Showing posts with label savdhan. Show all posts
Showing posts with label savdhan. Show all posts

Thursday, April 1, 2021

એલોપેથિક દવા ની સાઈડ અસર થી સાવધાન રહેજો ....

 




૫૦૦ રૂપિયા ની એલોપેથિક દવા મહંત સ્વામીએ ફેંકાવી દીધી 

.

મારો સ્વાનુભવ:-

આજથી લગભગ ૧૫ વરસો પહેલા બેંગલોર ની એક નામાંકિત હોસ્પિટલ માં આંખના મોતિબિંદુ એટલકે "કેટરેકટ" ના ઓપેરેશન પૂર્વે મારી તબીબ તપાસ માં ડોકટરો એ "હાઇ બ્લડ પ્રેસર" નું નિદાન કર્યું. એટલે આંખ ના ડોકટરો એ મને હાર્ટ ના ડોકટર પાસે વધુ તપાસ કરાવવા મોકલી દીધો. હાર્ટ ના ડોક્ટરે "નોન ઇનવેજીવ એંજયઓગ્રાફી" કર્યા બાદ હાઇ બીપી ને કંટ્રોલ માં રાખવા માટે સવાર સાંજ રોજ ની પાંચ ગોળીઓ લેવા ની ભલામણ સાથે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. તેમાં એક હતી "એકોસ્પીરીન" એટલેકે લોહી ને પાતળું કરવા માટે ની ગોળી. 

પ્રિસ્ક્રિપ્શન લખેલ બધીજ દવાઓ ના રેપર ઉપર તેની "સાઈડ ઇફેક્ટ" ની માહતી પણ લખી હતી. એટલે તે ગોળીઓ લેવા મને થોડી હીચકિચાટ હતી. બે એક પરીચિત અને વિશ્વાસુ ડોકટરો ની સલાહ મુજબ મી તે ગોળીઓ લેવાની શરૂઆત કરી. શિવાય કે "એકોસ્પીરિન". કેમ જે મને કોઈ પણ ઘા થાય અને લોહી નીકળે તો મને સદાય તુરંત ઋજ આવી જતી. એટલે મને મારા રુધિર - લોહી ને પાતળું કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. 

આઠેક વરસો સુધી હું નિયમિત હાઇ બીપી ને કંટ્રોલ કરવાની ગોળીઓ લેતો રહ્યો અને વરસ માં એક વખત મુંબઈ માં નામાંકિત હાર્ટ સ્પેશીયાલિસ્ટ પાસે ચેકઅપ પણ કરાવતો રહ્યો. પછી તો મને આમાંની એક પિન્ક ગોળી ને કારણે લો બીપી ના લક્ષણ દેખાવાના શરૂ થયા. તેમ છતાં હાર્ટ સ્પેશિયાલીસ્ટ ડોક્ટરે મને બધીજ ગોળીઓ મૂળ પ્રિસક્રીપશન મુજબ ચાલુ રાખવા કીધેલ. ડૉક્ટર ની સલાહ અવગણી ને મે રોજ ની એક પિન્ક નાની ગોળી લેતો તેની માત્રા અડધી કરી દીધી - તો લો બીપી ના લક્ષણ બંધ થઈ ગયા.

ત્યારબાદ હું ઈન્ડિયા છોડી ને મારા દીકરા ના ફેમિલી સાથે રહેવા અમેરિકા આવીને સ્થાયી થયો. આજ થી પાંચેક વરસો પહેલા મને પગ ની એક પાની માં સખત દુખાવો શરૂ થયો અને પછી બીજા પગ ના અંગૂઠા માં એમ બંને પગમાં એવો દુખાવો શરૂ થયો કે બેડરૂમ ની નજીક માં જ આવેલ બાથરૂમ સુધી જવામાં પણ તકલીફ પડવા લાગી. 

ઇન્ટરનેટ ના મારા શોખ ને કારણે મને સમજાયું કે મને "ગાઉટ" ની તકલીફ શરૂ થઈ હતી. "ગાઉટ" નો મતલબ તમારી કિડનીઓએ પ્રોટીનજન્ય કચરો યુરીન દ્વારા બહાર ફેંકવા નું બંધ કરી દીધેલ છે. તે કચરો હવે તમારા રક્તપ્રવાહ માં ભળીને શરીરના અંગો ને હલન ચલન માં અવરોધ પેદા કરી રહ્યો છે. 

એટલે સૌ પ્રથમ તો મે પ્રોટીન યુક્ત તુવેર દાળ અને અન્ય કઠોળ લેવાના બિલકુલ બંધ કર્યા. વળી બને એટલું વધુ પાણી પીવાનું શરૂ કર્યું જેથી યુરીન દ્વારા પણ જમા થયેલો કચરા નો થોડી થોડી માત્રા માં પણ ધીરે ધીરે નિકાલ થાય.  ત્યારબાદ થોડી રાહત થઈ એટલે અમેરિકા માં એક ફૂટ સ્પેશીયાલિસ્ટ - પગના નિષ્ણાત ડૉક્ટર પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પણ કન્ફમ કર્યું કે મને "ગાઉટ" નો રોગ થયો છે. અને ત્રણ મહિના સુધી બે પ્રકાર ની ફાર્મસી પિલ્સ નો કોર્સ કર્યા પછી ફરી ને ચેકઅપ કરાવવાની સલાહ આપી. અમેરિકા ના ફાર્મસી અને હેલ્થ ઈન્સ્યોરન્સ ના નિયમ મુજબ મને ફક્ત એક મહિના ની પિલ્સ આપી ને ફરીથી રિફિલ કરાવવા કહેવા માં આવ્યું.

તે દરમ્યાન દર વર્ષ ની માફક વિન્ટર માં મારી ઈન્ડિયાની મુલાકાત નક્કી થઈ ત્યારે મે થોડું આત્મમંથન કર્યું તો મને સમજાયું કે મને ગાઉટ થવાનું મૂળ કારણ હું જે હાઇ બીપી કંટ્રોલ કરવા ફાર્મસી પિલ્સ લેતો હતો તે હતું. બેંગલોર ના હાર્ટ ના ડોક્ટરે મારા હ્રદય ને ઓછો શ્રમ પડે તે માટે ગોળીઓ આપીને મારી કિડની પાસે વધુ કામ કરાવેલ. એટલે હવે કિડની ની તકલીફ શરૂ થઈ હતી. અને મે મનોમન નિર્ધાર કર્યો હવેથી કોઈ જ "ફાર્મસી પિલ્સ" નહિ લેવાનો. 

ઈન્ડિયા પહોંચ્યા પછી અમદાવાદ જઈને મે શાહીબાગ માં આવેલ "યોગી હોસ્પિટલ" ના આયુર્વેદ અને નેચરોપથી વિભાગ માં આઠ દિવસ ના "પંચ કર્મ" થી દેહ શુદ્ધિ કરાવી. ત્યારબાદ બધીજ ફારમાડ્રગ્સ ને તિલાંજલિ આપીને શરીર માં ફરીથી કોઈ અશુદ્ધિ ના થાય તે રીત ની ખાણી પીણી અપનાવી. બહાર હોટેલ રેસ્ટોરાં માં જવાનું સદંતર બંધ કર્યું. અને હવે છેલ્લા પાંચેક વરસો થી અને અત્યારે ૭૭ વરસ ની ઉંમરે મને નથી કોઈ તકલીફ હાર્ટ ની કે કિડની ની.



Tuesday, July 2, 2019

આવા ગુમરાહ કરતા મેડિયા રીપોર્ટ થી સાવધાન રહેજો

        આજે જ્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી ભારત દેશના હિંદુ મુસ્લીમ ઉચ્ચ - દલિત બધાજ વર્ગના લોકોને સબ કા સાથ સબકા વિકાસ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ચોટીલા ના જાદવ દિવ્યા તેમના આ લેખ દ્વારા તર્દન નિમ્ન અને હલકટ કોટીનું તેથી વીપરીત સવર્ણ /દલિતો વચ્ચે વિભાજન કારી ઝેર ઓકી રહ્યા છે.

આ અખબાર ના તંત્રી સાહેબ અને જાદવ દિવ્યા ને મારા કેટલાક તાર્કિક સવાલો :-

૧)  ઘણા વરસો પહેલા ડાર્વિને જગત સમક્ષ એક સિદ્ધાંત રજુ કર્યો -  SURVIVAL OF THE FITTEST મતલબ કે જે સક્ષમ હશે તેનો જ વિજય થશે. મતલબ કે વરસો જુના  આપણા  હિન્દુ મંદિરો - રીત રીવાજો - સંસ્કૃતિ- પરંપરાઓ આજકાલ ની ડેમોક્રેટિક સરકારો કરતા વધારે સક્ષમ પુરવાર થયા છે. તો તમે ડાર્વિન ના સિદ્ધાંત ને પડકારનાર કઈ વાડી ના મૂળા?????????????  


૨) મોહમદ ગઝની એ ૧૮ વખત સોમનાથ મંદિર ને લુંટ્યું/ભાંગ્યું અને દેશને આઝાદી મળ્યા પછી સરદાર પટેલ/ક.મા.મુન્શીએ એ જયારે તેનો પુનરોદ્ધાર કરેલ ત્યારે હિન્દુઓના દ્વેષી નહેરુ એ આવુંજ ગાણું ગાયેલ. આજે નહેરુ ની કોંગ્રેસ અને વંશજો ના હાલ જુઓ અને વલ્લભભાઈ પટેલ નું સ્મારક જોશો એટલે ડાર્વિન નો સિદ્ધાંત ફરી સાચો ઠરે છે. ફરી એક વખત તમે દોઢ ડાહ્યા (ગધેડા શબ્દ નો પર્યાય) સાબિત થઇ ગયા કે નહિ?


૩) આઝાદી પછી આપણી હિંદુ સંસ્કૃતિ - મંદિરો - પરંપરા થી વીપરીત પશ્ચિમી જગત નું શિક્ષણ નવી પેઢી ને આપી ને દેશે શું મેળવ્યું ? જવાબ છે - કામચોર સરકારી બાબુઓ ભ્રષ્ટ રાજકારણીઓ અને વેપારીઓ, નીતિ મત્તા ને નેવે મુકીને પ્રેક્ટીસ કરતા ડોકટરો - વકીલો. આ બધા ક્યાં થી આવી હલકી વિચાર ધારા શીખી ને આવ્યા ? જવાબ છે આપણી સંસ્કૃતિ અને પરંપરા ને અવગણી ને પશ્ચિમી જગતનું શિક્ષણ અને રાજા શાહી હટાવી ને ડેમોક્રસી ના નામે પ્રજા ને લૂટતા રાજકારણીઓ એ દેશ ની આઝાદી પછી કબજો લીધો. 


૪) મંદિરો થી જ આપણી સંસ્કૃતિ આજ દિવસ સુધી સચવાઈ રહી છે. અત્યાર ની દુર્દશામાંથી દેશ અને દુનિયા ને કેવળ મંદિરો જ બચાવી શકશે. દુનિયા ભરમાં સંત સમોવર્ય શ્રી પ્રમુખસ્વામીએ બંધાવેલ ૧૧૦૦ જેટલા મંદિરો અને મંદિર સાથે જોડાયેલ સાધુ સંતો - હરિભક્તો અને આ મંદિરો દ્વારા ચલાવાતી ૧૫૦ જેટલી સેવા પ્રવૃત્તિઓ અને પારદર્શક વહીવટ પહેલા એક વખત જોઈ આવજો. આવો સમાજ પેદા કરી શકે તેવી દેશ કે દુનિયા ની એકાદ મહા વિદ્યાલય નું નામ તો મને જણાવો તમે?


૫) બી એ પી એસ સંસ્થા ના મંદિરો નો વહીવટ સંભાળતા ૧૦૦૦ થી વધારે સાધુ ઓ માં કેટલા સાધુઓ અમેરિકા અને ઇંગલાન્ડ ની પ્રસિદ્ધ યુનિવરસીટી ની ઉચ્ચ પદવી મેળવ્યા પછી મુંડન કરાવી શા માટે મંદિરો માં આજીવન પસાર કરવાનો નિર્ણય કર્યો ? શું આ અખબાર ના તંત્રી અને આ લેખ ના લખનાર જાદવ દિવ્યા બી એ પી એસ ના ઉચ્ચ પદવીધારી સાધુઓ કરતા વધારે બુદ્ધિશાળી અને ડાહ્યા છે? 


મિત્રો આવા અખબાર અને ગુમરાહ કરતા દોઢ ડાહ્યા કટાર લેખકો થી સાવધાન રહેજો અને જાહેર માં તેમનો વિરોધ કરવાની તમારી ફરજ અદા કરશો.