Tuesday, February 16, 2021

તિલક - ચાંદલો શા માટે?

 

તિલક ચાંદલો રાખજો તો કાળ પણ કાઇ કરશે નહીં 


મારો સ્વાનુભવ 

એપ્રિલ ૧૯૯૭ માં પ્રમુખ સ્વામી પહેલી વખત કુવૈત આવ્યા ત્યારે મને તેમના આશીર્વાદ મળ્યા. સ્વામી બાપા ની આગન્યા પ્રમાણે અમોએ કુવૈત સત્સંગ મંડળ શરૂ કર્યું. ત્યારે અમોને કહેવા માં આવેલું કે આ મુસ્લિમ દેશ હોવાથી અને કોઈ સંઘર્ષ ના થાય એટલે માટે "તિલક ચાંદલો" નહીં કરો તો ચાલશે. પછી ફરીથી સ્વામી બાપા જાન્યુઆરી ૨૦૦૧ માં કુવૈત પધાર્યા ત્યારે અમારું સત્સંગ મંડળ સરસ સેટ થઈ ગયેલ. ત્યારે પ. ભ. લલિતભાઈ એ મને કીધું આપણે બાપા ના રોકાણ દરમ્યાન સભા માં બધાએ "બિન્ધાસ્ત" તિલક ચાંદલો કરવો અને જો કોઈ પ્રશ્ન થશે તો હું સંભાળી લઇશ. લલીત ભાઈ ઘણા વરસો પહેલા કુવૈત આવેલ અને અરબી ભાષા પણ શીખી લીધી અને કેટલાક કુવૈતી શેખ લોકો સાથે ઘનિષ્ટ પરિચય કેળવેલ. 

એટલે હું કુવૈત માં હતો ત્યાર થી એટલકે વીશએક વરસો થી નિત્ય સવારે પૂજા પહેલા તિલક ચાંદલો કરું છું. મજાની વાત એ બની કે જ્યારે હું કુવૈત છોડી ની મુંબઈ પાછો આવ્યો ત્યારે મારા લગેજ માં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મિક્ષર અને માઇક્રોવેવ ઓવન હતા. એટલે રેડ ચેનલ માંથી પસાર થવા ગયો. ત્યારે કસ્ટમ્સ ઓફિસરે પૂછ્યું - વ્હિસ્કી કે ગોલ્ડ છે? મે કીધું 'ના' . પછી તિલક ચાંદલો બતાવી કીધું હું 'બીએપીએસ નો સત્સંગી હોવાને કારણે વ્હિસ્કી અથવા વાઇનને હાથ પણ અડકાવતો નથી. કસ્ટમ્સ ઓફિસરે મને બે હાથ જોડી સ્મિત સાથે મારો લગેજ સ્ક્રીન મશીન માં મૂક્યા વગર એકજીટ ગેઈટ તરફ પ્રયાણ કરવા ઈશારો કર્યો.

મારા માટે આ તિલક ચાંદલો - GPS અને AUTO PILOT સમાન પુરવાર થયો છે. કોઈ પણ પ્રશ્ન આવે તેનો આપો આપ ઉકેલ મળી જાય છે. મારે કોઈની સલાહ લેવા જવું પડતું નથી. કોઈ ટેન્શન લેવું પડતું નથી. નિરધારીત સ્થળે નિર્ધારિત સમયે આપો આપ હું પહોંચી જાઉ છું કોઈ પણ મુશ્કેલી વગર. હમણાં જ નવેમ્બર ૨૦૨૦ માં "કોવિદ મહામારી" છતાં અને કોઈ પણ વ્યક્તિ સાથે નહીં હોવા છતાં મુંબઈ થી નોવાર્ક - ન્યુ જર્સી અમેરિકા ની મારી લાંબી સફર અત્યંત આરામદાયક (one of the most comfortable flight journey I ever had in my life) રીતે પૂરી થઈ.



તિલક ચાંદલો શા માટે?



Thursday, February 11, 2021

જયંતીભાઈ શાસ્ત્રી શું કહે છે ? સાંભળો ......


 

મંત્ર મહિમા + પંચાળા ના જીણાભાઈ દરબાર

                                                              મંત્ર મહિમા 



પંચાળા ના જીણાભાઈ દરબાર 





યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા - ( જયદીપ સ્વાદિયા )

યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા 
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નો ખજાનો લઈ ગયા 











.