જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
આપણને થતા ઘણા બધા રોગોનું મૂળ કારણ વાત્ત-પિત્ત-કફ ની શરીરમાં થતી વધ-ઘટ છે. પિત્તદોષના કારણે ૪૦, કફદોષના કારણે ૨૦ અને વાતદોષ ના કારણે ૮૦ રોગો થાય છે. આયુર્વેદના મતે મધુ-પ્રમેહ/ડાયાબીટીસ થયેલ દર્દી હકીકતમાં છ મહિનાથી વધુ જીવતો નથી. તો આજકાલ એલોપથીના ડોક્ટરો જેને ડાયાબીટીસ કહે છે, તે શું છે ? આયુર્વેદના મતે ન પચેલા ખોરાકમાંથી શરીરમાં કાચો આમ ઉત્પન થાય છે, તેને એલોપથી વાળા 'ડાયાબીટીસ' તરીકે નિદાન કરે છે. તેનો સરળ ઉપાય છે જમવાના એક કલાક પહેલા એક ટેબલ સ્પુન સુંઠ લેવી. આમ કરવાથી શરીરમાં કાચો આમ પેદા થતો અટકે છે.
ખોરાકની અંદર જરૂરી ફેરફાર કરવાથી ઘણા બધા રોગોથી બચી શકાય છે.
રોજના ૪ દાણા મરી પાણી સાથે નિયમિત લેવાથી વાયુ, પિત્ત અને કફ ત્રણેય નો કંટ્રોલ થઇ શકે છે.
No comments:
Post a Comment