Showing posts with label KS. Show all posts
Showing posts with label KS. Show all posts

Wednesday, May 13, 2015

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ : ૧૯ અને ૨૦ (સમાપ્ત)




  

કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૧૯ 

 






સારાંશ :-


* અંતહકરણમાં લાખો જન્મની વાસના અને કામનાઓ પડી છે, તેનો ક્ષય થવાને બદલે વધારો થતો રહે છે.
* અંતહકરણના પટ પર પડેલ વાસના/કામનાના લપેડા દુર કરવા સતત સત્સંગ કરવો પડે.
* વાસના/કામના પેદા થવાનું કારણ માયાના સત્વ, રજ અને તમો ગુણ છે.
* તમો ગુણનું લક્ષણ છે - પ્રમાદ,આળસ અને નિદ્રા. તેનું મારણ રજો ગુણ છે.
* રજો ગુણનું લક્ષણ છે - જરૂર કરતા વધારે ભેગું કરવું. તેનું મારણ છે, સત્વ ગુણ.
* સત્વગુણથી જીવમાં 'અહંકાર' આવે છે, તે પણ નુકશાન કારક અને પતનનું કારણ બને છે.
* સત્વગુણનું મારણ નથી, પણ તેની નિંદા કરવાથી અહંકાર ઓછો થાય છે.    
* સત્વ, રજો અને તમો ગુણથી પેદા થતી વાસનાઓ આત્માની અનુભૂતિ થવા દેતી નથી.  
* મળ, વિક્ષેપ અને આવરણ પણ આત્માના સ્વરૂપને દેખાવા દેતા નથી.




        કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૨૦   

સારાંસ :-                          


* હકીકતમાં તો હિબ્રુમાં લખાયેલ બાઈબલમાં પણ માંસહારની મનાઈ છે, પણ હિબ્ર્રુમાંથી 
  અંગ્રેજીમાં ભાષાંતર દરમ્યાન 'મીટ' શબ્દના ખોટા ઉપયોગથી અર્થ નો અનર્થ થયો છે. 
* માંસાહાર કરનાર વ્યક્તિને ગીતા અને ભાગવત સાંભળવાનો અધિકાર નથી.
* માનવ સૃષ્ટિની અંદર ૫ કોષો હોય છે, 
  - અન્નમય,પ્રાણમય,મનોમય,વિજ્ઞાનમય અને આનંદમય કોષ. 
* વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ અને આનંદમય કોષ એટલે અહંકાર.
* પંચકોષના અધ્યાસને કરીને માણસને આત્માનું સ્વરૂપ દેખાતું નથી.
* સ્ત્રી-પુરુષમાં ભેદ છે, એ ભાવ છે, ત્યાં સુધી ભોગ્ય ભાવ આવ્યા વિના રહે નહિ.
* પ્રાણમય કોષનો અધ્યાસ છૂટે તો જ હું ભૂખ્યો છું તરસ્યો છું એ મટી જાય.
* મનોમય કોષમાં સુખદુખની, વિજ્ઞાનમય કોષમાં હું જ્ઞાની/વિજ્ઞાની ની અને આનંદમય 
  કોષમાં અહંકારની લાગણી પેદા થાય છે.
* અંતહકરણ જેટલું શુદ્ધ એટલું તમારા આત્માની પ્રકાશ પડવાની શક્યતા વધારે.
* ઉપરના પાંચેય કોષમાંથી જયારે અધ્યાસ જાય ત્યારે અંતહકરણ શુદ્ધ થઈને આત્મદર્શન થાય. 
* જીવનની નદી સંયમના પાણીથી પૂરી ભરેલી હોય, એ પાણીમાં સત્યનું વહેણ ચારિત્રની ભેખડોથી 
  રક્ષાયેલ હોય, એમાં દયાની ઊર્મિઓ હોય, તેનાથી અંતહકરણ શુદ્ધિ થાય છે.  

                                         




*****- પ્રવર્ચન માલા સમાપ્ત - *****


 



Wednesday, May 6, 2015

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૧૦, ૧૧ અને ૧૨










વિશેષ નોંધ :-  ભગવાન શ્રી સ્વામિનારાયણે - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પાંચ મૂળ તત્વો કહ્યા.પોતે પૃથ્વી ઉપર અવતર્યા ત્યારે મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઇને આવ્યા. ગુણાતીત સંતને સાકાર 'બ્રહ્મસ્વરૂપ' તરીકે ઓળખાવ્યા અને માયા થી પર એવા ગુણાતીત સંતને મોક્ષનું દ્વાર અને પરમતત્વને પામવાનું સાધન કહ્યું.   

 

  




Saturday, May 2, 2015

કર્મ નો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૭, ૮ અને ૯










વિશેષ નોંધ :-  ૯/૨૦  પ્રવર્ચનમાં  શ્રી હીરાભાઈ ઠક્કરે “વેદાંત”ના આધારે કરેલ મોક્ષની  સમજણ, ભગવાન સ્વામીનારાયણને અસ્વીકાર્ય છે. મોક્ષ પામવાની સાચી રીત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વરતાલ પ્રકરણ -૧૦ અને આ બ્લોગ ઉપર તારીખ ૨૭ -૪ -૨૦૧૫ની પોસ્ટ દ્વારા આપવામાં આવેલ છે. શુષ્ક વેદાન્તી ના  “અહમ બ્રહ્માસ્મિ” મતને પણ ભગવાન સ્વામિનારયણે અમાન્ય રાખ્યો છે. અને દરેક જીવને અક્ષરબ્રહ્મની ઉપાસના કરી “બ્રહ્મરૂપ” થઇ પરબ્રહ્મની સેવામાં જોડાઈને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ પામવાનો ઉપદેશ આપેલ છે.  

 

  

  


 




Friday, May 1, 2015

કર્મ નો સિધ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન-ભાગ ૪, ૫ અને ૬




           










                                                                                                                                
                


Wednesday, April 29, 2015

"કર્મ નો સિદ્ધાંત" - ની સરળ સમજુતી / હીરાભાઈ ઠક્કર


            અમદવાદના સન્યાસ આશ્રમના શ્રી જયેન્દ્ર્પુરી મહારાજ થી પ્રભાવિત થઈને તેમણે વેદિક ફિલોસોફીનો ઊંડો અભ્યાસ કર્યો, ૩૮ વર્ષો સુધી ગુજરાત સરકારના રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરી. સરકારી નોકરીમાંથી  નિવૃત્તિ પહેલા ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના બહુ બધા શહેરો અને ગામડાઓમાં તેમણે ભાગવત, રામાયણ ભગવત ગીતા અને ઉપનિષદ ઉપર પ્રવર્ચનો કર્યા.

            ૧૯૮૫ પછી તેઓએ અમેરિકાના બહુ બધા રાજ્યોનું ભ્રમણ કરી, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પ્રવર્ચનો કર્યા. તેમણે બહુ બધા પુસ્તકો લખ્યા જેવાકે (૧) મ્રત્યુ નું માહત્મ્ય (૨) વેદાંત વિચાર (3) શ્રીમદ ભગવત ગીતા ભાવાર્થ (૪) ગીતા નવનીત અને (૫) કર્મનો સિદ્ધાંત.

            કર્મ નો સિદ્ધાંત : આપણા કર્મોની આપણા દૈનિક જીવન અને ભવિષ્ય ઉપર શું અસર થાય છે, અને કર્મો કેવી રીતે આપણા જન્મ-મરણ-પુનરજન્મ નું કારણ બને છે, અને તેનાથી બચવા આપણે શું કરવું જોઈએ તેની સાદી અને સરળ ભાષામાં સમજ આ પુસ્તિકામાં આપેલ છે. આ પુસ્તિકા નું હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ અને સિંધી ભાષામાં પણ રૂપાંતર થયેલ છે. અત્યાર સુધીમાં ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને આફ્રિકામાં ૨૦ લાખથી પણ વધુ આ પુસ્તિકાની પ્રતો વહેંચવામાં આવેલ છે.

          અમેરિકામાં એક અઠવાડિયા સુધી તેમણે કરેલ પ્રવર્ચનનું ઓડિયોવિડીયો રેકોર્ડીંગ ૨૦ કેસેટો દ્વારા ઉપલબ્ધ છે.