની દિશા પકડે ત્યારે તેનો એકમાત્ર ખરીદાર હોય પ્રેમચંદ રાયચંદ! દેશભરમાં થતાં કપાસના કુલ ઉત્પાદનનો અડધોઅડધ હિસ્સો ખરીદી લેતાં પ્રેમચંદ રાયચંદ કોટન કિંગ કહેવાતા.


* આજે જ્યાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ રહી છે ઈંગ્લેન્ડનું એ માન્ચેસ્ટર શહેર કોટન મિલનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. ઓગણીશમી સદીમાં માન્ચેસ્ટરમાં 180 જેટલી કોટન મિલ ધમધમતી હતી અને તેમાંની મોટાભાગની મિલને રૂનો સપ્લાય કરનારા પ્રેમચંદ રાયચંદ હતા.


* રૂના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે પ્રેમચંદ રાયચંદે જ મુંબઈમાં રૂના સટ્ટાની શરૂઆત કરી હતી. જેમાં દ્વારકાદાસ ગોકળદાસ, મથુરદાસ હરજીવન નામના કપોળ વણિક જ્ઞાતિના બે શેઠિયા પણ પ્રેમચંદના ભાગીદાર હતા. આ ભાગીદારોએ રૂ ઉપરાંત કોમોડિટી ઉત્પાદનોના સટ્ટાની શરૂઆત કરી. શરૂઆતમાં પ્રેમચંદના ભાયખલ્લા સ્થિત બંગલાના કમ્પાઉન્ડમાં સટ્ટો રમાતો. પરંતુ સંખ્યા ધીમે ધીમે વધવા લાગી આથી તેમણે સ્થળ બદલ્યું.


* ચર્ચગેટ નજીક હોર્નિમાન સર્કલ પાસે એ જમાનામાં ટાઉનહોલ હતો. આજે એ સ્થળે મોટું ઉદ્યાન બની ગયું છે. ત્યાં એક વડના ઝાડ હેઠળ પ્રેમચંદ, દ્વારકાદાસ, મથુરદાસ, ઘનશ્યામદાસ ખટાઉ અને દિનશા પીટીટ નામના પારસી મિલમાલિક, એમ પાંચ અગ્રણી વેપારીઓના માર્ગદર્શન હેઠળ સટ્ટાની પદ્ધતિસરની શરૂઆત થઈ. બ્રિટિશ પદ્ધતિ મુજબની શિસ્ત લાવવાના હેતુથી તેમાં નિયમો ઘડાયા. સટ્ટામાં ભાગ લેવા માટે સભ્ય ફી તરીકે 1 રુ. નક્કી થયો અને સંગઠનને નામ અપાયું નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. એ જ સંસ્થા એટલે આજનું બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ.


* શરૂઆતમાં આ એક્સચેન્જમાં કુલ 25 વેપારીઓ જોડાયા હતા, જેમાં 18 ગુજરાતી, 4 મારવાડી અને 2 દક્ષિણ ભારતીય અને 1 પંજાબી હતા. પ્રથમ મહિને જ સંખ્યા વધીને 318 સુધી પહોંચી. વડના ઝાડ હેઠળ ખુલ્લામાં ચટાઈ પાથરીને સટ્ટાના ભાવતાલ થતાં હોવાથી સાધારણ લોકો તેમને ચટાઈયા તરીકે ઓળખતા.


વડના ઝાડ હેઠળ પાંગરેલી સંસ્થા આજે અર્થતંત્રનું વટવૃક્ષ બની


* બોમ્બે સ્ટોક એક્સચેન્જની દરેક વાતોમાં ભવ્યતા રહેલી છે. અહીં થતાં સોદાની રકમ, દેશની ટોચની કંપનીઓની હાજરી, આર્થિક ઉથલપાથલ સાથે સંકળાયેલા લાખો પરિવારો એ દરેક દૃષ્ટિએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારત કે એશિયાના જ નહિ, સમગ્ર દુનિયાની નમૂનેદાર આર્થિક સંસ્થા તરીકેનો દરજ્જો ભોગવે છે.


* 148 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દુનિયાનું 11મા ક્રમનું સ્ટોક એક્સચેન્જ ગણાય છે. દરરોજ થતી સોદાની સંખ્યાના હિસાબે તેનો નંબર દુનિયામાં 5મો છે.


* બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 5000થી વધુ કંપનીઓ રજીસ્ટર્ડ થયેલી છે. આ સંખ્યાના મામલે તે દુનિયામાં નંબર 1 છે.


* દુનિયાભરના સ્ટોક એક્સચેન્જના નિયંત્રણ માટે વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જની રચના થયેલી છે, જેનું હેડ ક્વાર્ટર પેરિસમાં છે. આ સંસ્થાના સંચાલન માટે જે મુખ્ય સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે તેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ મોભાદાર સ્થાન ધરાવે છે.


Bombay Stock ExchangeEstablishment Of BSE 

Gujarati Started BSE

લ્યો લખી બતાઓ + કે. લાલ + ટીનેજર


લ્યો લખી બતાઓ 



કે. લાલ 




ટીનેજર 





આ કાયા માંથી હંસલો રે ઉડી જાશે ....





Saturday, August 24, 2019

જન્માષ્ટમી ના પર્વ પર શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યની એક અદભુત પ્રશસ્તી

કૃષ્ણ ભક્તો અને ખાસ કરીને પોતાને " વૈશ્ણવ" તરીકે ઓળખાવતા અને ગૌરવ લેતા દરેકે આત્મ નિરિક્ષણ કરવાનું કે શું તમે તમારા ઇશ્ટદેવ કૃષ્ણ પરમાત્મા ને આ રીતે ક્યારે પણ પીછાણ્યા છે? 


શ્રી કૃષ્ણ ના જન્મ વખતે જ એક બાળકી નો પણ જન્મ થયેલ જેની અદલા બદલી શ્રી કૃષ્ણ જોડે શ્રી કૃષ્ણ નો જીવ બચાવવા થયેલ. તે બાલિકા હતી "યોગમાયા".

એવી લોક વાયકા છે કે મામા કંસે આ બાલિકા ને દેવકી નું આઠમું સંતાન સમજી તેના પગ પકડી, પછાડી ને મારી નાખવાની કોશિશ કરેલ. ત્યારે આ બાલિકા કંસ ના હાથમાં થી હવામાં ઉડી ગઈ અને જતા જતા કહેતી ગઈ કે તારો ધ્વંસ કરનાર બાળક અવતરી ગયો છે.

યોગમાયા એ શક્તિ નો એક અવતાર હતો. જયારે કંસે તેના પગ પકડી તેને પટકવા ની કોશિશ કરી ત્યારે આ બાળકી એ જતા જતાં કીધેલ કે તારો ધ્વંસ કરનાર નો જન્મ થઇ ગયો છે. હું પણ તારો ધ્વંશ કરી શકવા શક્તિમાન છું. પણ તે મારા પગ પકડ્યા એટલે તારી શરણાગતી ના કારણે તને માફ કરું છું.

શ્રી કૃષ્ણનો જન્મ ઘોર અંધારી રાત્રી ના બંધ કારાવાસમાં થયેલ. પણ કૃષ્ણ જન્મ વખતે બધા સંત્રીઓ નિદ્રાધીન થઇ ગયેલ. સાંકળો તૂટી ગયેલ અને કારાવાસ ના દરવાજા ખુલી ગયેલ.

તેવીજ રીતે જયારે શ્રી કૃષ્ણ પરમાત્મા સમી ચેતના આપણા હ્રદય માં જાગૃત થાય ત્યારે બધોજ અંધકાર-અજ્ઞાન નકારકાતા દુર થાય છે. હું, મારું અને અહમ રૂપી બંધનો છુટી જાય છે. અને કારાવાસ સમાન આ જગત ની મમત માયા ના દરવાજા ખુલી જાય છે.  

આજ છે જન્માષ્ટમી પર્વ નો સાચો મહિમા. 

સૌ મુલાકાતીઓ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ.

Wednesday, August 21, 2019

જન ની જોડ સખી નહિ જડે રે લોલ ...(કવિ શ્રી બોટાદકર)

                   

                   જનનીની જોડ સખી નહીં જડે રે

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
અમીની ભરેલ એની આંખડી રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જગનો આધાર એની આંગળી રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

લેતા ખૂટે ન એની લહાણ રે
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ 


-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

Sunday, August 18, 2019

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.


શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલીના સ્વામીશ્રીની પ્રેરણાથી


RS. 1.00 માં તમારી કિડનીને સાફ કરો


વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.

 

લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.


આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?


અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.


 તાજા લીલા ધાણા (કોથમરી) ની એક જુડી લો અને તેને સાફ કરી મીક્ષરના જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...


અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી  જોશો.

તમે પોતે તેનો તફાવત પરખી શકશો. 


તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!


કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.


આ પ્રયોગ અઠવાડીએ કમ સે કમ એકવાર સવારે નરણા પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધા પહેલા) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પણ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલા રેસા ( ફાઈબર) શરીરમાં જમા થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે 


આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું 


કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો

તમારી કિડની સ્વચ્છ રહે અને ડાયાલીસીસ ના ચક્કરમાં ન પડો તેવી શુભેચ્છા।..


ફક્ત વાંચો નહીં

તમે પોતે કાળજી લો અને નિયમિત આ નાનકડો પ્રયોગ કરો...


🙏🏻 સૌજન્ય 🙏🏻


વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા ફાર્મસી સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય


ડૉ બલભદ્ર મહેતા


📲9427888387


કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જ SHARE કરજો।..


તમે નિરોગી રહો એ જ અમારી શુભકામના, અને એટલે જ તમને આ મેસેજ મોકલ્યો છે, તો તમે પ્રયોગ કરજો અને આ મેસેજ આગળ જરૂર મોકલજો


🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽

ઘૂંટણ ના દુખાવાનો દેશી ઈલાજ

આજકાલ લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વડીલને ઢિચણનોઁ (ઘૂંટણ), દુઃખાવો રહેતો હોય છે અને ડોક્ટર Knee Replacement માટેની સલાહ આપે છે. 

જેનો ખર્ચ 1 ( એક ) થી 3 ( ત્રણ ) લાખ રૂપિયા થાય છે.

આ માટેનો સસ્તો સારો અને સરળ ઉપાય બાવળનાં બી નો પાવડર હુંફાળા પાણી માં એક ચમચી પાઉડર મિક્સ કરી બપોરે અને રાત્રે જમ્યા પછી  લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.

 ઓપરેશન કરાવવાની કોઈ જ જરૂર રહેતી નથી.

૨૦૦ ગ્રામ પેકિંગ પાવડરની કિંમત માત્ર  RS. 30.00.

આ આયોજન સ્વસ્તિક જૈન પરીવાર તરફથી કરવામાં આવ્યું છે.

ખાસ સૂચના : 
રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.

પાવડર મેળવવા માટેનું સ્થળ:

૧).બ્રિજેશ શાહ
૧૧ બાબેશ્વર સોસાયટી, વરસોડાની ચાલી રામનગર, સાબરમતી
પાઉડર મેળવવાનો સમય.
સવારે : ૮.૩૦ થી ૧૧.૦૦.


૨) સુનીલભાઈ પી. શાહ 
 ૬, ત્રિશલા ફ્લેટ, પંકજ સોસાયટી, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ,
૯૮૨૫૩૧૮૨૫૨.
પૂછપરછ માટે ફોન કરવૌ નહી.
પાઉડર મેળવવાનો સમય:-  
સાંજે  ૦૭:૩૦ થી ૯:૩૦
(પાલડી, વાસણાના વિસ્તારનાંએ સુનીલભાઈનો સંપર્ક કરી શકો છો)


૩). ભાવેશભાઇ શાહ
 ૨  સુરભી ફ્લેટ્સ, પહેલે માળ,  ૧૩ શ્રેણિક સોસાયટી, આંગી ૫ ની પાછળ, જૈન દેરાસર પાસે, નારણપુરા ચાર રસ્તા, નારણપુરા.
૯૮૨૫૭૫૨૩૧૮.
નારણપુરાનાં એરિયાવાળાએ ભાવેશભાઈનો સંપર્ક કરવો.
ફોનનો સમય:- 
રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦
પાઉડર મેળવવાનો સમય:-
સવારે  ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને  
સાંજે ૪:૦૦ થી ૯:૦૦

૪) શ્રી હરેશ ભાઈ આર શાહ
    પદમાવતી સ્ટોર , ૧ શ્રીજી દર્શન કોમ્પલેક્ષ, વ્રજધામ મંદીર નજીક, માંજલપુર વડોદરા
૯૪૦૯૧૫૬૪૦૯

૫) શ્રેણિક ભાઈ . પી .શાહ ( રાંધેજા વાળા )
૯ એ  ચિંતામણી સોસાયટી
  અચેર રોડ સાબરમતી.
 પાઉડર મેળવવાનો સમય
સાંજે : ૭ થી ૯

6) BHAVIN RAJENDRA SHAH
RESIDENT ADDRESS
1/23,BAHARI BLDG NO.1,JAKERIYA BUNDER ROAD,NEAR JHAVERI HONDA SERVICE CENTER, COTTONGREEN, MUMBAI-400015
CALLING TIME : 4PM to 8PM
KINDLY COLLECTING MEDICINE BETWEEN : 
10AM to 1PM & 
5PM to 7PM
8779021922

૭) સંકેત. એમ. શાહ
સિદ્ધાચલ વાત્તિકા ,સાબરમતી કૉલેજ ની જોડે, સાબરમતી , અમદાવાદ.
પાઉડર મેળવવાનો સમય.
 સવારે ૯.૩૦ થી ૧૧.૪૫
૭૬૦૦૬૧૮૦૩૭
૮) વિરલ શાહ
  સી ૯ & ૧૦ આમ્રપાલી ફ્લેટ.
જુલી એપાર્ટમેન્ટ ની સામે
  ચંદ્રમાની હોસ્પિટલ ની સામેની ગલીમાં.
  શાહીબાગ. અમદાવાદ.
  ૮૮૪૯૪૧૪૨૮૦.
( રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.
નમ્ર વિનંતી )
૯) સંસ્કૃતિ ભવન
  ૮ \ ૧૬૪૩  સુભાષ ચોક , ગોપીપુરા , મૈન રોડ સુરત.
૦૨૬૧ ૨૫૯૯૩૭
૯૩૭૪૭ ૧૮૩૪૫.
૧૦.૦૦ થી ૧.૦૦
૪.૦૦ થી ૯.૦૦

૧૦ ) કિરીટ કુમાર ખારા
૨૧૦ જમનાદાસ બજાજ સ્ટ્રીટ,
૫૦ & ૫૧ લોહિયા માર્કેટ .
કોલકત્તા 
૬૨૯૦૪૪૪૩૬૦
૨ થી ૫

૧૧) નિલેશ ખારા
૨૯૮ બકુલ બગું રો
લેન્સડાઉને માર્કેટ 
કોલકત્તા
૯૮૩૧૧ ૩૨૦૭૭
સવારે ૮ થી ૧૦.૩૦

૧૨).  ચિરાગ શાહ
જીગર એન્ટરપ્રાઈઝ  
૨૦૯, બીજે  માળે,
બરોડા હાઉસ કોમ્પલેક્સ,
વરાછા રોડ,
સુરત -૬
૮૧૬૦૩૬૪૨૭૦
સવારે : 
૦૯:૦૦ થી ૦૧:૩૦
સાજે
૦૪:૦૦ થી ૦૭:૩૦
૧૩) રાજેશ શાહ                                ૨ એ \ ૧૩૦૪,પેરેડાઇઝ હેઈટ્સ  (મ્હાડા ટાવર ) ,ચિકુવડી, બોરિવલીવેસ્ટ મુંબઈ.
સમય સવારે 10 થી 12
૮૧૦૮૪૦૧૬૭૭
ગોડીજી દેરાસર
પાયધૂની 
સમય બાપોરે ૧ થી ૪
કૉલિંગ સમય  સાંજે  4 થી 6
14)M/s ગ્લોબ ઈમ્પૅક્સ 
મી. વિપુલ મીડિયા (મેહતા )
1,પોર્ટુગીસ ચર્ચ સ્ટ્રીટ,1માળે, બારા બઝાર, કોલકાતા -700001
9051381999
સમય 2pm થી 5pm 
15)આશાબેન મીડિયા (મેહતા)
63/D,ચક્રબેરિયા રોડ (નોર્થ ),1 માળે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, કોલકાતા - 700020
8777015822/9883366555
સમય 6 pm થી 8 pm
16) ભાવનગર માટે સંપર્ક કરો.
તુષાર શાહ
બી-18, વશુંધરા ફ્લેટ,
શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગ સામે,
ડોન ચોક, ભાવનગર.
મોબાઈલ નંબર 
૯૪૨૮૯૯૫૫૭૭
પાવડર મેળવવા નો સમય 
૭ થી ૯ રાત્રે.

ખાસ સુચના :
કોઈ પણ સાધુ  સાધ્વીજી ભગવંતોને વહોરાવો હોય તો કોઈ પણ ચાર્જ લેવાશે નહિ પણ એ ભગવંતોનું નામ અને ક્યાં સમુદાયનાં છે એ જણાવવું જરુરી છે.

સેવાનું કામ છે. 
આ માહિતી આગળ ફોરવર્ડ કરશો. 
જેથી કોઈ મોટા. ખર્ચથી બચી શકે.