Showing posts with label katha-varta. Show all posts
Showing posts with label katha-varta. Show all posts

Wednesday, August 10, 2022

આ ઘર નથી તમારું - મહેમાન છો પ્રભુના ........

 



પ્રમુખ સ્વામી મહારાજ નું એક અદભૂત પ્રવર્ચન 






આજ સંદર્ભ માં એક સદા યાદ રાખવા જેવુ ભજન 




Friday, April 30, 2021

ભગવાન નો દ્રઢ આશરો

 

 ભક્ત ને દ્રઢ આશરો ભગવાન નો 


  ભગવાન ની સ્વરૂપ નિષ્ઠા અને ગુણ ગ્રાહક દ્રષ્ટિ  







Thursday, April 29, 2021

વેદ ઉપનિષદની વાતો બાબત શંકાશીલ બૌદ્ધિક અને નાસ્તિક લોકો આ ૨ વિડીઓ ક્લિપ્સ અવશ્ય જુએ




મેમનગર ગુરુકુળ ના સંત પૂજ્ય હરિસ્વરૂપદાસજી દ્વારા પ્રસ્તુત છે 
તાજેતર માં જ બનેલા એક કિસ્સા નું સુંદર ઓડિયો વિડીયો 
પ્રેજન્ટેશન અને તર્કશીલ નિરૂપણ 
 



એક અકલ્પનીય કલ્યાણયાત્રા અગિયાર વર્ષના બાળ નીલકંઠ ની 


કર્મ નો સિદ્ધાંત - બોધ કથા 








Friday, April 2, 2021

ભાલ ઉપર તિલક - ચાંદલો શા માટે ?

 કપાળ ઉપર તિલક ચાંદલો શા માટે ?



તિલક ચાંદલા નો પ્રભાવ 


૫ મિનિટ નો સત્સંગ - વકતા પુ. સત્ય સંકલ્પ સ્વામી 







Thursday, April 1, 2021

સંસ્કાર વિના નું ભણતર શું કામ નું ?


સંસ્કાર વિહીન ભણતર શું કામનું ???




ઉપરના પ્રવર્ચન દ્વારા જાણ્યું કે અત્યારે સ્કૂલ - કોલેજો - મહાશાળાઓ માં અપાતું શિક્ષણ કેવળ "બુદ્ધિલક્ષી" છે. માણસ જ માણસ નો દુશ્મન બનતો જાય છે. દરેક બુદ્ધિજીવી સમાજ માં પોતાના થી ઓછી ક્ષમતા વાળા ઉપર એક યા બીજી રીતે અત્યાચાર કરી રહ્યો છે. તેનું એક માત્ર કારણ છે - મનુષ્ય જીવન માં "સંસ્કાર" નો અભાવ. 

સ્કૂલ કોલેજો માં તે અપાતું નથી. માં બાપ પાસે યા તો સમય નથી કે પછી કહેવત મુજબ "કૂવા માં હોય તો બેડાં માં આવેને?" જેવી પરિસ્થિતી છે.

આપણા ઈન્ડિયા માં સદનશીબે સંત મહાત્માઓ દ્વારા - મંદિરો અને ગુરુદ્વારાઓ માં "સત્સંગ મંડળો" ચાલી રહ્યા છે. જરૂર છે તેનો લાભ લેવાની.




 

 

Saturday, March 20, 2021

ભગવાન અને ગુણાતીત સંત જે કરે તે સદાય સારા માટે...

ભગવાન અને ગુણાતીત સંત માં દ્રઢ  નિષ્ઠા અને નિર્દોષ ભાવ 


મારો સ્વાનુભવ 

યુનાઈટેડ આરબ શિપિંગ કંપની ની જોબ ઓફર સ્વીકારી વર્ષ ૧૯૯૨ ના ડિસેમ્બર મહિના માં હું એસ. સી. આઈ ની મુંબઈ ની નોકરી છોડી ને દુબઈ ગયો. પચીસેક વરસો સુધી મુંબઈ માં ફેમિલી સાથે સુખ સુવિધા થી રહેવાની આદત ના કારણે દુબઈ માં ફેમિલી રહિત એક્લવાયા  જીવનશૈલી નો બદલાવ થોડો કષ્ટદાયક હતો. ખાસ તો બહાર હોટેલ-રેસ્ટોરાં ની ખાણીપીણી બાબત ની નવી આદત ને થોડી સ્વસ્થતા અને મક્કમતા થી સ્વીકારવા પ્રયત્ન કરી રહ્યો હતો. 

તે દરમિયાન છએક મહિના પછી કંપની એ અમારા દુબઈ સ્થિત ડીપાર્ટમેન્ટ ને હેડ ઓફિસ  કુવૈત શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. કુવૈત શિફ્ટ નો નિર્ણય તો લેવાઈ ગયો અને બીજા બધા ડીપાર્ટમેન્ટ ખાસ કરીને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ નો સ્ટાફ તો શિફ્ટ પણ થઈ ગયો. પણ કુવૈતમાં જ્યાં સુધી  'કન્ટેઇનર  ટ્રેકિંગ સીસ્ટમ' ઓપરેટીવ ના થાય ત્યાં સુધી અમારા સી એમ ડી ડીપાર્ટમેન્ટ નું શિફટિંગ મુલતવી રાખવામાં આવેલ.

કુવૈત શિફ્ટ થવા બાબત હું થોડી હીચકિચાટ એ કારણે અનુભવી રહ્યો હતો કે કુવૈત માં દુબઈ જેવી શાકાહારી હોટેલ/રેસ્ટોરાં હોવા બાબત મને શંકા હતી. 

મારી મુંબઈ ની મુલાકાત દરમિયાન આ વાત મે મારા વડીલ જેવા પરિચિત આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ ના માલિક કેપ્ટન સતીશ સુદ ને જણાવી.  તો તેમણે દુબઈમાં એક મિસ્ટર પીટર મેલિયા જોડે ફોન ઉપર વાત કરી ને વીશીપ મેનેજમેન્ટ ની દુબઈ ઓફિસ માં મારે યોગ્ય એક ખાલી જગા હતી તેનો ઇંટરવ્યૂ કોલ ગોઠવી આપ્યો. તે મુજબ હું જ્યારે દુબઈ માં વીશીપ મેનેજમેન્ટ ઓફિસ માં પીટર મિલિયા ને મળવા એન્ટર થયો ત્યારે મારી સૌ પ્રથમ મુલાકાત થઈ એક તામિલિયન મિસ્ટર વીએસ જોડે. આ વીએસ મુંબઈ માં જયંતી શિપિંગ માં મારા સહ કાર્યકર હતા. પછીથી કેપ્ટન સતીશ સુદ ની આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ જોઇન કરેલ. અને ત્યાંથી પછી મોકો મળતા વીશીપ ની મોન્ટેકાર્લો હેડ ઓફિસ માં પહોંચી ગયેલ. મારા ઇન્ટરવ્યૂ ના દિવસે તેઓ કોઈ કંપની કારણસર વીશીપ ની દુબઈ ઓફિસ માં આવેલ. 

આ તામિલિયન મિસ્ટર વીએસ જોડે ના મારા "હાઇ હેલ્લો" એ મારા યુએએસસી ની નોકરી છોડી ને વીશીપ ની દુબઈ ઓફીસ જોઇન કરવાના ઈરાદા ઉપર પાણી ફરવી દીધું. એ હકીકત મને પછી થી કેપ્ટન સુદ દ્વારા જાણવા મળી. પીટર મિલિયા ને દુબઈ ઓફિસ મા જે કામ માટે માણસ ની જરૂરિયાત હતી તેનો મને દશ વર્ષથી પણ વધારે અનુભવ હતો. પણ પીટર મિલિયા એ જ્યારે મોન્ટેકાર્લો થી આવેલ તામિલિયન મિસ્ટર વીએસ ને મારી બાબત પૂછાકરી ત્યારે તામિલિયન મિસ્ટર વીએસે મારુ પત્તું કાપી નાખ્યું. એમ કહીને કે અમે જયંતી શિપિંગ માં સાથે કામ કરતાં - માણસ હોશિયાર અને ચાલક છે પણ ઓનેસ્ટ નથી.

કેપ્ટન સુદ પાસે થી મને જ્યારે મારા એક વખત ના સહકાર્યકર તામિલિયન મિસ્ટર વીએસ ના આવા બેહુદા વર્તનની જાણ થઈ ત્યારે મને અત્યંત ખેદ અને  દુખ થયેલ. પછી તો હું કુવૈત ગયો. ધીમે ધીમે કુવૈત ની લાઈફ સ્ટાઈલ માં પણ એડજસ્ટ થઈ ગયો. જાતે રસોઈ કરવા માં પણ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. 

પણ કુવૈત જવામાં સૌથી મોટા મને ચાર  ફાયદા થયા. 

(૧) પ્રમુખસ્વામી બાપા બે વખત કુવૈત પધાર્યા ત્યારે બંને વખતે અત્યંત નજદીક થી મને તેમના સાનિધ્ય નો લાભ મળ્યો (૨) બહેરીન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અને કુવૈત સત્સંગ મંડળ પ્રારંભ માં સહભાગી થવાનો અમૂલ્ય લાભ મળ્યો (૩) કુવૈત વસવાટ દરમિયાન મને અને મારા પત્ની ને તો ઠીક પણ કોલેજ માં અભ્યાસ કરતી મારી દીકરી નિશા ને પણ મળવા મુશ્કેલ એવા અમેરિકા ના વીજીટ વિઝા મળી ગયા. અને પછી તો દર વર્ષે સમર માં અમેરિકા સ્થાયી અમારા દીકરા જોડે અમે સહ કુટુંબ અમેરિકા ની મુલાકાતો માણતા રહ્યા (૪) કુવૈત માં યુરોપીયન સાહેબો જોડે ૭ વરસો સુધી કામ કરીને ઘણું શીખવા મળ્યું, ઓફિસર તરીકે પ્રમોશન પણ મળ્યું અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થઈ. 

ભલું થજો પેલા તામીલીયન મિસ્ટર વીએસ નું જેણે પીટર મિલિયા ને કાન ભંભેરણી કરી ને મારી હોનેસ્ટી અંગે શંકા પેદા કરી ને વીએસ શિપિંગ - દુબઈ ઓફિસ માં મારી એન્ટ્રી અટકાવી.

   



Tuesday, February 16, 2021

તિલક - ચાંદલો શા માટે?

 

તિલક ચાંદલો રાખજો તો કાળ પણ કાઇ કરશે નહીં 


મારો સ્વાનુભવ 

એપ્રિલ ૧૯૯૭ માં પ્રમુખ સ્વામી પહેલી વખત કુવૈત આવ્યા ત્યારે મને તેમના આશીર્વાદ મળ્યા. સ્વામી બાપા ની આગન્યા પ્રમાણે અમોએ કુવૈત સત્સંગ મંડળ શરૂ કર્યું. ત્યારે અમોને કહેવા માં આવેલું કે આ મુસ્લિમ દેશ હોવાથી અને કોઈ સંઘર્ષ ના થાય એટલે માટે "તિલક ચાંદલો" નહીં કરો તો ચાલશે. પછી ફરીથી સ્વામી બાપા જાન્યુઆરી ૨૦૦૧ માં કુવૈત પધાર્યા ત્યારે અમારું સત્સંગ મંડળ સરસ સેટ થઈ ગયેલ. ત્યારે પ. ભ. લલિતભાઈ એ મને કીધું આપણે બાપા ના રોકાણ દરમ્યાન સભા માં બધાએ "બિન્ધાસ્ત" તિલક ચાંદલો કરવો અને જો કોઈ પ્રશ્ન થશે તો હું સંભાળી લઇશ. લલીત ભાઈ ઘણા વરસો પહેલા કુવૈત આવેલ અને અરબી ભાષા પણ શીખી લીધી અને કેટલાક કુવૈતી શેખ લોકો સાથે ઘનિષ્ટ પરિચય કેળવેલ. 

એટલે હું કુવૈત માં હતો ત્યાર થી એટલકે વીશએક વરસો થી નિત્ય સવારે પૂજા પહેલા તિલક ચાંદલો કરું છું. મજાની વાત એ બની કે જ્યારે હું કુવૈત છોડી ની મુંબઈ પાછો આવ્યો ત્યારે મારા લગેજ માં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મિક્ષર અને માઇક્રોવેવ ઓવન હતા. એટલે રેડ ચેનલ માંથી પસાર થવા ગયો. ત્યારે કસ્ટમ્સ ઓફિસરે પૂછ્યું - વ્હિસ્કી કે ગોલ્ડ છે? મે કીધું 'ના' . પછી તિલક ચાંદલો બતાવી કીધું હું 'બીએપીએસ નો સત્સંગી હોવાને કારણે વ્હિસ્કી અથવા વાઇનને હાથ પણ અડકાવતો નથી. કસ્ટમ્સ ઓફિસરે મને બે હાથ જોડી સ્મિત સાથે મારો લગેજ સ્ક્રીન મશીન માં મૂક્યા વગર એકજીટ ગેઈટ તરફ પ્રયાણ કરવા ઈશારો કર્યો.

મારા માટે આ તિલક ચાંદલો - GPS અને AUTO PILOT સમાન પુરવાર થયો છે. કોઈ પણ પ્રશ્ન આવે તેનો આપો આપ ઉકેલ મળી જાય છે. મારે કોઈની સલાહ લેવા જવું પડતું નથી. કોઈ ટેન્શન લેવું પડતું નથી. નિરધારીત સ્થળે નિર્ધારિત સમયે આપો આપ હું પહોંચી જાઉ છું કોઈ પણ મુશ્કેલી વગર. હમણાં જ નવેમ્બર ૨૦૨૦ માં "કોવિદ મહામારી" છતાં અને કોઈ પણ વ્યક્તિ સાથે નહીં હોવા છતાં મુંબઈ થી નોવાર્ક - ન્યુ જર્સી અમેરિકા ની મારી લાંબી સફર અત્યંત આરામદાયક (one of the most comfortable flight journey I ever had in my life) રીતે પૂરી થઈ.



તિલક ચાંદલો શા માટે?



Saturday, August 17, 2019

બે જાણવા જેવા ટૂંકા પ્રવર્ચનો


મહાન જાદુગર કે.લાલ વિષે નો અદભુત કિસ્સો 




બાળકો ને સેલફોન આપતા પહેલા વિચારવા જેવી વાત



 




Friday, August 2, 2019

સંતો નો દિવ્ય રાસ

સંતો નો દિવ્ય રાસ 


           



સાંખ્ય યોગી બહેનો રાસ 


            



છપૈયા માં રાસોત્સ્વ


             

Wednesday, July 10, 2019

સર્વે સખી જીવન જોવાને ચાલો રે

સર્વે સખી જીવન જોવાને ચાલો રે

**********

જોગાનુજોગ ભક્ત કવિ રૂપજીભાઈ કડિયાને વઢવાણ પાસેના ખારવા ગામે ધનારાબા નામના એક સત્સંગી હરિભક્ત ભેટી ગયા. ધનારાબાએ રૂપજીભાઈને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અનન્ય મહિમા સમજાવ્યો. રૂપજીભાઈ તો પૂર્વના મુક્ત હતા, એમને સત્ય સમજાતાં વાર ન લાગી. ધનારાબાની વાતો સાંભળીને એમના અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શનની અદમ્ય ઇચ્છા જાગી.

એ વખતે શ્રીજીમહારાજ ગઢડામાં વિરાજમાન હતા. રૂપજીભાઈ ધનારાબા સાથે ગઢડા જવા ઊપડ્યા. બે દિવસે તેઓ ગઢડા પહોંચ્યા. એ વેળા મહારાજ ભારે ભારે વસ્ત્રાભૂષણ પહેરીને રોઝે ઘોડે બેસીને દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ જતા હતા. રૂપજીભાઈને શેરીમાં જ મહારાજનાં દૂરથી દર્શન થયાં. એમનું અંતર મહારાજની મૂર્તિના દર્શન માત્રથી દ્રવી ગયું અને તરત જ તેમણે 'સર્વે સખી જીવન જોવાને ચાલો રે...' એ કીર્તન બનાવી ગાયું.

ભરચક જનસમુદાય વચ્ચે પણ આ શબ્દો મહારાજના કાને પડ્યા. મહારાજે દૃષ્ટિ ફેરવી જોયું તો ધનારાબાની સાથે રૂપજીભાઈને દીઠા. ભારે ભીડ વચ્ચેથી જ મહારાજે રૂપજીભાઈને હાકલ કરી પાસે બોલાવ્યા. રૂપજીભાઈએ મહારાજ પાસે જઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને નયનમાંથી ઝરતા પ્રેમાશ્રુથી શ્રીહરિનાં ચરણોને પખાળ્યાં. મહારાજે રૂપજીભાઈને છાતીમાં ચરણારવિંદ આપ્યાં ને પછી પ્રેમથી પ્રગાઢ આલિંગન આપ્યું.

મહારાજ લક્ષ્મીવાડી પહોંચ્યા, ત્યાં આંબાના વૃક્ષ નીચે સભા કરી રૂપજીભાઈને પોતાની પાસે બેસાડ્યા. પછી મહારાજે સર્વ સભાને સંબોધતાં કહ્યું: "આ રૂપજીભાઈ પરમ ભક્તરાજ છે ને નૈષ્ઠિક બ્રહ્મચર્યવાળા છે."

પછી રૂપજીભાઈ તરફ જોઈને બોલ્યા: "કેમ રૂપજી! હવે ક્યાં સુધી સંસારાબ્ધિના ખૂણામાં છુપાઈ રહેવું છે?"

રૂપજીભાઈએ તત્કાળ ઉત્તર આપ્યો: "મહારાજ, આપના દર્શનની જ રાહ જોતો હતો. હવે ઘેર જવાની જરાય ઇચ્છા નથી. આપની પાસે યાચના કરવાનો જ ઇરાદો હતો કે આપના ચરણારવિંદના સેવનનો લાભ આપવા કૃપા કરો તો સારું."

મહારાજ રૂપજીભાઈનો ઉત્તર સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને ત્યાં એ વખતે જ રૂપજીભાઈને દીક્ષા આપી પરમહંસ બનાવ્યા ને ભૂધરાનંદ નામ આપ્યું, જે કાળાન્તરે ભૂમાનંદ થયું.






કાવ્યકૃતિ :

સર્વે સખી જીવન જોવાને ચાલો રે,

શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે. ૧

એની શોભા મુખે વર્ણવી ન જાય રે,

જેને નિગમ નેતિ નેતિ કહી ગાય રે. ૨

રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,

છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. ૩

મળ્યાં આવે મહામુનિનાં વૃંદ રે,

તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર રે. ૪

ભક્તો ને મુક્તો ઉત્તમ યશ ગાવે રે,

નૃત્ય કરી સંતો વાજિંત્રો વજાવે રે. ૫

નિજ સખા ચમર કરે લઈ હાથ રે,

આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે. ૬

Tuesday, March 5, 2019

"વચનામૃત" વિષય ઉપર તારીખ ૩/૩/૨૦૧૯ ના દિવસે દાદર યોગી હોલ માં એક દિવસ ની શિબિર

પ્રવર્ચન - ૧




પ્રવર્ચન - ૨


પ્રવર્ચન - ૩


પ્રવર્ચન - ૪


પ્રવર્ચન - ૫


પ્રવર્ચન - ૬

Thursday, October 18, 2018

બે સત્ય ઘટનાઓ - એક વિડીયો કલીપ અને બીજી ૩ પાના ના પત્ર દ્વારા



ડોક્ટર તેજસ પટેલ ની વિડીયો કલીપ 



પૂજ્ય મહંત સ્વામી ને સંબોધી ને તારીખ ૨૮-૯-૨૦૧૮ ના સુરત ના એક હરિભક્તે  લખેલ પત્ર વાંચવા નીચીને લીંક ઉપર ક્લિક કરો   

પત્ર વાંચવા આ લીંક ઉપર ક્લિક કરો

Tuesday, September 18, 2018

Rules of Happiness ( સુખી થવા માટે ના નિયમો )






            


            


            
            

            

Wednesday, September 5, 2018

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ: ૪

                               પૂજ્ય નારાયણમુની સ્વામી 


* રામાયણમાં 3 કુટુંબની વાત આવે છે. એક શ્રી રામચંદ્રજીનું માનવ કુટુંબ, બીજું વાલી અને સુગ્રીવનું વાનર કુટુંબ, અને ત્રીજું રાવણનું રાક્ષસ કુટુંબ. 


* ત્રણેય કુટુંબોની અંદર નાના મોટા પ્રશ્નો થયા. એમાં માનવ શ્રી રામચંદ્રજીના કુટુંબે એવો વ્યવહાર કર્યો કે એમનો શોક, એમનું દુ:ખ એજ સુખનું કારણ બની ગયું. 


* વાનર કુટુંબની અંદર થોડી ગેર સમજ થઇ, પણ એ કુટુંબ આગળ વધ્યું ,પ્રયત્ન કર્યો અને એ કુટુંબમાં પણ શોકનું શ્લોકત્વ થયું. 


* રાક્ષસ કુટુંબ, જ્યાં અહંકાર પ્રધાન હતો, ભગવાન પ્રધાન ના થયા, એટલે ત્યાં આનંદનું વાતાવરણ શોકમાં બદલાઈ ગયું.