Tuesday, May 26, 2015

શું પૂછો છો મુજને .......


              સત્તાર-શા રચિત ઉપરની ગઝલ ગઢવીના સુરીલા કંઠે સાંભળવા હેડફોન 
              લગાવી અથવા સ્પીકર્સ ઓન કરી  નીચે આપેલી લીંક કલીક  કરો. 





Monday, May 25, 2015

સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો - ૦૧/૦૨/૦૩ ~ લેખ ક્રમાંક (૦૧) - ક્રમશ:



 ૧) પૂર્વે થયેલ સર્વ અવતારને પોતાના સ્વરૂપમાં દેખાડે અને પોતામાં લીન કરે.              ૨) અનંત ધામ-ધામીને પોતાની મૂર્તિને વિષે બહુ બધા મનુષ્યોને દેખાડે.                               3) સાધારણ મનુષ્યને પણ પોતાની મૂર્તિને વિષે ચિત્તનો નિરોધ કરાવી સમાધિ કરાવે.  

                                                       

                                                       @@@@@@@


શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-    








Sunday, May 24, 2015

કરીએ રાજી ઘનશ્યામ ........



પ્રાગટ્ય  :  ૨ એપ્રિલ ૧૭૮૧ - અયોધ્યા પાસે છપૈયા ગામે - પિતા ધર્મદેવ અને ભક્તીમાતાના ઘરે                - નામ પડ્યું,  'ઘનશ્યામ પાંડે'


ગ્રહત્યાગ :  ૨૯ જુન ૧૭૯૨ના દિવસે ૧૧ વર્ષની વયે ગ્રહત્યાગ કરી કેવળ કૌપીનધારી બાળ                        નીલકંઠવર્ણીએ અનેક નદી, જંગલો, ગીરી કંદરાઓ પાર કરી સતત ૭ વરસો સુધી                        વન વિચરણ દ્વારા ૧૨૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરી અપાર ઐશ્વર્ય દેખાડ્યું.


દીક્ષા     :   ૨૮-૧૦-૧૮૦૦ના દિવસે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી 'સહજાનંદ સ્વામી' નામ                         આપ્યું અને ૧૬-૧૧-૧૮૦૧ દિવસે 'ઓધવ સંપ્રદાય' ની ગાદી સોંપી.૩૧-૧૨-૧૮૦૧ના                 દિવસે પોતાના આશ્રીતોને  'સ્વામિનારાયણ' મહા-મંત્ર આપ્યો. 


સ્વધામ  :   ૧-૬ -૧૮૩૦ ના દિવસે ગઢડા ગામે સ્વધામ ગમન.

      
                                                           *******************

                              કરીએ રાજી ઘનશ્યામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ;
                              તો સરે સરવે કામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ                      ... ટેક

                              મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ;
                              જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે                    ... સંતો° ૧

                              તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહીએ હૈયે કરી હામ;
                              અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે          ... સંતો° ૨

                               જુઓ રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;
                               જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે                    ... સંતો° ૩

                              એ તો દો'યુલું સો'યલું છે આજ, તજિયે દોય દામ વામ;
                              નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે                        ... સંતો° ૪







   

  

       

  


Saturday, May 23, 2015

પારિવારિક એકતા - પુજય નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ: ૫ (અંતિમ ચરણ)


પૂજ્ય નારાયણમુની સ્વામી 


* આ દુનિયા માત્રના પ્રશ્નોનું કારણ એકજ છે - 'અહમ અને મમત્વ' અને તેનો એકજ ઉકેલ છે, 'આત્મા અને પરમાત્મા' કહેતાંક ને 'અક્ષર અને પુરષોત્તમ' વિશેની સાચી સમઝણ.


* આત્મા અને પરમાત્મા - અક્ષર અને પુરષોત્તમનું જો જ્ઞાન થાય, તો જીવનના બધાજ પ્રશ્નોનો ઉકેલ મળે અને સમાધાન થઇ જાય.


* પ્રસ્તુત છે, પારિવારિક એકતા પ્રવર્ચન સીરીઝનો ભાગ : ૫ (અંતિમ ચરણ)







 




Thursday, May 21, 2015

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ : 3

                                પૂજ્ય નારાયણમુની સ્વામી 


* 'લક્ષ્મણ રેખા' - શાસ્ત્રોએ આપેલી મર્યાદાને ક્યારે પણ ઓળંગવી નહિ. પાંડવો ભગવાનને 

અતિશય પ્રિય હતા, ભગવાનના ભક્ત હતા. પણ એ પાંડવો કહેતાકને યુધિષ્ટિર મહારાજ 

જુગાર રમ્યા તો અતિશય મુશ્કેલીમાં મુકાયા. યાદવો તો ભગવાનના કુળનાજ હતા, પણ 

તેમણે પ્રભાસમાં જઈને 'મેરઈ' દારૂ પીધો તો તેમનુ કુળ નાશ પામ્યું. 


* એક બીજાને સમઝવાની કોશીસ કરવી અને મોટું મન રાખવું. જો નિખાલસતા હોય, ભૂલનો

  સ્વીકાર કરવાની તૈયારી હોય તો શોકનું શ્લોકત્વમાં પરિવર્તન કરી શકાય છે.


* જ્યાં સુધી આપણી બાહ્ય દ્રષ્ટિ હશે, ત્યાં સુધી સુખ શાંતિ ક્યારે પણ અનુભવાતી નથી. 

  સુખ શાંતિ માટે આંતર દ્રષ્ટિ કેળવવી જરૂરી છે.  






Wednesday, May 20, 2015

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી, પ્રવર્ચન ભાગ-૨

   પૂજ્ય નારાયણમુની સ્વામી

 

* જીવનનું કોઈ એવું દુ:ખ નથી કે જેને સુખ અને શાંતિમાં ફેરવી ના શકાય. શોક ને શ્લોકત્વ કેવી રીતે કરવો,    આ વાત આપણને રામાયણમાંથી  શીખવા મળે છે.     


* દશરથના સુખી-વૈભવી ઘરમાં મંથરાની પ્રેરણાથી કૈકઈ એ પ્રશ્ન ઉભો કર્યો. રામને વનવાસ મળ્યો, પણ          રામ તો સહજ આનંદ નીધાનું હતા. એટલે તેમને આ પ્રશ્નની કોઈ અસર ના થઇ.


* કોણ સાચું છે, તેને બદલે શું સાચું છે - મતલબ કે શું કરવું; શું કરવાથી પ્રશ્નનો ઉકેલ આવે તે  વિચાર,              સમઝણ જરૂરી છે.    


* પ્રસ્તુત છે 'પારિવારિક એકતા' પ્રવર્ચન સીરીઝ નો ભાગ : ૨




 



Saturday, May 16, 2015

'પારિવારિક એકતા'- પુ.નારાયણમુની સ્વામીનું પ્રવર્ચન ભાગ:૧


પૂજ્ય નારાયણમુની સ્વામી



* રામસ્ય+અયનમ = રામાયણ.
   સંસ્કૃતમાં અયનમ શબ્દનો એક અર્થ થાય છે 'જવું' અને બીજો અર્થ છે 'ઘર'.
 
* રામાયણમાં રામના વનવાસ જવાની અને રામના ઘરની વાત છે.

* રામ કયા રસ્તે ગયા અર્થાત રામે કેવા સમયે કેવા નિર્ણય લીધા અને તેમના ઘરના સભ્યોએ ક્યારે
   કેવી પ્રતિક્રિયા દર્શાવી અને તેના દ્વારા રામાયણ આપણને જીવનમાં ઉદભવતા પ્રશ્નોના સાચા નિરાકણ
   માટે કેવી રીતે માર્ગદર્શંક થઇ શકે ?  

*  પ્રસ્તુત છે, રામાયણના સંદર્ભમાં 'પારિવારિક એકતા' ના વિષય ઉપર પૂજ્ય નારાયણમુની સ્વામીએ
   ઇસ્ટ આફ્રિકામાં કરેલ પ્રવર્ચનોની ઓડિયો ફાઈલ્સનો ભાગ: ૧