Monday, June 15, 2015
કોઈ પણ દવા વગર મોટા ભાગના રોગ દુર કરો
આપણને થતા ઘણા બધા રોગોનું મૂળ કારણ વાત્ત-પિત્ત-કફ ની શરીરમાં થતી વધ-ઘટ છે.
ખોરાકની અંદર જરૂરી ફેરફાર કરવાથી ઘણા બધા રોગોથી બચી શકાય છે.
આપના તે આભમાં હું નાનું પારેવડું...
આપના તે આભમાં હું નાનું પારેવડું
આપના ઈશારે ઊડી જાવું
આપનાં વચન મારા અંતરની ધડકન છે
આપની રુચિમાં જીવી જાવું ... ૧
આપની અનુવૃત્તિમાં આયખું ઓગાળવું
આપ ચાહો એમ મારે રહેવું
પરવાના થઈ થઈને આપમાં હોમાઈ જવું
નવજીવન આપમાંથી લેવું
વેણું બનવું છે મારે આપના અધરતણી
આપના જ સૂરને રેલાવું ... ૨
શ્રીજીમાં લીન કરી રાખો પ્રમુખસ્વામી
આપમાં અતીત વારી જાઉં
ભવોભવ આપનો ગુલામ બની હું તો
રાજીપો આપનો કમાવું
મારગ પણ આપ મારી મંઝિલ પણ આપ છો
મારે આપ વડે આપમાં સમાવું ... ૩
Friday, June 12, 2015
સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો ૦૯/૧૦ અને ૧૧ ~ લેખ ક્રમાંક : ૪ - ક્રમશ:
(૦૯) શ્રીજીની આજ્ઞાએ અનેક સ્ત્રી-પુરુષો કળીયુગમાં જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિના ધર્મના માર્ગે ચાલે.
(૧૦) શ્રીજીએ ધારણ કરેલ પુષ્પ કે વસ્ત્રના દર્શન કે સ્પર્શ થકી સામાન્ય માણસને પણ સમાધિ થાય.
(૧૧) શ્રીજીના સ્વરૂપ સબંધી વાર્તાને પરદેશમાં જઈને કોઈ કરે, તે સાંભળનાર મનુષ્યને અલૌકિકપણું
જણાય અને સમાધિ થાય.
શ્રી હરિના ઉપરના લક્ષણોને પ્રતિપાદન કરતા રસપદ પ્રસંગો સદગુરૂ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીની
કથા-વાર્તા દ્વારા સાંભળવા નીચેની લીંક ક્લિક કરો :-
Tuesday, June 9, 2015
એકલા જ આવ્યા મનવા, એકલા જવાના ...
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જ આવ્યા એ મનવા...
આપણે એકલાં ને કિરતાર એકલો
એકલાં જીવોને તારો આધાર એકલો
આપણે એકલાં ને કિરતાર એકલો
એકલાં જીવોને તારો આધાર એકલો
એકલાં રહીએ ભલે
વેદના સહીએ ભલે
એકલાં રહીને બેલી થાઓ રે બધાંના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જ આવ્યા એ મનવા...
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે
છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
એકલાં જવાના, એકલાં જવાના
બરકત વિરાણી રચિત આ ગઝલને શ્રી પ્રફુલ દવેના મધુર કંઠે સાંભળવા નીચેની લીંક ક્લિક કરો
Sunday, June 7, 2015
मत बन विषय विलासी रे मनवा...
मत बन विषय विलासी रे मनवा,
ए जबरी जग फांसी. रे मनवा.
हतस्त हरिण मच्छ भ्रमर पतंग,
एक एक विषयना आशी. …रे म.१
दीन बनी मृत्यु दु:ख पामे,
शोच जरा पंच आशी. …रे म.२
उस फांसीमें एक मरण है,
ईसमें अनन्ती राशी. …रे म.३
तप्तस्तंभ तुज नरकपुरीके,
कैसे भाइ सुहासी. …रे म.४
थोडे दिनमें ए भोग तुजको,
त्यागी अलगे जासी. …रे म.५
मगर इससे पाप भये है,
वे नहि अलगे थासी. …रे म.६
घोर दु:ख आतमको दे कर,
फिर होवेंगे विनाशी. …रे म.७
आत्म कमलको शुद्ध बनाके,
हो लब्धि शिववासी. …रे म.८
આચાર્ય શ્રી લબ્ધીસુરીજી રચિત ઉપરની સજ્જાય
શ્રી સતીશ દેહરાના સ્વરમાં સાંભળવા નીચેની લીંક ક્લિક કરો.
Saturday, June 6, 2015
સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો - ૦૫/૦૬/૦૭/૦૮ ~ લેખ ક્રમાંક (૦૩) - ક્રમશ:
(૫) જેવાતેવા જીવને ઘડીકમાં અક્ષરધામમાં પોતાની મૂર્તિના દર્શન કરાવી દે.
(૬) પૂર્વે શાસ્ત્રે વિષે કહ્યા જે ધર્મ, જ્ઞાન,વૈરાગ્ય, ભક્તિ તથા યોગ. + સાંખ્ય શાસ્ત્ર અને વેદાંતના મત.
તેમના સ્વરૂપનું પ્રતિપાદન મહારાજ પોતે જયારે કરે તથા બીજા પાસે કરાવે અથવા શાસ્ત્ર રચે યા
રચાવે. ત્યારે પૂર્વના શાસ્ત્ર કરતાં તેમાં બહુ ચમત્કાર જણાય. મહારાજના સંતોની વાતો અને રચેલ
શાસ્ત્રોમાંમાં તથા પરોક્ષ અવતારો અને ઋષિમુનીઓની વાતોમાં નીચે મુજબ ફર્ક છે.
(અ) એકાંતિક ધર્મનું સ્પષ્ટ પ્રતિપાદન
(બ) 3 તત્વો તથા ૫ ભેદોનું સ્પષ્ટ નિરૂપણ છે.
(ક) શ્રી હરિનું સાકારપણાનું તથા સર્વોપરીપણાનું અતિશય ઉદાહરણ સહીત વર્ણન
(ડ) ધર્મ અર્થ કામ કરતાંય કલ્યાણ/મોક્ષનું મુખ્યપણું
(ત) આત્યંતિક મોક્ષ અને તેના ઉપાયની સ્પષ્ટતા
(થ) પરોક્ષ કરતા પ્રગટથી કલ્યાણનું સવિશેષ મહત્વ
(દ) શ્રીજી મહારાજના સંતોએ રચેલ ગ્રંથોની શૈલી અતિ સરળ અને સચોટ છે.
(૭) પોતાના દર્શન માત્રે કરીને જ અનેક જીવના મનની વૃત્તિઓ સહેજે જ પોતાની મૂર્તિમાં તણાઈ જાય.
(૮) અંતકાળે પોતાના ભક્તને તેડવા પોતાના મુક્તોને લઈને વિમાનમાં બેસી તેડવા આવે.
શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા, તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-
Wednesday, June 3, 2015
આ દુનિયા દુકાનદારી રે ...
આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી
જેવું રે દેતો એવું રે લેતો એના ઘરાક સૌ સંસારી રે
માથે બેઠો એક વેપારી
આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી
જેનું ખાતું જેવું રે બોલે
એવું એ ત્રાજવડે તોલે
એનો ભાવ તો સદા સરીખો ધનિક કે
ભીખારી રે
માથે બેઠો એક વેપારી
આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી
સદાય સાચો કદી ન ખોટો નફો સદા એને
કદી ન તોટો
કદી ન ધોખો એનો હિસાબ ચોખો એને કદી નથી નાદારી રે
માથે બેઠો એક વેપારી
આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી
સોની રે કેવો સોનુ રે
મોંઘું તોળે તુલસીને પાને
ધોબી કેવો કે પાપ
પરાયા ધોતો તાણેવાણે રે
વૈદડો કેવો વૈદડો
કેવો કે
નાડ રોગીની નસનસમાં એ પેંછાણે રે
શેઠિયો કેવો કે એની થાળી
સદા ભરેલી ભાણે
એનો ધંધો કદી
ન અંધો, એવો ધંધાદારી રે
માથે બેઠો એક વેપારી
આ દુનિયા દુકાનદારી રે માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી
આ ભજનને અભરામ ભગતના કંઠે સાંભળવા નીચીને લીંક ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)













