Showing posts with label health. Show all posts
Showing posts with label health. Show all posts

Wednesday, August 10, 2022

આરોગ્ય મન નું અને તન નું



મન ના આરોગ્ય માટે શૈલેન્દ્રભાઈ સગપરિયા નું એક મનનીય પ્રવર્ચન 


                    તન નાં આરોગ્ય માટે પાણી વિષે ની  જાણકારી માટે  
                               સાંભળો ડૉક્ટર રાજેશ વર્મા ને 


                                                                    

Friday, April 2, 2021

ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.

ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.


સિદ્ધપુર ના બ્રાહ્મણ ની નાતના ભોજન માટે વર્ષો પહેલાં અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા..... 


શું વધારે લાડવા ખવાય એ માટે? .....


ના,.... ખરો હેતુ શુગર કંટ્રોલનો હતો...,

કે આગલા દિવસે ઉપવાસ કરવાથી 

શુગર લેવલ લો જાય તો બીજા દિવસે 

લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!  


અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ?  👇👇


લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં), 

ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ગુણો વિષે જાણીને તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય. 


પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે! Multiple Coated Pellets by Brahmins  (MCPB) technique તરીકે સમજીશુ તો ખ્યાલ આવશે.


ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ(pellets)પર 

ઘી નું પડ (coating) થઇ જાય. 


પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે 

અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે 

કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું (second coating) થઇ જાય. 


અને પછી વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસ નું મુક્ત પડ ચડાવવામાં આવે.ખસખસ ના ઝીણાં ઝીણાં  બી સાઈઝ-2 માઈક્રોન  (detoxifier) તરીકે કામ કરે છે.


આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.


First line of defence

ખસખસ છેલ્લે લગાવવાનું પણ કારણછે.જયારે ખસખસ લગાડેલ  લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ખસખસ ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ કરે છે. 

           તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.

ત્યાર બાદ Second line of defence કાર્યરત થાય, જેમાં ઘી મહત્વની ભૂમિકા ભજવે છે.

લોટ અને ગોળ ના કણ જે 3-4 માઈક્રોન થી  નાના  હોય તેને ધીમાં સાંતળી એના પર કોટીંગ કરેલ તે ઘીનું કામ હવે શરુ થાય છે.

શરીર જયારે લાડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે. 


તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે  જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે. 

Third line of defence.

એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. 


અને એ છે ખસખસ અગેઇન. 


આ ખસખસ એક મહામાયા છે.


એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. ખસખસ રીલીઝ થયેલાં શુગર મોલિક્યુલ્સ ને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે.

કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.

આમ લાડવા  બનાવવામાં જે સૂઝબૂઝ આપણા વડીલોએ બતાવી છે તે અદ્ભૂત છે. એટલે જ ત્યારે ડાયાબિટીસ ન હતો.ખાવાના  વધું શોખીન સિદ્ધપુરીયા અને હળવદીયા બ્રાહ્મણ, આગલા દિવસ ભુખ્યા રહેતાં ને વધુ જમાઈ જાય તો જમીને નદી એ ન્હાવા પડતાં. આ બંને હકીકત આરોગ્ય વિજ્ઞાન ની દ્રષ્ટીએ કેટલી સાર્થક છે તે આજે સમજાય છે ને? આજ સુધી આપણે જ આપણાં ભૂદેવઓની આ પ્રકારના વર્તન ને સમજ્યા વગર હસી કાઢતાં.

GOOD MORNING 🙏

 હર હર મહાદેવ

જય શ્રી કૃષ્ણ 🙏🌹 

Tuesday, October 29, 2019

આગ્રાના પેઠા

શું આપ આગ્રા ગયા છો? જો આગ્રા ગયા હશો તો યમુના નદીને કિનારે પ્રેમના પ્રતીક સમા સંગેમરમરથી બનેલા તાજમહેલની મુલાકાત તો અવશ્ય લીધી જ હશે. મુગલ બાદશાહ શાહજહાંની લોકપ્રિયતા તાજમહેલને કારણે તો પ્રખ્યાત છે. વળી તેમની બીજી ઓળખ એટલે આગ્રાના પેઠા. 



બાદશાહની પ્રિય વાનગી પેઠા હતી. બાદશાહે તેમના રસોઈયાને ક્હ્યું હતું કે મને એક વિશિષ્ટ મીઠાઈ ખાવાનું મન છે જે શુદ્ધ હોય તથા સંગેમરમરથી બનેલા તાજમહેલ જેવી સફેદ હોય. રસોઈ બનાવતા મહારાજે ખાસી મહેનત કરીને સફેદ કોળાનો ઉપયોગ કરીને દૂધ જેવા સફેદ પેઠા બનાવીને બાદશાહને પીરસ્યા. બાદશાહ વાનગી ખાઈને આફરીન થયા. આમ સફેદ કોળાની વાનગી પેઠાએ દેશ-વિદેશમાં નામ બનાવ્યું. ૩૫૦ વર્ષ પહેલાં પણ પેઠા બનતાં હતાં. ભારતમાં આગ્રાની ઓળખ તાજમહેલ તથા પેઠાને કારણે વિખ્યાત બની છે. 


દિવાળીમાં તેનો ઉપયોગ ઉત્તર ભારતમાં તો ઘેર ઘેર થતો હોય છે. ગરીબ કહો કે ધનિક પ્રત્યેક વ્યક્તિને નવા વર્ષમાં તેની લહેજત માણવા મન લલચાતું હોય છે. ગુજરાતમાં પણ હવે તો દિવાળીમાં ખાસ પેઠાની ખરીદી થતી હોય છે. આગ્રાના નુરી ગેટ પાસે લગભગ ૭૦૦થી વધુ કુટિર ઉદ્યોગ ફક્ત પેઠા બનાવવાના કાર્યરત છે. 

કોઈપણ જાતની ભેળસેળ વગર બનતાં પેઠાને ઈશ્ર્વરની મનગમતી મીઠાઈ પણ ગણવામાં આવે છે. ખાંડ, પાણી તથા સફેદ કોળાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે તો આગ્રાના પેઠા બનાવતી ખ્યાતનામ દુકાનોમાં પણ મધુમેહના દર્દી પણ ખાઈ શકે તેવા પેઠા બનવા લાગ્યા છે.

સામાન્ય રીતે તો શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી મીઠાઈને તાજે-તાજી ખાવામાં આવતી હોય છે. જેમ કે દૂધીનો કે ગાજરનો હલવો, વટાણાની બરફી, બટાકાનો શીરો સફેદ કોળામાંથી બનતી મીઠાઈ એટલે જ ‘પેઠા’. પેઠા બે પ્રકારના બનાવવામાં આવે છે. એક સૂકા પેઠા તથા બીજા થોડા નરમ રસાદાર પેઠા. સૂકા પેઠાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. આપણે આઈસક્રીમ, કૅક, પાનમાં કે મુખવાસમાં ટૂટી-ફ્રૂટીનો સ્વાદ માણીએ છીએ તે પણ સફેદ કોળામાંથી જ બનાવવામાં આવે છે.

સફેદ કોળાને અંગ્રેજીમાં વૅક્સ ગોર્ડ કે એસ્ ગોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તેને કોળું તો હિન્દીમાં તે કદ્દુ તરીકે ઓળખાય છે. એશિયામાં તેનો પાક મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઉપરની છાલ લીલી તથા પાતળી હોય છે, મીઠાશથી ભરપૂર જોવા મળે છે. ધીમે ધીમે તેમાંથી ચીકણો પદાર્થ પણ બનવા લાગે છે, આથી જ તેને ‘વૅક્સ ગોર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. સાઉથઈસ્ટ એશિયામાં તેનું ઉત્પાદન મોટા પાયે થતું જોવા મળે છે. એવું કહેવાય છે કે તે જાપાન તથા જાવાથી એશિયાના વિવિધ દેશોમાં ખ્યાતિ પામ્યું. એક વર્ષ સુધી પણ તેને રાખી શકાય છે. સફેદ કોળામાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે અત્યંત લોકપ્રિય બન્યું છે. 

વિશ્ર્વના વિવિધ દેશોમાં પણ તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. વિયેટનામમાં પ્રસૂતિ બાદ માતાને ખાસ સફેદ કોળાનો સૂપ બનાવીને આપવામાં આવે છે.

ચીનમાં તેનો ઉપયોગ વિવિધ શાકભાજીની સાથે પણ કરવામાં આવે છે. ખાસ પ્રકારની કેન્ડી તથા નવા વર્ષે બનાવવામાં આવતી કૅકમાં પણ સફેદ કોળાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાઈનીઝ તથા તાઈવાનીઝ મૂન ફેસ્ટિવલમાં પણ ‘મૂનકૅક’માં તેનો ખાસ ઉપયોગ કરે છે. ફિલિપાઈન્સમાં પણ પેસ્ટ્રી અને સૂપ બનાવવામાં સફેદ કોળાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં પણ સફેદ કોળાનો ઉપયોગ નવા વર્ષે ઉત્તર ભારતમાં ખાસ કરવામાં આવે છે. સફેદ કોળામાંથી બનતાં સ્વાદિષ્ટ પેઠાની મોજ ઉત્તર ભારતીયો મન ભરીને માણે છે. દક્ષિણ ભારતમાં કરી, શાક કે સંભારમાં તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. હિમાલયના પહાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા તો ‘બરી’ નામક એક ખાસ વાનગી બનાવવામાં આવે છે. જે ઠંડીના દિવસોમાં ઉપયોગી બને છે. સફેદ કોળાની સાથે મગને ભેળવીને બરી બનાવવામાં આવે છે. 

સૂર્યપ્રકાશમાં તેની સુકવણી કરે છે. ઠંડીમાં બરફવર્ષા બાદ તેનો ઉપયોગ ભાત કે રોટલી સાથે રસાવાળા શાક તરીકે કરવામાં આવે છે. પહાડી પ્રદેશમાં રહેતાં લોકો દ્વારા ઘણા લાંબા સમયથી મોસમમાં આવતા બદલાવ સામે શરીરને ટકાવી રાખવા ઉપયોગ કરવામાં આવે છે. કોળામાં આયર્ન તથા વિટામિનની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. 

નેપાળમાં તો ‘વૅક્સ ગૉર્ડ પંચ’ નામક ખાસ પીણું મળે છે. પેઠા તથા મુરબ્બો પણ નેપાળી લોકોની મનભાવતી વાનગી ગણાય છે. કુમ્હાડા, કોળુ કે પેઠા કોળાનો રંગ આછો લીલો હોય છે. તેનો આકાર ગોળાકાર પણ થોડો લાંબો હોય છે. તેની ઉપર થોડો સફેદ પાઉડર લાગ્યો હોય તેવું લાગે છે. વાસ્તવમાં તેની ઉપર કોળામાંથી જ નીકળેલું એક પ્રકારનું વૅક્સ લાગ્યું હોય છે. પેઠાનું કદ પીળા કોળાની સરખામણીમાં થોડું નાનું હોય છે. ૯૬ ટકા પાણીનું પ્રમાણ કોળામાં જોવા મળે છે. આથી જેને વજન ઘટાડવું હોય તેને માટે સફેદ કોળું ઉપયોગી છે. તેનું શાક, હલવો મુરબ્બો પણ બનાવવામાં આવે છે.

ભારતમાં આગ્રાના પેઠા અત્યંત પ્રખ્યાત છે. આગ્રામાં તાજમહેલ જોવા ગયા હોય તેને બીજો સવાલ ત્યાંના પેઠા ચાખ્યા કે નહીં તેવો જ કરવામાં આવે છે. પેઠામાં પણ હવે વિવિધ વેરાયટી મળતી થઈ છે. જેમ કે કેસર પેઠા, ચોકલેટ પેઠા, પાન પેઠા, અંગૂરી પેઠા, નાળિયેરી પેઠા, સૂકા પેઠા, કાજુ પેઠા. વાસ્તવમાં જો ઓરિજિનલ સ્વાદ માણવો હોય તો સફેદ કોળામાંથી બનતાં પેઠા ખાવ તેની સાથે તેમાંથી એક મીઠો-મધૂરો રસ છૂટે તે મન-મસ્તિષ્કને તરબોળ કરી દે તેવો હોય છે.
એસિડિટીમાં ગુણકારી: સફેદ કોળાનો ઉપયોગ કે તેમાંથી બનાવેલા પેઠાનો ઉપયોગ કરવાથી છાતીમાં થતી બળતરાને દૂર કરવામાં મદદરૂપ છે.

સવાર-સાંજ કોળાનો રસ પીવાથી કે નાનો ટુકડો પેઠાનો ટુકડો ખાવાથી લાંબા સમયથી શરીરને પરેશાન કરતી બળતરાની તકલીફમાં ફાયદો થાય છે.

ચયાપચયની ક્રિયામાં લાભકારી: સફેદ કોળામાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર છે. ફાઈબરનો ઉપયોગ આહારમાં કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે. પાચન સુચારુરૂપે થવાને કારણે પાચન સંબંધિત વિવિધ રોગ જેવા કે કૉલોન કેન્સર, ડાઈવર્ટિક્યુલાઈટિસ કે આંતરડામાં થતાં સોજાને રોકે છે.

શરદીમાં ગુણકારી: સફેદ કોળામાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. શરદી, ખાંસી કે તાવની તકલીફમાં પેઠાનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

હૃદયની બીમારીથી બચી શકાય છે: અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન દ્વારા કરવામાં આવેલા અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો વિટામિન સીનું પર્યાપ્ત માત્રામાં સેવન કરે છે તેમની હૃદયરોગની સંભાવના ૪૨ ટકા ઘટી જાય છે. પેઠામાં વિટામિન સીની માત્રા લગભગ ૧૯.૧૧ ટકા જોવા મળે છે. આમ સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદરૂપ ગણાય છે.

માઈગ્રેનમાં લાભકારક: વિટામિન બી -૨ માઈગ્રેનની તકલીફમાં ગુણકારી ગણાય છે. અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે વિટામિન બી -૨નું સેવન કરવાથી માઈગ્રેનના દર્દમાં ઘટાડો જોવા મળે છે. વળી લાંબા સમય સુધી દુખાવો રહેતો હોય તો સફેદ કોળાનો ઉપયોગ આહારમાં કરવાથી દુખાવો ઝડપથી ઓછો થવા લાગે છે. સફેદ કોળામાં રિબોફ્લેવિન નામક ઘટક સમાયેલું છે. જે આંખોનું તેજ વધારવામાં, પાચનક્રિયાને સુધારવામાં, શરીરમાં હોર્મોન, તેમનું કાર્ય યોગ્ય રીતે કરી શકે તે માટે પણ વિટામિન બી-૨ જરૂરી છે. શરીરના પ્રત્યેક અંગોનો યોગ્ય વિકાસ થાય તે માટે અતિઆવશ્યક ગણાય છે. શરીરને મળતાં પોષકતત્ત્વોનું ઊર્જામાં પરિવર્તન કરી શરીરની ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવે છે. સ્વાદમાં ગળ્યા હોવા છતાં પેઠામાં ફાઈબર તથા પાણીનું પ્રમાણ ભરપૂર હોવાથી તે વજન ઘટાડવા માટેનો રામબાણ ઉપાય ગણાય છે. 

સફેદ કોળાનું શાક ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ખનિજ તથા પોષક તત્ત્વોથી સમૃદ્ધ હોવાને કારણે માંસપેશીઓની વૃદ્ધિ માટે પણ ઉપયોગી ગણાય છે. કૅલ્શિયમ, સોડિયમ, સેલેનિયમ, આયર્ન જેવા અનેક ગુણોનો ભંડાર ધરાવતા સફેદ કોળાનો તથા તેમાંથી લાંબો સમય ખાઈ શકાતા સ્વાદિષ્ટ પેઠાનો ઉપયોગ આરોગ્યને માટે ઉત્તમ છે.

(ઋણ સ્વીકાર: મૂળ લેખક: શ્રીલેખા યાજ્ઞિક - સ્વાસ્થ્ય સુધા- મુંબઈ સમાચાર  )

Tuesday, October 15, 2019

Sunday, August 18, 2019

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.


શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલીના સ્વામીશ્રીની પ્રેરણાથી


RS. 1.00 માં તમારી કિડનીને સાફ કરો


વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.

 

લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.


આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?


અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.


 તાજા લીલા ધાણા (કોથમરી) ની એક જુડી લો અને તેને સાફ કરી મીક્ષરના જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...


અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી  જોશો.

તમે પોતે તેનો તફાવત પરખી શકશો. 


તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!


કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.


આ પ્રયોગ અઠવાડીએ કમ સે કમ એકવાર સવારે નરણા પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધા પહેલા) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પણ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલા રેસા ( ફાઈબર) શરીરમાં જમા થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે 


આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું 


કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો

તમારી કિડની સ્વચ્છ રહે અને ડાયાલીસીસ ના ચક્કરમાં ન પડો તેવી શુભેચ્છા।..


ફક્ત વાંચો નહીં

તમે પોતે કાળજી લો અને નિયમિત આ નાનકડો પ્રયોગ કરો...


🙏🏻 સૌજન્ય 🙏🏻


વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા ફાર્મસી સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય


ડૉ બલભદ્ર મહેતા


📲9427888387


કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જ SHARE કરજો।..


તમે નિરોગી રહો એ જ અમારી શુભકામના, અને એટલે જ તમને આ મેસેજ મોકલ્યો છે, તો તમે પ્રયોગ કરજો અને આ મેસેજ આગળ જરૂર મોકલજો


🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽

ઘૂંટણ ના દુખાવાનો દેશી ઈલાજ

આજકાલ લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વડીલને ઢિચણનોઁ (ઘૂંટણ), દુઃખાવો રહેતો હોય છે અને ડોક્ટર Knee Replacement માટેની સલાહ આપે છે. 

જેનો ખર્ચ 1 ( એક ) થી 3 ( ત્રણ ) લાખ રૂપિયા થાય છે.

આ માટેનો સસ્તો સારો અને સરળ ઉપાય બાવળનાં બી નો પાવડર હુંફાળા પાણી માં એક ચમચી પાઉડર મિક્સ કરી બપોરે અને રાત્રે જમ્યા પછી  લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.

 ઓપરેશન કરાવવાની કોઈ જ જરૂર રહેતી નથી.

૨૦૦ ગ્રામ પેકિંગ પાવડરની કિંમત માત્ર  RS. 30.00.

આ આયોજન સ્વસ્તિક જૈન પરીવાર તરફથી કરવામાં આવ્યું છે.

ખાસ સૂચના : 
રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.

પાવડર મેળવવા માટેનું સ્થળ:

૧).બ્રિજેશ શાહ
૧૧ બાબેશ્વર સોસાયટી, વરસોડાની ચાલી રામનગર, સાબરમતી
પાઉડર મેળવવાનો સમય.
સવારે : ૮.૩૦ થી ૧૧.૦૦.


૨) સુનીલભાઈ પી. શાહ 
 ૬, ત્રિશલા ફ્લેટ, પંકજ સોસાયટી, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ,
૯૮૨૫૩૧૮૨૫૨.
પૂછપરછ માટે ફોન કરવૌ નહી.
પાઉડર મેળવવાનો સમય:-  
સાંજે  ૦૭:૩૦ થી ૯:૩૦
(પાલડી, વાસણાના વિસ્તારનાંએ સુનીલભાઈનો સંપર્ક કરી શકો છો)


૩). ભાવેશભાઇ શાહ
 ૨  સુરભી ફ્લેટ્સ, પહેલે માળ,  ૧૩ શ્રેણિક સોસાયટી, આંગી ૫ ની પાછળ, જૈન દેરાસર પાસે, નારણપુરા ચાર રસ્તા, નારણપુરા.
૯૮૨૫૭૫૨૩૧૮.
નારણપુરાનાં એરિયાવાળાએ ભાવેશભાઈનો સંપર્ક કરવો.
ફોનનો સમય:- 
રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦
પાઉડર મેળવવાનો સમય:-
સવારે  ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને  
સાંજે ૪:૦૦ થી ૯:૦૦

૪) શ્રી હરેશ ભાઈ આર શાહ
    પદમાવતી સ્ટોર , ૧ શ્રીજી દર્શન કોમ્પલેક્ષ, વ્રજધામ મંદીર નજીક, માંજલપુર વડોદરા
૯૪૦૯૧૫૬૪૦૯

૫) શ્રેણિક ભાઈ . પી .શાહ ( રાંધેજા વાળા )
૯ એ  ચિંતામણી સોસાયટી
  અચેર રોડ સાબરમતી.
 પાઉડર મેળવવાનો સમય
સાંજે : ૭ થી ૯

6) BHAVIN RAJENDRA SHAH
RESIDENT ADDRESS
1/23,BAHARI BLDG NO.1,JAKERIYA BUNDER ROAD,NEAR JHAVERI HONDA SERVICE CENTER, COTTONGREEN, MUMBAI-400015
CALLING TIME : 4PM to 8PM
KINDLY COLLECTING MEDICINE BETWEEN : 
10AM to 1PM & 
5PM to 7PM
8779021922

૭) સંકેત. એમ. શાહ
સિદ્ધાચલ વાત્તિકા ,સાબરમતી કૉલેજ ની જોડે, સાબરમતી , અમદાવાદ.
પાઉડર મેળવવાનો સમય.
 સવારે ૯.૩૦ થી ૧૧.૪૫
૭૬૦૦૬૧૮૦૩૭
૮) વિરલ શાહ
  સી ૯ & ૧૦ આમ્રપાલી ફ્લેટ.
જુલી એપાર્ટમેન્ટ ની સામે
  ચંદ્રમાની હોસ્પિટલ ની સામેની ગલીમાં.
  શાહીબાગ. અમદાવાદ.
  ૮૮૪૯૪૧૪૨૮૦.
( રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.
નમ્ર વિનંતી )
૯) સંસ્કૃતિ ભવન
  ૮ \ ૧૬૪૩  સુભાષ ચોક , ગોપીપુરા , મૈન રોડ સુરત.
૦૨૬૧ ૨૫૯૯૩૭
૯૩૭૪૭ ૧૮૩૪૫.
૧૦.૦૦ થી ૧.૦૦
૪.૦૦ થી ૯.૦૦

૧૦ ) કિરીટ કુમાર ખારા
૨૧૦ જમનાદાસ બજાજ સ્ટ્રીટ,
૫૦ & ૫૧ લોહિયા માર્કેટ .
કોલકત્તા 
૬૨૯૦૪૪૪૩૬૦
૨ થી ૫

૧૧) નિલેશ ખારા
૨૯૮ બકુલ બગું રો
લેન્સડાઉને માર્કેટ 
કોલકત્તા
૯૮૩૧૧ ૩૨૦૭૭
સવારે ૮ થી ૧૦.૩૦

૧૨).  ચિરાગ શાહ
જીગર એન્ટરપ્રાઈઝ  
૨૦૯, બીજે  માળે,
બરોડા હાઉસ કોમ્પલેક્સ,
વરાછા રોડ,
સુરત -૬
૮૧૬૦૩૬૪૨૭૦
સવારે : 
૦૯:૦૦ થી ૦૧:૩૦
સાજે
૦૪:૦૦ થી ૦૭:૩૦
૧૩) રાજેશ શાહ                                ૨ એ \ ૧૩૦૪,પેરેડાઇઝ હેઈટ્સ  (મ્હાડા ટાવર ) ,ચિકુવડી, બોરિવલીવેસ્ટ મુંબઈ.
સમય સવારે 10 થી 12
૮૧૦૮૪૦૧૬૭૭
ગોડીજી દેરાસર
પાયધૂની 
સમય બાપોરે ૧ થી ૪
કૉલિંગ સમય  સાંજે  4 થી 6
14)M/s ગ્લોબ ઈમ્પૅક્સ 
મી. વિપુલ મીડિયા (મેહતા )
1,પોર્ટુગીસ ચર્ચ સ્ટ્રીટ,1માળે, બારા બઝાર, કોલકાતા -700001
9051381999
સમય 2pm થી 5pm 
15)આશાબેન મીડિયા (મેહતા)
63/D,ચક્રબેરિયા રોડ (નોર્થ ),1 માળે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, કોલકાતા - 700020
8777015822/9883366555
સમય 6 pm થી 8 pm
16) ભાવનગર માટે સંપર્ક કરો.
તુષાર શાહ
બી-18, વશુંધરા ફ્લેટ,
શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગ સામે,
ડોન ચોક, ભાવનગર.
મોબાઈલ નંબર 
૯૪૨૮૯૯૫૫૭૭
પાવડર મેળવવા નો સમય 
૭ થી ૯ રાત્રે.

ખાસ સુચના :
કોઈ પણ સાધુ  સાધ્વીજી ભગવંતોને વહોરાવો હોય તો કોઈ પણ ચાર્જ લેવાશે નહિ પણ એ ભગવંતોનું નામ અને ક્યાં સમુદાયનાં છે એ જણાવવું જરુરી છે.

સેવાનું કામ છે. 
આ માહિતી આગળ ફોરવર્ડ કરશો. 
જેથી કોઈ મોટા. ખર્ચથી બચી શકે.

હાર્ટ એટેકનું ખરું કારણ 'કોલેસ્ટરોલ' નથી...

( ડો. પુરનેન્દુ મેહતા એ મોકલેલ માહિતી )

( કોલેસ્ટ્રોલ )

તબીબી વિજ્ઞાનની નવી શોધ-

'કોલેસ્ટરોલ' હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.


હાર્ટ એટેકનું ખરું કારણ 'કોલેસ્ટરોલ' નથી...

પણ, ધમનીનો 'સોજો' છે !!


જે તબીબો હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે...

તેઓ દર્દીનું 'અહિત' કરી રહ્યા છે.


આપણી છાતીમાં જરાક દુ:ખાવો થાય કે - તરત જ આપણે ફેમિલી ડોક્ટર પાસે દોડી જઇએ છીએ !


ફેમિલી ડોક્ટર આપણને કાર્ડિયોગ્રામ કઢાવવાની સલાહ આપે છે...

કાર્ડિયોગ્રામના આડાઅવળા લીટાઓનો અભ્યાસ કરીને...

હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર -

આપણને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે છે.


એન્જિયોગ્રાફીમાં -

બ્લોકેજ દેખાય કે તરત જ આપણને સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે. 


આપણા હૃદયની બીમારીમાંથી તબીબો અબજો રૂપિયાની કમાણી કરે છે...

પણ,

તેઓ આપણને જીવતા રાખવાની ગેરન્ટી આપી શકતા નથી !

પોતાની જિંદગીમાં -

આશરે ૫,૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કરી ચૂકેલા અમેરિકાના હૃદયરોગના નિષ્ણાતે તાજેતરમાં એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે...


"તબીબો હૃદયરોગની સારવાર બાબતમાં આજે પણ 'અજ્ઞાન' છે...

અને, તેમની સારવારથી હૃદયરોગ મટી શકે તે સંભવિત નથી."

( આજ વાત મુંબઈ ની કે. ઈ. એમ. હોસ્પિટલ ના ભૂતપૂર્વ ડીન ડોક્ટર

મનુ કોઠારી એ મુંબઈ સમાચાર માં છપાયેલ તેમના લેખ માં જણાવી છે .


અમેરિકામાં હૃદયરોગની સારવારનો ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા નામાંકિત નિષ્ણાત ડો. ડ્વાઇટ લુન્ડેલ કહે છે કે -


"આપણે ડોક્ટરો આપણા જ્ઞાન, તાલીમ અને અનુભવને આધારે એવા અહંથી પીડાવા લાગીએ છીએ કે -

આપણે કદી  ખોટા હોઇ શકીએ નહીં !


મને આવો અહમ્ નથી માટે કબૂલ કરું છું કે -

હૃદયરોગના નિદાન અને ચિકિત્સા બાબતમાં હું 'ખોટો' છું !!" 

એમ કહેવાય છે કે -

ડો. લુન્ડેલની ગણતરી હૃદય રોગ બાબતમાં 'ઓથોરિટી' તરીકે થાય છે. 


તેઓ અને તેમના સાથીદારો હૃદય રોગ બાબતમાં 'ઓપિનિયન-મેકર' ગણાય છે. 


તેઓ કહે છે કે -

વર્ષો સુધી અમે માન્યા કર્યું કે...

હૃદય રોગનું મુખ્ય કારણ બ્લડ 'કોલેસ્ટરોલ' માં થયેલી વૃદ્ધિ છે.


આ કારણે -

અમે હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડતી દવાઓ આપ્યા કરીએ છીએ...


અને,


જેમાં કોલેસ્ટરોલ વધુ હોય...

તેવો 'ચરબીયુક્ત' આહાર ઓછો લેવાની સલાહ દર્દીને આપીએ છીએ.


હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે - 

કોલેસ્ટરોલના વધવાથી હૃદય રોગ થતો નથી.


હવે એવું માનવામાં આવે છે કે -

ધમની 'પહોળી' થવાથી...

અને,

તેમાં 'સોજો' આવવાથી હૃદય રોગ થાય છે. 


આ કારણે -

હૃદય રોગના પ્રાદુર્ભાવ અને ચિકિત્સા બાબતમાં વિચારવાની આખી દિશા જ બદલાઇ ગઇ છે.

પોતાની દલીલના સમર્થનમાં આંકડાઓ અને હકીકતોનું વર્ણન કરતાં ડો. લુન્ડેલ કહે છે કે...


આજની તારીખમાં -

અમેરિકાના ૨૫ ટકા નાગરિકો હૃદય રોગથી બચવા માટેની દવાઓ લે છે...

અને,

તેમણે પોતાના આહારમાં ચરબીનું પ્રમાણ એકદમ ઘટાડી દીધું છે.


તેમ છતાં -

આ વર્ષે હૃદય રોગથી ક્યારેજ નહોતા મર્યા એટલા અમેરિકનો મરશે !



અમેરિકન હાર્ટ એસોસિયેશનના આંકડાઓ કહે છે કે -

અત્યારે ૭.૫ કરોડ અમેરિકનો હૃદય રોગથી પીડાય છે. 


બે કરોડ લોકો 'ડાયાબિટીસ' થી પીડાય છે.. 

અને,  બીજા ૫.૭ કરોડ લોકો 'ડાયાબિટીસ' ની સરહદ રેખા ઉપર ઊભા છે. 


જો લોહીનું વહન કરતી ધમનીમાં સોજો ન હોય...

તો -

લોહીનું સહેલાઇથી પરિભ્રમણ થાય છે...

અને, હૃદય રોગનો હુમલો આવતો નથી.


જો ધમનીમાં સોજો હોય તો -

તેમાં કોલેસ્ટરોલ અટકી જાય છે...

અને, હાર્ટ એટેક આવી શકે છે !


આ રીતે -

હાર્ટ એટેકનું ખરું કારણ કોલેસ્ટરોલ નથી...

પણ,

ધમનીનો સોજો છે ! 


જે તબીબો -

હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે...

તેઓ દર્દીનું અહિત કરી રહ્યા છે !

આપણા શરીરમાં -

સોજો શા માટે આવે છે ?

- તે પણ સમજવા જેવું છે....

આપણા શરીરને માફક ન આવે તેવો અથવા 'ઝેરી' (વિષ) પદાર્થ તેમાં દાખલ કરવામાં આવે... 


ત્યારે,

તેને બહાર ફેંકી દેવા માટે -

આપણા 'કાકડા' માં સોજો આવે છે.

સોજો એ શરીરની કુદરતી 'સંરક્ષણ' પ્રક્રિયા છે...

પરંતુ,

આપણે જ્યારે ઇરાદાપૂર્વક શરીરમાં વારંવાર હાનિકારક પદાર્થો ઠાલવ્યા કરીએ...


ત્યારે -

આ સોજો 'અસાધ્ય' બની જાય છે...

જે શરીર માટે ભારે હાનિકારક છે.


ડો. લુન્ડેલ અત્યંત જવાબદારીપૂર્વક લખે છે કે -

"હૃદય રોગથી બચવા માટે તબીબો જે પ્રકારનો આહાર લેવાનું દર્દીઓને કહેતા આવ્યા છે...

એ 'આહાર' જ હૃદય રોગ માટે કારણભૂત બને છે !!" 


તેમના જણાવ્યા મુજબ -

ઓછી 'ચરબી' અને વધુ 'કાર્બોહાઇડ્રેટ્સ' ધરાવતો આહાર ધમનીના સોજાનું કારણ બને છે. 

કોઇ પણ વ્યક્તિને હૃદય રોગ થાય...

ત્યારે -

ડોક્ટરો તેને ઘી-તેલ જેવા ચરબીયુક્ત પદાર્થો આહારમાં લેવાની મનાઇ ફરમાવે છે. 


તેને બદલે -

તેમને ઓછું કોલેસ્ટરોલ અને વધુ ઓમેગા-૬ ધરાવતાં સોયાબીન, મકાઇ અને સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. 


ડો. લુન્ડેલ કહે છે કે -

આ પ્રકારનો આહાર જ ધમનીના સોજા માટે જવાબદાર છે.

એક સરખામણી આપતાં તેઓ કહે છે કે - 

જો તમે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘસ્યા કરો તો શું થાય ?

લાલ ચાંદા પડી જાય...

અને,

તેમાંથી લોહી નીકળવા લાગે....


ત્યાર પછી પણ -

તમે બ્રશ ઘસવાનું ચાલુ રાખો તો શું થાય ? 


ત્યાં 'સોજો' આવી જાય અને પીડા થાય !!


ડો. લુન્ડેલ કહે છે કે -

બ્રશથી જે રીતે બાહ્ય ચામડી ઉપર ઇજા થાય છે...

તેમ -

'રૂક્ષ' આહાર લેવાથી અંદરની ધમનીઓને ઇજા થાય છે.


આ ઇજાગ્રસ્ત ધમનીઓમાં -

લોહીનું પરિભ્રમણ ઘટી જતાં...

હૃદય ઉપર 'દબાણ'આવે છે અને હાર્ટ એટેક આવે છે.

હૃદય રોગના ભયથી -

અમેરિકાની અને મોટા ભાગના વિકાસશીલ દેશોની પ્રજા...

ઓછી 'ચરબી' અને વધુ 'શર્કરા' ધરાવતો આહાર લેવા લાગી છે. 



બજારમાં -

હૃદય રોગ સામે કહેવાતું રક્ષણ આપતાં ખાદ્ય પદાર્થોનો ખડકલો થયો છે.


લોકો જે બટાટાની ચિપ્સ ખાતાં હોય છે...

તેને પણ 'સોયાબીન' ના તેલમાં તળવામાં આવી હોય છે.

પ્રોસેસ્ડ ફૂડમાં ઓમેગા-૬ તેલોનો બહોળો ઉપયોગ થાય છે. 


આ પ્રકારના ખોરાકને કારણે -

શરીરમાં ચરબી વધે છે...

અને,

ધમનીઓ 'પહોળી' થાય છે.


આ પ્રકારનો આહાર નિયમિત લેવાને કારણે જ -

ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ અને છેવટે અલ્ઝાઇમર્સની બીમારી થાય છે.


આ વાત -

આજના ડોક્ટરો આપણને જણાવતા જ નથી.

ડો. લુન્ડેલ આખી વાતનું સમાપન કરતાં કહે છે કે -

કોલેસ્ટરોલથી બચવા માટે...

આપણે જે પ્રોસેસ કરેલો આહાર ખાઇએ છીએ તે જ આહાર - 

હૃદય રોગ 'પેદા' કરે છે અને તેને 'વકરાવે' છે !! 


તેને બદલે -

જો આપણે ઘી, તલનું તેલ, માખણ વગેરેના સ્વરૂપમાં સંતૃપ્ત  ચરબીયુક્ત આહાર ગ્રહણ કરીએ...

તો,

તેમાં ઓમેગા-૬નું પ્રમાણ ઓછું હોય છે...

અને,

તે હૃદય માટે લાભકારક બને છે.


જો આપણે હૃદય રોગથી બચવું હોય...

તો -

આપણાં દાદીમા જે ખોરાક ખાતાં હતાં...

એ ખોરાક આપણે પણ ખાવો જોઇએ !!


આપણાં દાદીમાં -

રસોઇમાં 'તલ' ના તેલનો અને 'ગાયના ઘી' નો છૂટથી ઉપયોગ કરતા હતા...


ગાયના ઘીમાં -

જે કોલેસ્ટરોલ છે...

તેને તબીબી ભાષામાં 'ગુડ કોલેસ્ટરોલ' કહેવામાં આવે છે.


આ ગુડ કોલેસ્ટરોલ -

હૃદય અને કિડની માટે લાભદાયક છે.


આપણું હૃદય એક 'યંત્ર' છે.


કોઇ પણ યંત્રને સારું ચલાવવું હોય...

તો-

તેમાં વારંવાર ' લ્યુબ્રિકન્ટશ' (ઉંજણ) કરવું પડે.


ગાયનું ઘી અને તલનું તેલ હૃદય નામના યંત્રને 'સ્નિગ્ધ' બનાવવાનું કામ કરે છે,

જેને કારણે તે લાંબું ચાલે છે.


આજકાલ ડોક્ટરો -

જે પામ ઓઇલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે લેવાની સલાહ આપે છે...

તેમાં -

ગુડ કોલેસ્ટરોલ ઓછું હોય છે...

અને,

બેડ કોલેસ્ટરોલ વધુ હોય છે !


ડોક્ટરોની આ ઊંધી સલાહને કારણે -

લોકો હૃદયરોગનો ભોગ બની રહ્યા છે.


જેઓ હૃદયને હેમખેમ રાખવા માગતાં હોય...

તેમણે આ વાત સમજી લેવી જોઇએ.

- સમકિત શાહ

સૌજન્ય :-

ગુજરાત મિત્ર ('ટુ ધ પોઇન્ટ') 

તા. ૦૬, એપ્રિલ, ગુરુવાર



Saturday, August 17, 2019

જીવનમા અતી ઉપયોગી માહીતી


મેડીકલ ફીટનેસ ::

------------------------


       હાઈ બી.પી. 

          ---------------


૧૨૦/૮૦    -  નોર્મલ 


૧૩૦/૮૫    -   નોર્મલ (કંટ્રોલ)/ મોટી ઉમ્મરે હોઈ શકે 


૧૪૦/૯૦    -  હાઈ અને કંટ્રોલ કરવાની જરૂરિયાત 


૧૫૦/૯૫   -  ચિંતાજનક હાઈ અને ડોક્ટર ની સલાહ/સારવાર તુરંત કરાવવી 



         લો બી.પી.

        --------------

૧૨૦/૮૦   - નોર્મલ 


૧૧૦/૭૫   -  અસાધારણ પણ ચિંતાજનક નહિ 


૧૧૦/૭૦    -  લો બી.પી. અને કંટ્રોલ કરવું જરૂરી 


૯૦/૬૫    -  વધારે પડતું લો - ચિંતાજનક - ડોક્ટર ની સલાહ/સારવાર તુરંત કરાવવી 


             હેમોગ્લોબીન 

            ------------------- --


પુરુષો માં  ૧૩ - ૧૭ 


સ્ત્રીઓ માં  ૧૧ - ૧૫ 


આર બી સી કાંઉંટ - ૪.૫૦ - ૫.૫૦ મિલીયન  (રેડ બ્લડ સેલ - લાલ રક્તકણો નું પ્રમાણ)


 --------------------------------------

       પ્લસ / ધબકારા

          -----------

દર મીનીટે ૭૨  - સામાન્ય / સ્ટાન્ડરડ 


દર મીનીટે ૬૦ - ૮૦  નોર્મલ                                     


દર  મીનીટે ૪૦ -૧૮૦ એકદમ અસાધારણ / ચીન્તાજંક                                           


 ---------------------------------------

 શરીર નું ઉષ્ણતામાન/ટેમ્પરેચર 

          ---------------------

૯૮.૪ ડીગ્રી ફેરેનહાઈટ  સામાન્ય


૯૯ ડીગ્રી અને તેનાથી ઉપર - તાવ આવ્યાની સ્થિતિ  


************************************************************************


હાર્ટએટેક અને પાણી"


તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે

સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.


હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !

માહિતી રસપ્રદ છે.


બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.


પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું

પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------


(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.


(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.


(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.


(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.


(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો સ્નાયુઓને  પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.


૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....


(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.


(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ

માત્રામાં અસર હોય છે.


(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.


(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.


(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,

ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.


(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય. મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર

દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.


(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ. પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક

રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.


એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?


આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.




આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,

અળવીના પાનના ગુણો

અળવીના પાનને પસંદ કઈ રીતે કરવા:


અળવીના પાન ઘેરા લીલા રંગના મધ્યમ આકારના પાનને પસંદ કરવા. પાનની દાંડી કાળા રંગની હોય તે જોવું. મકાઈ પાતળ ભાજી કે પાતળ ભાજી બનાવવા માટે ચોમાચામાં ખાસ નાના કુણા પાન મળે છે તેનો ઉપયોગ કરવો. ભાજી વધુ સ્વાદિષ્ટ બને છે. પાનની દાંડી તથા નસને હળવે હાથે ધારદાર ચપ્પુથી કાપી લેવી. નાની કાતરનો ઉપયોગ પણ કરી શકાય છે. પાન તાજા લેવા. કાળા પડી ગયેલાં કે ચીમળાઈ ગયેલાં પાનનો ઉપયોગ ટાળવો. ફ્રિઝમાં રાખેલાં પાનને બદલે બનાવવા હોય ત્યારે જ ખરીદીને ઉપયોગ કરવો હિતાવહ છે. ફ્રિઝમાં રાખવા હોય તો સ્વચ્છ કોરા કપડાંમાં વિંટાળીને તેને બે-ત્રણ દિવસ રાખી શકાય છે.


-----------------------


અળવીના પાનના ગુણો જાણી લઈએ


એન્ટિઑક્સિડન્ટના ગુણો ધરાવે છે: વિટામિન સીની માત્રા પાનમાં ભરપૂર સમાયેલી છે. શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટિઑક્સિડન્ટની માત્રા પૂરી પાડે છે. શરીરને અનેક રોગથી બચાવે છે. ફ્રિ રેડિકલ્સથી બચાવે છે જે કૅન્સર થવાનું એક કારણ ગણાય છે.


રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે: એક મોટા અળવીના પાનમાં ૮૬ ટકા વિટામિન સીની માત્રા સમાયેલી હોય છે. જે શરીરના રોગપ્રતિકારક તંત્રને સુધારવા માટે પૂરતી ગણાય છે. આથી જો એક પાનનો ઉપયોગ પણ આહારમાં વિવિધ રીતે કરવામાં આવે તો શરીરની સક્ષમતા વધી જાય છે.


આંખોનું તેજ વધારે છે: પાતરાંના પાનમાં વિટામિન સીની સાથે વિટામિન એ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. વ્યક્તિની રોજની જરૂરિયાત ફક્ત પાનનો આહારમાં ઉપયોગ કરવાથી પૂર્ણ થાય છે. આંખોની સમસ્યાથી બચી શકાય છે. લીલાં શાકભાજી આમ પણ આંખની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે. ચોમાસામાં ખાસ મળતાં અળવીના પાનનો ઉપયોગ અચૂક કરવો જોઈએ.


વજન ઘટાડવામાં મદદરૂપ: અળવીના પાનમાં ફેટનું પ્રમાણ જોવા મળતું નથી. વળી પ્રોટિન ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. શરીરની ચરબી ઉતારવાની સાથે મસલ્સ વધારે મજબૂત બને તે માટે પ્રોટિનયુક્ત આહાર લેવો જોઈએ. પાતરાંને બાફીને કે વઘારીને તેનો ઉપયોગ કરવો. તળેલાં પાતરાં ચરબી અચૂક વધારશે. 


બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : અળવીના પાનમાં ઓમેગા ૩ ફેટી એસીડ પણ સમાયેલ છે. રક્તકોષિકામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તે માટે પૂરતાં હાર્મોન્સનુ નિર્માણ પણ કરે છે. આમ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે. 


એનિમિયાની તકલીફમાં રાહત: અળવીના પાનમાં આયર્નની માત્રા પણ ભરપૂર છે. જે લાલ રક્તકણોને બનાવવામાં મદદ કરે છે. વળી વિટામિન સીની માત્રા આયર્નને યોગ્ય રીતે શરીરમાં ભેળવવામાં મદદ કરે છે. જે લાલ રક્તકણોનું કામ શરીરમાં સરળ બનાવે છે. અળવીના પાનને ક્યારેય કાચા ન ખાવા તેને પાણીમાં થોડો સમય રાખ્યા બાદ બરાબર ધોઈને સૂકા કરીને વાપરવા.પાતરવેલિયા બનાવવાને કડાકૂટ ન ગણી વરસાદી મોસમમાં ઘરે જ બનાવીને શુદ્ધ-સાત્વિક ફરસાણનો આનંદ માણવાનું રખે ચૂકતાં!


મકાઈ પાતળ ભાજી બનાવવાની રીત: ૧ નંગ મકાઈના દાણા, ૧ ઝૂડી પાતરાંના નાના પાન, ૧ કપ ચણાની દાળ, ૨ કળી લસણ, ૧ ચમચી અજમો, ૧ ચમચી ઘી, ૧ ચમચી માખણ, કીચનકિંગ મસાલો ૧ ચમચી, હિંગ જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે,૧ નાનો ટુકડો ગોળ, ૧ ચમચી આદુંમરચાંની પેસ્ટ,૧ ચમચી લીંબુનો રસ, સજાવટ માટે બાફેલાં મકાઈદાણા તથા આદુંની કતરણ.


બનાવવાની રીત: ચણાની દાળને તથા મકાઈના દાણાને બાફી લેવા. 


એક કડાઈમાં ઘી-માખણ ગરમ કરી અજમાથી વઘાર કરો. તેમાં ચણાની દાળ, મકાઈના બાફેલા દાણા વઘારવા. થોડું પાણી નાખી થોડી વખત પકાવો. અળવીના પાનને ઝીણાં સમારીને ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, આદું મરચાંની પેસ્ટ, ગોળ, કિચન કિંગ મસાલો નાખી બરાબર સીઝવો. ગેસ બંધ કરીને લીંબુનો રસ ભેળવો. સર્વ કરતી વખતે ઉપરથી મકાઈના દાણા તથા આદુંની લીંબુ-મીઠું લગાવેલી કતરણથી સજાવી ગરમાગરમ પીરસો. કૂણા પાનનો ઉપયોગ કરવાથી ભાજી અત્યંત સ્વાદિષ્ટ બનશે. 


Tuesday, July 9, 2019

તંદુરસ્ત રહેવાની ચાવી એટલે આદું

જમીનની અંદર ઊગતાં આદુંનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. વાસ્તવમાં પ્રાચીન કાળથી ચીન, રોમન, ગ્રીસ, અરેબિક તથા સંસ્કૃત ગ્રંથોમાં આદુંના ઉપયોગ વિશે રસપ્રદ માહિતી જોવા મળે છે. આદુંનો પાક મુખ્યત્વે ભારત, જમૈઈકા, ફિઝી, ઈન્ડોનેશિયા તથા ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તંદુરસ્ત સ્વાસ્થ્યની ચાવી ગણાતા આદું વિશે જાણી લઈએ:

ભારતીય રસોઈમાં આદુંનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. વાસ્તવમાં સવારની પહેલી ચાની મજા તો આદુંના સ્વાદવાળી હોવી જ જોઈએ. આદુંને છીણીને કે થોડું બારીક કચરીને ચા બનાવતાં પહેલાં પાણી ઉકાળી લેવાથી ચાનો સ્વાદ આહ્લાદક બની જાય છે. વળી તેમાં પણ જો ઝરમર વરસાદ વરસતો હોય તથા ગરમાગરમ આદુંવાળી ચા મળી જાય તો પછી એક તરફ ઘરતી ટાઢી બોળ બને તથા બીજી તરફ આપણું દિલો-દિમાગ ચાના સ્વાદમાં રસબોળ બની જાય કેમ બરાબરને! 

બારેમાસ સરળતાથી મળી રહેતું આદું વિવિધ પ્રકારે પણ વેચાવા લાગ્યું છે, જેમ કે આદુંનું તેલ, આદુંનો તૈયાર રસ, આદુંની સૂકાવેલી કતરણ, આદુંને સૂકવીને બનાવેલી આખી સૂંઠ, સૂંઠનો પાઉડર, આદુંની કૅપસ્યુલ પણ બજારમાં મળવા લાગી છે. જિંજર બ્રેડ, જિંગર ટોફી, લૅમન-જિંજર સ્કૉવશ, આદું પાક વગેરે આસાનીથી મળી રહે છે. ભારતીય રસોઈમાં આદુંનો ઉપયોગ પ્રાચીનકાળથી જ થતો આવ્યો છે. રસોઈના સ્વાદને વધારવાની સાથે આદું છુપી રીતે સ્વાસ્થ્યની કાળજી પણ લેતું રહે છે. આહાર નિષ્ણાતો દ્વારા આદુંનો ઉપયોગ વિવિધ વાનગી, અથાણાં, સલાડ તથા વાનગીની સજાવટમાં છૂટથી કરવામાં આવતો હોય છે. આદુંમાં વિવિધ વિટામિન થતા મિનરલ્સની માત્રા સમાયેલી છે. દર્દીને માંદગીમાંથી બેઠો કરવાની શક્તિ આદું ધરાવે છે. ‘જિંજરોલ’ નામક સત્વ જે આદુંમાં જોવા મળે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી ગણાય છે. કહેવાય છે કે ૧૦૦ ગ્રામ આદુંમાં ૮૦ કૅલરી, ૧૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટસ્, ૧.૮ ગ્રામ પ્રોટીન, ૨ ગ્રામ ડાયેટરી ફાઈબર, ૪૧૫ મિલિગ્રામ પોટેશિયમ,૦.૨ મિલિગ્રામ મેંગેનિઝ, ૪૩ મિલિગ્રામ મેંગ્નેશિયમ, ૫ મિલિગ્રામ વિટામિન સી, ૩૪ મિલિગ્રામ 

ફોસ્ફરસ તથા ૦.૬ મિલિગ્રામ આયર્ન સમાયેલું છે. 

આદુંના ફાયદા

ઊલટી-ઊબકામાં અકસીર : સવારના સમયે વાતાવરણમાં બદલાવ કે રાત્રિના સમયે મોડું તથા ભારે ખોરાક ખાવાને કારણે સવારના સમયે અનેક વખત ઊલટી-ઊબકાની તકલીફ જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ સવારના સમયે ખાસ ઊબકા આવવાની તકલીફ રહેતી હોય છે. અનેક વખત કૅન્સરની બીમારીને દૂર કરવા માટે આપવામાં આવતી કિમોથેરાપીને કારણે પણ દર્દીને સવારના સમયે ઊલટી-ઊબકાની તકલીફ જોવા મળે છે. આવા સમયે આદુંની લીંબુ-મીઠું ચડાવેલી કતરણ ચાવી જવાથી અથવા ધીમેધીમે ચૂસવાથી રાહત મળે છે. આદુંની કોઈ આડઅસર પણ થતી નથી. 

ફંગલ ઈન્ફેકશનમાં લાભકારી : ગરમીમાં વધુ પડતો પરસેવો થવાને કારણે કે વધુ પડતું તીખું તળેલો ખોરાક ખાવાને કારણે અનેક લોકોની ત્વચામાં ફંગલ ઈન્ફેકશન કે ફૂગ થાય છે, જેને કારણે વારંવાર ખંજવાળ આવે છે. વળી તે ભાગ લાલ બની જાય છે. આદુંનો ઉપયોગ કરવાથી ફંગલ ઈન્ફેકશનમાં રાહત મળે છે. ઈરાનમાં કરવામાં આવેલા એક સંશોધન મુજબ મોંઢામાં વારંવાર ચાંદાની તકલીફ રહેતી હોય તેમાં આદુંનો ઉપયોગ લાભકારક જોવા મળ્યો.

પેટની બીમારીમાં ફાયદાકારક: કબજિયાતની તકલીફ હોય કે છાતીમાં બળતરા થતી હોય આંતરડામાં ચાંદા પડ્યા હોય તેમાં આદુંનો રસ પીવાથી રાહત મળે છે. 

કૅન્સરના કોષોને બનતાં અટકાવવામાં મદદરૂપ: અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કૅન્સરના કોષોને વધતા અટકાવવામાં આદું ઉપયોગી ગણાય છે. તેનું મુખ્ય કારણ આદુંમાં સમાયેલું જિંજરોલ નામક તત્ત્વ. ઑવેરિયન, પ્રોસ્ટ્રેટ જેવા કૅન્સર સેલને બનતાં અટકાવવામાં ‘જિંજરોલ’ ઉપયોગી હોવાનું જાણવા મળ્યું છે. 

શરદી-ખાંસીમાં ગુણકારી : ઠંડીની મોસમમાં કે વરસાદી મોસમમાં પલળવાથી કે ગરમીમાં પણ અચાનક શરદી-ખાંસીની તકલીફ થાય ત્યારે આદુંનો રસ કે આદું-લીંબુ-મધ ભેળવીને ગરમાગરમ ચા પીવાથી ફાયદો થાય છે. સૂંઠમાં ગોળ ભેળવીને બનતો સૂંઠપાક પણ ઠંડીમાં ગુણકારી છે. 

હાડકાંના દુખાવામાં, સ્નાયુઓમાં દુખાવો થવા લાગે, લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું અટકાવવામાં કે લોહી જામી જવાની તકલીફમાં આદુંનો કે સૂંઠનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે. સવારના નરણાં કોઠે આદુંનો રસ કે સૂંઠ પાઉડરને પાણીમાં પલાળીને પીવાથી ઉપરોક્ત તકલીફથી બચી શકાય છે. 

તાજા આદુંનો ઉપયોગ હિતાવહ ગણાય છે. તાજું ન મળે તો તેની પેસ્ટ કે પાઉડરનો ઉપયોગ પણ કરી શકાય છે. ચોમાસામાં બજારમાં એકદમ કૂણું આદું મળે છે, જેમાં રેસાનું પ્રમાણ હોતું નથી. તેની કતરણ બનાવી લીંબુ-મીઠું ચડાવીને સવાર સાંજ ખાવાથી શરીર સ્ફૂર્તિલું બને છે. કઠોળ બનાવ્યા બાદ તેમાં આદુંની કતરણથી સજાવટ કરવાથી સ્વાદિષ્ટ લાગે છે. સલાડમાં પણ આદુંની કતરણનો ઉપયોગ કરીને સ્વાદ વધારી શકાય છે. તાજા ફળનો રસ કાઢીને તેમાં પણ આદુંનો રસ ભેળવીને સ્વાદ વધારી શકાય છે. આદુંનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવો આવશ્યક છે, જેથી તેનો ફાયદો શરીરને થાય. અનેક વખત જોવા મળે છે કે જે તે વસ્તુના ફાયદા જાણ્યા બાદ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરને ફાયદા કરતાં નુકસાન થવાની સંભાવના વધે છે. પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે. તેથી શરીરને માફક આવે તે પ્રમાણે કોઈ નિષ્ણાતની સલાહ બાદ તેનો ઉપયોગ કરવો.

Saturday, June 8, 2019

મીઠું - સોલ્ટ વિષે ....

🍚🍃🥣🍃🍚


🍚 મીઠાને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને શુક્રનું પ્રતિક માનવામાં આવે છે. ચંદ્ર મનનો કારક હોય છે.  જ્યારે શુક્ર ભૌતિક વસ્તુઓનો કારક હોય છે. તો મીઠું તમારા જીવનમાં સ્વાદ તો વધારે છે પરંતુ તે તેની સાથે ભૌતિક વસ્તુ અને મનને સંભાળવા માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.


🍚 મિત્રો મીઠાને તમે જો સ્ટીલ અથવા લોખંડના ડબ્બામાં રાખો તો ચંદ્ર અને શનિનો મિલાપ થવાથી તે તમારા માટે ખુબ જ ઘાતક સિદ્ધ થાય છે. મિત્રો સ્ટીલ અને લોખંડ શનિનું પ્રતિક મનાય છે માટે જો તમે મીઠું તેમાં રાખો તો તેનાથી ઘાતક યોગ બને છે. તમે જોશો કે જે ઘરમાં આ રીતે મીઠું રખાતું હોય તો ઘરની સ્ત્રીમાં બેચેની જોવા મળે છે, માનસિક સમસ્યાઓ, ગુસ્સો વગેરે જેવી વસ્તુઓ વધતી જાય છે.  આ ઉપરાંત તેના કામો બગડવા લાગે છે. તો ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણમાં મીઠું ન રાખવું જોઈએ.


* બીજું છે કે મીઠાને ક્યારેય પ્લાસ્ટીકના ડબ્બામાં પણ ન રાખવું જોઈએ.*  તે રોગનું કારણ પણ બની શકે છે. એવું કરવાથી જીવનમાં ગરીબી આવે છે. ગરીબીનો મતલબ એવો નથી કે તમારો પગાર ઓછો આવશે કે નોકરી નહિ મળે. તમારા ઘરમાં ધનલાભ તો થશે પરંતુ તે મેડીકલ ખર્ચામાં અથવા તો કોઈ અન્ય ખર્ચાઓમાં વપરાઈ જશે.


 તમારા ખર્ચાઓ એવા વધશે કે તમને સમજમાં નહિ આવે કે આટલું બધું ધન આખરે કેમ વપરાય જાય છે. માટે હંમેશા પ્લાસ્ટીકના ડબ્બાથી મીઠાને બચાવવું જોઈએ. એટલે કે તેમાં મીઠું રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.


🍚 તો હવે એમ થાય કે પ્લાસ્ટિક, સ્ટીલ, લોખંડ એક પણ ધાતુમાં નહિ તો મીઠુંને રાખવું શેમાં ? 


તો મિત્રો સૌથી શુભ મનાય છે કાચ. કાચ એ રાહુનું પ્રતિક છે માટે રાહુ અને ચંદ્ર ભેગા થાય તો શુભ રહે છે. માટે કાચના ડબ્બામાં હંમેશા મીઠાને રાખવું જોઈએ.  આવું કરવાથી માનસિક તણાવ દુર થાય છે. તેમજ તે આપણા જીવન માટે શુભ મનાય છે.


🙏🍚🙏

Tuesday, October 16, 2018

સ્વાસ્થ્ય માટે ગુણકારી જાયફળ: દર્દ અનેક ઈલાજ એક

સ્વાસ્થ્ય પર મામૂલી અસર પણ થાય તો લોકો ફટાફટ ડૉક્ટર પાસે ભાગે છે, આયુર્વેદિક, એન્ટિબાયોટિક અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં પૈસા ખર્ચ કરવામાં તેઓ માને છે, પણ ઘરગથ્થુ ઇલાજ ઘણો ગુણકારી હોય છે એ આજની પેઢીને સમજાવવું થોડું અઘરું છે. જાયફળ એક એવી ઔષધિ છે જેનાથી રોજિંદા જીવનમાં આવતી અમુક તકલીફોથી હંમેશ માટે રાહત મળી શકે છે.

કોઇ વ્યક્તિને આખો દિવસ કામ કર્યા બાદ પણ ભૂખ ન લાગતી હોય તો તેણે જાયફળનો એક નાનકડો ટૂકડો દરરોજ ચૂસવો જોઇએ, જેથી તેમની ભૂખ ઉઘડશે અને વારંવાર ભૂખ લાગશે.


ૄજાયફળના ચુર્ણને મધ સાથે લેવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે અને હૃદય મજબૂત બને છે.


ૄ પેટમાં દુખાવાની સમસ્યા ઉદ્ભવે ત્યારે જાયફળના તેલના બે ટીપા પીવાથી પેટ સંબંધિત તમામ તકલીફોનો અંત આવે છે. 


ૄ ગળામાં સોજો આવ્યા હોય તો જાયફળ ગુણકારી નીવડે છે. જાયફળના ચુર્ણને પાણીમાં ઘોળીને દરરોજ સવારે કોગળા કરવાથી ગળાના સોજા અને દુખાવાથી રાહત મળે છે.


ૄ શિયાળાની ઋતુમાં મોટા ભાગના લોકોને વારંવાર શરદી થતી રહે છે. તેને રોકવા માટે એક ચપટી જાયફળનું ચુર્ણ દૂધમાં ભેળવીને પીવાથી શરદીની વારંવાર થતી તકલીફથી રાહત મળે છે. 


ૄ કાચા દૂધમાં જાયફળ ઘસીને તેનો લેપ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ પર કાબૂ મેળવી શકાય છે. આ ઉપરાંત જાયફળ અને ૧૦ કાળા મરીને કાચા દૂધમાં ઘસીને લગાવવાથી પણ ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. 


ૄ નાના બાળકોને છાતીમાં કફ જમા થાય છે ત્યારે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અથવા ન્યૂમોનિયા જેવા લક્ષણ થતાં હોય છે ત્યારે જાયફળને પાણીમાં ઘસીને તે ગરમ કરીને બાળકોની છાતીએ લગાવવાથી કફમાં રાહત થાય છે.


ૄ વારંવાર હેડકી આવે ત્યારે તુલસીની ૧૦ પાંદડીઓની સાથે એક જાયફળનો ટુકડાને ચાવવાથી હેડકી બંધ થઇ જશે.


ૄ જાયફળમાં લીંબુનો રસ ઘસીને ચાટવાથી પેટમાંની ગેસની સમસ્યાથી છૂટકારો થાય છે.


ૄ ચોખા ધોયા બાદ જે નીકળેલું પાણી હોય તેમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી બંધ થાય છે.


ૄ ગાયના ઘીમાં જાયફળનું ચુર્ણ ભેળવીને પગના તળિયે રોજ ઘસવાથી અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે અને ખૂબ જ સારી નિદ્રા આવશે.


ૄ જાયફળના લેપને કમર પર લગાવવાથી કમરદર્દની તકલીફ દૂર થાય છે.


ૄ નાના ટાબરિયાઓને તાવ આવે ત્યારે જાયફળ પીસીને માથા, છાતી-નાક પર લગાવવાથી રાહત મળે છે.

(ઋણ સ્વીકાર : મુંબઈ સમાચાર દૈનિક)

Saturday, August 25, 2018

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ


સાબુદાણા એટલે તાત્કાલિક શક્તિ (ઇન્સ્ટન્ટ એનર્જી) મેળવવા માટેનો યોગ્ય ખાદ્ય પદાર્થ. સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણા કપડાને કડક કરવામાં તો વપરાય છે, પણ બીમારી અને અશક્તિને લીધે નરમઘેંશ જેવા થઇ ગયેલા તમારા તનમનને કડકાઇ,શક્તિ અને સ્ફૂર્તિ આપવામાં નિમિત્ત બને છે. તમે આખા દિવસના કામના અંતે ખૂબ થાકી ગયા હોવ ત્યારે એક કામ જરૂર કરજો. પલાળેલા સાબુદાણામાં થોડું મરચું-મીઠું અને શિંગદાણાનો ભૂકો નાખીને ખાઇ જોજો. થોડા જ સમયમાં તમારો થાક ઊતરી જશે. તમે ઘણી વાર જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હશે કે ઘણા ડૉક્ટર બીમાર માણસને આહારમાં સાબુદાણાની કાંજી બનાવીને પીવાનું કહેતાં હોય છે. . 


સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન્સ પણ સારા એવા પ્રમાણમાં હોય છે, જેનાથી તમારા શરીરના સ્નાયુઓ કસાય છે. સ્નાયુઓને નાની-મોટી ઇજા થઇ હોય તો રૂઝ આવી જાય છે. સ્નાયુઓ શક્તિશાળી બને છે. શરીરનો બાંધો મજબૂત બને છે. સાબુદાણામાં કેલ્શિયમ અને લોખંડ પણ હોઇ હાડકાં પણ મજબૂત અને સ્વસ્થ રહે છે. સાબુદાણાના નિયમિત ઉપયોગથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. હૃદયરોગની બીમારી સતાવતી નથી. જે લોકોની કાયા સાવ માયકાંગલી (વધુ પડતી પાતળી) છે કે જેમનું વજન જરૂર કરતાં ઓછું હોય તેમણે તો અવશ્ય પોતાના રોજના આહારમાં સાબુદાણાનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરવો જોઇએ. શરીરને મજબૂત બાંધા સાથે ભરાવદાર બનાવવા માટે સાબુદાણા શ્રેષ્ઠ છે. 


સાબુદાણા: નાના બાળકો માટે દૂધ પછીનો સૌપ્રથમ શ્રેષ્ઠ ઘન ખોરાક


નાના બાળકોને એક તો દાંત નથી હોતા અને તેમની પાચનક્રિયા પણ હજી અપરિપક્વ હોય છે. આવા સમયમાં દૂધ પછી જ્યારે એને ઘન(સોલિડ) ખોરાક આપવાનું વિચારો ત્યારે રવાનો શીરો તો ઉત્તમ છે જ પણ દિલ્હીની એક પ્રખ્યાત હૉસ્પિટલના મહિલા ડૉક્ટર અને પોષણ શાસ્ત્રી તો કહે છે કે આ રવા કરતાં પણ સાબુદાણા ઉત્તમ છે. રવામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, પણ સાબુદાણામાં તો કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિમ અને લોહ જેવા તત્ત્વો મોજૂદ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં અત્યંત ઉપયોગી છે. સાબુદાણા ચોક્કસ તમારા બાળકો માટેનો પહેલો સોલિડ અને શ્રેષ્ઠ ખોરાક બની શકે છે. પચવામાં હલકાં એવા સાબુદાણા તમારા સંતાનને કબજિયાત, અતિસાર અને અપચાથી તો બચાવે જ છે. 


સાથે સાથે તેમનું વજન વધારવામાં અને હાડકા તેમ જ સ્નાયુઓના સમતોલ વિકાસમાં અત્યંત ઉપયોગી નીવડે છે. આખો દિવસ બાળકને શક્તિ અને સ્ફૂર્તિથી ભરપૂર રાખે છે. આયુર્વેદ પ્રમાણે સાબુદાણા ઉનાળાના દિવસોમાં પણ ઉપયોગી છે, કારણ કે ગુણમાં શીતળ હોવાથી ગરમીના દિવસોમાં શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરીને એને ઠંડું રાખે છે.

Monday, August 20, 2018

દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા





દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા


ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે.કે-બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે-તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી.


ઉપરાંત,પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું.જે આનંદદાયી ગૃહસ્થી જીવનની-શુભેચ્છા રૂપે અપાતું.


વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે.કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે.હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું.તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી.


દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે.મને ડર હતો કે-જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેઇલ જશે...પણ,દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે. 


86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે...પણ,મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે.


આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે.,ખસ-ખૂજલી તાજી થાય છે.,એ શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે !,આ મારો જાત અનુભવ છે.


તમે ભાવનગર બાજુ જાઓ તો,આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો.નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે.


પણ,મહેરબાની કરી ‘વાંચીને’ પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે...-તેને વાંચશો નહીં.


કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો.,મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે.


કુદરતની ‘ફાર્મસી’ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં.


ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો-કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો...તો પછી,કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયું ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ.


કૃપા કરી યુરોપ-અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના-કાગળના ડબલાના તોડીને એ રસ પીશો નહીં.દાડમને તાજે તાજા ખાજો.


અમે મહુવામા હતા ત્યારે ઘાંચીનો દીકરો શેરીમાં મસ્કતી દાડમ વેચવા આવતો.,તે દાડમને અમે માત્ર જોઈ જ શકતા,ખરીદવાનો વેંત નહોતો.


આજે હિન્દુસ્તાનના મધ્યમવર્ગની સ્થિતિ સુધરી છે .


પાકિસ્તાનીઓ ભાગ્યશાળી છે.કે-તેમને અનાર (દાડમ) સસ્તા મળે છે,અફઘાનિસ્તાનથી સરળતાથી મળે છે.


કુરાનમાં લખ્યું છે.કે-સ્વર્ગના બગીચામાં દાડમ પાકે છે.,તેને પવિત્ર ફળ ગણાય છે.


ફરી ફરી વિનંતી કરું છું કે-દાડમના ઝાડ-છોડ ઉપર પેસ્ટીસાઈડઝ છંટાય છે તેની દરકાર કરશો નહીં.


ખુદાનો આ છોડ તમારા પેસ્ટીસાઈડઝને પણ ઝાપટી જશે.


દાડમ સ્વયં ક્લીન થઈ જશે.કયાંક છાપેલા ગુણ કોઈ લહિયો વાંચે તો લખી નાખશે.કે દાડમ-‘એન્ટીઓક્સિડંન્ટ’ છે !


અરે સાહેબ !,એન્ટીઓક્સિડંન્ટ વળી કઈ વાડીનો મૂળો છે ?


સાદી ભાષામાં-દાડમ તમારા શરીરમાં જઈ તમારા અંગો ઉપર સુરક્ષાના પડ ચઢાવે છે.


દાડમ ગરમાટો આપે છે.,આ મોસમ કે કોઈપણ મોસમમાં ચા પીતા પહેલા દાડમ ખાઈ લો.


ઘણા આરબ દેશોના ધાતુના ચલણના સિક્કામાં દાડમનું ચિત્ર હતું,-તેમ વીકીપીડીયા કહે છે.


આજે પણ ગ્રીસમાં નવા વર્ષનાં દિવસે કે કન્યાના લગ્ન વખતે દાડમથી મંડપ શણગારે છે.


આપણે જેમ શુભ કાર્ય પહેલા કે હનુમાનને નાળિયેર વધારીએ છીએ,તેમ ગ્રીક લોકો શુભ કાર્ય પહેલાં કે વરરાજાની જાન લઈ જતા પહેલા દાડમ વધેરે છે!


મિશેલી સ્કોફીરો કૂક નામની યુરોપિયન આહાર શાસ્ત્રી લખે છે.કે-હું નિયમીત દાડમનું સેવન કરું છું.,અને બીજા લોકોને સવારે દાડમના દાણાનો નાસ્તો કરવાનુ કહું છું....


કારણ કે-તમારી વૃદ્ધાવસ્થાને દાડમ આઘી ઠેલે છે.


અમેરિકાનું કૃષિ ખાતું એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ રાખે છે...તે દાડમના એન્ટી-એઈજીંગ ગુણને વખાણે છે.


ખાસ તો મિશેલી કહે છે...-તે વાત મારે ગળે ઉતરે છે.કે-દાડમ તમારી કિડનીનું અને લીવરનું રક્ષણ કરે છે.


ઝાઝી વાતના ગાડા ભરાય.


તમારે કિડનીને રોગનો ભોગ બની એલોપથી ડોક્ટરને રૂ. 5-6 લાખ ન ખટાવવા હોય તો,કિડની અને લીવરના રક્ષણ માટે રોજ દાડમના તાજા દાણા ખાઓ.