વિશેષમાં તેઓએ જણાવ્યું કે :-
* અમદાવાદ યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૬ વરસ ૧૧ મહિનાથી પૂજ્ય પ્રમુખ મહારાજના સ્વાસ્થ્ય માટે દરરોજ બે યુવકો દ્વારા નિર્જળા ઉપવાસ કરવામાં આવતા હતા. અને યુવતી મંડળ દ્વારા પણ જનમંગલ પાઠ, પાંચ માળા અને પ્રદીક્ષણા પણ કરવામાં આવતી હતી.
* વિદેશના હરિભક્તો ૧૦,૦૦૦ થી વધુ ડોલર્સ ખર્ચીને અંતિમ દર્શને આવ્યા હતા. આપણા નૈરોબી મંદિરના એક પૂજારીએ તેમનો પાસપોર્ટ રીન્યુ કરાવવા આપ્યો હતો તે સમયે તેમને બાપાનાં સમાચાર મળ્યા. એટલે તે તરતજ ત્યાની પાસપોર્ટ ઓફિસમાં જઈને રડી પડ્યો. ત્યારે એક અધિકારીને દયા આવી અને તરતજ તેને પાસપોર્ટ કરી આપ્યો. આવા તો અનેક ઉદાહરણો છે.
* ૧૦,૦૦૦ સ્વયંસેવકોએ ભૂખ તરસ રાત દિવસ જોયા વગર સારંગપુર ખાતે વ્યવસ્થા જાળવણી માટે ખડે પગે સેવા આપી હતી.
વિશેષમાં તેઓએ જણાવ્યું કે :-
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને જયારે લંડન ખાતે બાયપાસ સર્જરી કરાવી ત્યારે કડક સુચના હતી કે મુલાકાત બંધ કરવી, પ્રવર્ચન બંધ કરવા. છતાં તેમણે મને કહ્યું કે હવે પછી આપણે સભામાં જઈએ છીએ ત્યારે તારે કહેવાનું કે "ડોકટરે કહ્યું છે કે હવે બધું બરાબર છે, હવે તમારે પહેલાની જેમજ સત્સંગ કરવાનો છે". આ હતો તેમનો સત્સંગ સમાજ માટે અને હરિભક્તો માટે પ્રેમ કે બધા હરિભક્તો મારા છે અને હું હરિભક્તો નો છું. તેમને તો હરિભક્તોના સંકલ્પો પૂર્ણ કરવા હતા તો પછી હરિભક્તોથી દુર કેમ જવાય ? . તેમણે પોતાના જીવનની કોઈ વ્યક્તિગત બાબત ધ્યાન આપ્યું નહતું. કંઈજ પર્સનલ નહિ અને એકાગ્રતા ચૂકાય નહિ.
વિશેષમાં તેઓએ કહ્યું કે :-
* જાણીતા કાર્ડીઓલોજીસ્ટ અને પૂજ્ય બાપાનાં ઓપરેશન સમયે હાજર રહેલ ડોક્ટર તેજસ પટેલે ફોન પર કહ્યું હું બાપાનાં અંતિમ દર્શન નહિ કરી શકું. પણ અંતે તેઓ આવ્યા ત્યારે ભાવ વિભોર થઈને રડી પડ્યા. મેં અનેક મ્રત્યુ પામેલા લોકો જોયા છે અને અંતિમ સમયે તેમના ચહેરા ઉપર ભય કે ગભરાટની રેખાઓ જોવા મળે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા પર અંતિમ સમયે પણ આજ પ્રસન્ન મુદ્રા હતી. ત્યારે ચોક્કસ માનવું પડે કે એ દિવ્ય પુરુષ છે.
* દુખને હણવું હોય તો સ્મૃતિ સિવાય કોઈજ ઉપાય નથી. જયારે તમે કોઈપણ મૂંઝવણમાં હો ત્યારે તમે સ્મૃતિ કરશો તો સત્પરુષ સોએ સો ટકા હાજર થશે. કેમકે તેઓ ક્યાંય ગયા જ નથી. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ કહેતા કે હું તેમને શ્રી લંકા હોઉં ત્યારે યાદ કરું કે મેં તેમને એડીનબરો ખાતે યાદ કર્યા ત્યારે તેઓ હાજર થઇ જતા હતા. તેમણે ક્યારેય કંઠી પહેરી નહોતી કે માળા ફેરવી નહોતી અને તેઓ સ્મૃતિ કરે અને હાજર થઇ જાય તો તમને-મને સત્પુરુષની સ્મૃતિ થાય તો ચોક્કસ હાજર થઇ જાય.
* એક મહાપુરુષ ચિદાનંદ સ્વામી કહેતા કે તમારે તમારા ગુરુની પાછળ દોડવાની જરૂર નથી. તમારા ગુરુ માટે દોડો તો તમે તેમની નજીક પહોંચી જશો. જો તમે પ્રમુખ સ્વામી મહારાજને સાચા હ્રદયથી ચાહતા હો તો તેમના માટે જીવો.
જયારે હું પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરવા પહોંચ્યો ત્યારે તેમના મુખારવિંદની શાંતિ જોઇને મને લાગ્યું કે જાણે હમણાં પ્રમુખ સ્વામી બોલવા લાગશે. મારા પિતાશ્રીના મુખ પર સ્વર્ગમાં પણ સ્મિત ઉત્પન થશે કેમકે હું પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા આવ્યો છું. મારા સ્વર્ગસ્થ પિતા મને કહેતા "હું જે કંઈ છું તે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને લીધે છે ". પ્રમુખ સ્વામીને હું કાઈ પૂછું તે પહેલા તેઓ મને પૂછે કે તમે તમારી માતાનું ધ્યાન રાખો છો કે કેમ ?











