Friday, April 30, 2021

ભગવાન નો દ્રઢ આશરો

 

 ભક્ત ને દ્રઢ આશરો ભગવાન નો 


  ભગવાન ની સ્વરૂપ નિષ્ઠા અને ગુણ ગ્રાહક દ્રષ્ટિ  







Thursday, April 29, 2021

વેદ ઉપનિષદની વાતો બાબત શંકાશીલ બૌદ્ધિક અને નાસ્તિક લોકો આ ૨ વિડીઓ ક્લિપ્સ અવશ્ય જુએ




મેમનગર ગુરુકુળ ના સંત પૂજ્ય હરિસ્વરૂપદાસજી દ્વારા પ્રસ્તુત છે 
તાજેતર માં જ બનેલા એક કિસ્સા નું સુંદર ઓડિયો વિડીયો 
પ્રેજન્ટેશન અને તર્કશીલ નિરૂપણ 
 



એક અકલ્પનીય કલ્યાણયાત્રા અગિયાર વર્ષના બાળ નીલકંઠ ની 


કર્મ નો સિદ્ધાંત - બોધ કથા 








Saturday, April 17, 2021

કોરોના નો કહેર - અને વડોદરા માં બીએપીએસ દ્વારા રાહત કાર્ય




બીએપીએસ અટલાદરા (વડોદરા) માં કોરોના ના દર્દીઓ માટે રાહત કેન્દ્ર 







વડોદરા ના કલેકટર અને અગ્રણી ઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ 






 

ધન ના ઢગલા .......

    ધન ના ઢગલા 



આ ધન ના ઢગલા એકઠા કરવાને કાજે  'નહી કરવા જેવા ધંધા કર્યા'

'નો કરવા જેવા ધંધા' કરવામાં જિંદગી ના અમૂલ્ય વરસો વેડફયા 

અને હવે આવ્યું 'કોરોના'

ફાઇવ સ્ટાર હોટેલ રેસ્ટોરાં ના ભોજન થયા બંધ

દેશ વિદેશ ની રખડપટ્ટી ની સહેલગાઓ પણ થઈ બંધ 

લગ્નસરા અને સાલગિરાઓના વૈભવી સમારંભો પણ થયા બંધ 

હવે કરવું શું આ ધન ના ઢગલાઓનું????

રાત દિવસ સતાવતા આ પ્રશ્ને આવ્યું 

ડી પ્રે શ ન 

****************************************

માટે જ આજથી ૨૫૦ વર્ષો પૂર્વે ભગવાન 

શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં તેમના આશ્રિતો ને આવક નો 

દસમો ભાગ 'ધર્માદો' આપીને ઘરમાં આવતા 

ધન ની શુદ્ધિ કરવાનો આદેશ આપેલ 

અને 

જીવન માં દરેક ક્ષેત્રે સંયમ અને વિવેક રહે તે માટે 

બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજે અઠવાડિક સત્સંગ સભાઓ 

ચાલુ કરીને અઢાર હજાર રૂપિયા નો નફો જતો કરીને પણ 

સત્સંગ સભામાં હાજરી આપવા નો આગ્રહ રાખેલ.  


Friday, April 2, 2021

ભાલ ઉપર તિલક - ચાંદલો શા માટે ?

 કપાળ ઉપર તિલક ચાંદલો શા માટે ?



તિલક ચાંદલા નો પ્રભાવ 


૫ મિનિટ નો સત્સંગ - વકતા પુ. સત્ય સંકલ્પ સ્વામી 







ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.

ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.


સિદ્ધપુર ના બ્રાહ્મણ ની નાતના ભોજન માટે વર્ષો પહેલાં અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા..... 


શું વધારે લાડવા ખવાય એ માટે? .....


ના,.... ખરો હેતુ શુગર કંટ્રોલનો હતો...,

કે આગલા દિવસે ઉપવાસ કરવાથી 

શુગર લેવલ લો જાય તો બીજા દિવસે 

લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!  


અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ?  👇👇


લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં), 

ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ગુણો વિષે જાણીને તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય. 


પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે! Multiple Coated Pellets by Brahmins  (MCPB) technique તરીકે સમજીશુ તો ખ્યાલ આવશે.


ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ(pellets)પર 

ઘી નું પડ (coating) થઇ જાય. 


પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે 

અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે 

કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું (second coating) થઇ જાય. 


અને પછી વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસ નું મુક્ત પડ ચડાવવામાં આવે.ખસખસ ના ઝીણાં ઝીણાં  બી સાઈઝ-2 માઈક્રોન  (detoxifier) તરીકે કામ કરે છે.


આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.


First line of defence

ખસખસ છેલ્લે લગાવવાનું પણ કારણછે.જયારે ખસખસ લગાડેલ  લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ખસખસ ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ કરે છે. 

           તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.

ત્યાર બાદ Second line of defence કાર્યરત થાય, જેમાં ઘી મહત્વની ભૂમિકા ભજવે છે.

લોટ અને ગોળ ના કણ જે 3-4 માઈક્રોન થી  નાના  હોય તેને ધીમાં સાંતળી એના પર કોટીંગ કરેલ તે ઘીનું કામ હવે શરુ થાય છે.

શરીર જયારે લાડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે. 


તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે  જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે. 

Third line of defence.

એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. 


અને એ છે ખસખસ અગેઇન. 


આ ખસખસ એક મહામાયા છે.


એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. ખસખસ રીલીઝ થયેલાં શુગર મોલિક્યુલ્સ ને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે.

કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.

આમ લાડવા  બનાવવામાં જે સૂઝબૂઝ આપણા વડીલોએ બતાવી છે તે અદ્ભૂત છે. એટલે જ ત્યારે ડાયાબિટીસ ન હતો.ખાવાના  વધું શોખીન સિદ્ધપુરીયા અને હળવદીયા બ્રાહ્મણ, આગલા દિવસ ભુખ્યા રહેતાં ને વધુ જમાઈ જાય તો જમીને નદી એ ન્હાવા પડતાં. આ બંને હકીકત આરોગ્ય વિજ્ઞાન ની દ્રષ્ટીએ કેટલી સાર્થક છે તે આજે સમજાય છે ને? આજ સુધી આપણે જ આપણાં ભૂદેવઓની આ પ્રકારના વર્તન ને સમજ્યા વગર હસી કાઢતાં.

GOOD MORNING 🙏

 હર હર મહાદેવ

જય શ્રી કૃષ્ણ 🙏🌹 

Thursday, April 1, 2021

સંસ્કાર વિના નું ભણતર શું કામ નું ?


સંસ્કાર વિહીન ભણતર શું કામનું ???




ઉપરના પ્રવર્ચન દ્વારા જાણ્યું કે અત્યારે સ્કૂલ - કોલેજો - મહાશાળાઓ માં અપાતું શિક્ષણ કેવળ "બુદ્ધિલક્ષી" છે. માણસ જ માણસ નો દુશ્મન બનતો જાય છે. દરેક બુદ્ધિજીવી સમાજ માં પોતાના થી ઓછી ક્ષમતા વાળા ઉપર એક યા બીજી રીતે અત્યાચાર કરી રહ્યો છે. તેનું એક માત્ર કારણ છે - મનુષ્ય જીવન માં "સંસ્કાર" નો અભાવ. 

સ્કૂલ કોલેજો માં તે અપાતું નથી. માં બાપ પાસે યા તો સમય નથી કે પછી કહેવત મુજબ "કૂવા માં હોય તો બેડાં માં આવેને?" જેવી પરિસ્થિતી છે.

આપણા ઈન્ડિયા માં સદનશીબે સંત મહાત્માઓ દ્વારા - મંદિરો અને ગુરુદ્વારાઓ માં "સત્સંગ મંડળો" ચાલી રહ્યા છે. જરૂર છે તેનો લાભ લેવાની.




 

 

એલોપેથિક દવા ની સાઈડ અસર થી સાવધાન રહેજો ....

 




૫૦૦ રૂપિયા ની એલોપેથિક દવા મહંત સ્વામીએ ફેંકાવી દીધી 

.

મારો સ્વાનુભવ:-

આજથી લગભગ ૧૫ વરસો પહેલા બેંગલોર ની એક નામાંકિત હોસ્પિટલ માં આંખના મોતિબિંદુ એટલકે "કેટરેકટ" ના ઓપેરેશન પૂર્વે મારી તબીબ તપાસ માં ડોકટરો એ "હાઇ બ્લડ પ્રેસર" નું નિદાન કર્યું. એટલે આંખ ના ડોકટરો એ મને હાર્ટ ના ડોકટર પાસે વધુ તપાસ કરાવવા મોકલી દીધો. હાર્ટ ના ડોક્ટરે "નોન ઇનવેજીવ એંજયઓગ્રાફી" કર્યા બાદ હાઇ બીપી ને કંટ્રોલ માં રાખવા માટે સવાર સાંજ રોજ ની પાંચ ગોળીઓ લેવા ની ભલામણ સાથે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. તેમાં એક હતી "એકોસ્પીરીન" એટલેકે લોહી ને પાતળું કરવા માટે ની ગોળી. 

પ્રિસ્ક્રિપ્શન લખેલ બધીજ દવાઓ ના રેપર ઉપર તેની "સાઈડ ઇફેક્ટ" ની માહતી પણ લખી હતી. એટલે તે ગોળીઓ લેવા મને થોડી હીચકિચાટ હતી. બે એક પરીચિત અને વિશ્વાસુ ડોકટરો ની સલાહ મુજબ મી તે ગોળીઓ લેવાની શરૂઆત કરી. શિવાય કે "એકોસ્પીરિન". કેમ જે મને કોઈ પણ ઘા થાય અને લોહી નીકળે તો મને સદાય તુરંત ઋજ આવી જતી. એટલે મને મારા રુધિર - લોહી ને પાતળું કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. 

આઠેક વરસો સુધી હું નિયમિત હાઇ બીપી ને કંટ્રોલ કરવાની ગોળીઓ લેતો રહ્યો અને વરસ માં એક વખત મુંબઈ માં નામાંકિત હાર્ટ સ્પેશીયાલિસ્ટ પાસે ચેકઅપ પણ કરાવતો રહ્યો. પછી તો મને આમાંની એક પિન્ક ગોળી ને કારણે લો બીપી ના લક્ષણ દેખાવાના શરૂ થયા. તેમ છતાં હાર્ટ સ્પેશિયાલીસ્ટ ડોક્ટરે મને બધીજ ગોળીઓ મૂળ પ્રિસક્રીપશન મુજબ ચાલુ રાખવા કીધેલ. ડૉક્ટર ની સલાહ અવગણી ને મે રોજ ની એક પિન્ક નાની ગોળી લેતો તેની માત્રા અડધી કરી દીધી - તો લો બીપી ના લક્ષણ બંધ થઈ ગયા.

ત્યારબાદ હું ઈન્ડિયા છોડી ને મારા દીકરા ના ફેમિલી સાથે રહેવા અમેરિકા આવીને સ્થાયી થયો. આજ થી પાંચેક વરસો પહેલા મને પગ ની એક પાની માં સખત દુખાવો શરૂ થયો અને પછી બીજા પગ ના અંગૂઠા માં એમ બંને પગમાં એવો દુખાવો શરૂ થયો કે બેડરૂમ ની નજીક માં જ આવેલ બાથરૂમ સુધી જવામાં પણ તકલીફ પડવા લાગી. 

ઇન્ટરનેટ ના મારા શોખ ને કારણે મને સમજાયું કે મને "ગાઉટ" ની તકલીફ શરૂ થઈ હતી. "ગાઉટ" નો મતલબ તમારી કિડનીઓએ પ્રોટીનજન્ય કચરો યુરીન દ્વારા બહાર ફેંકવા નું બંધ કરી દીધેલ છે. તે કચરો હવે તમારા રક્તપ્રવાહ માં ભળીને શરીરના અંગો ને હલન ચલન માં અવરોધ પેદા કરી રહ્યો છે. 

એટલે સૌ પ્રથમ તો મે પ્રોટીન યુક્ત તુવેર દાળ અને અન્ય કઠોળ લેવાના બિલકુલ બંધ કર્યા. વળી બને એટલું વધુ પાણી પીવાનું શરૂ કર્યું જેથી યુરીન દ્વારા પણ જમા થયેલો કચરા નો થોડી થોડી માત્રા માં પણ ધીરે ધીરે નિકાલ થાય.  ત્યારબાદ થોડી રાહત થઈ એટલે અમેરિકા માં એક ફૂટ સ્પેશીયાલિસ્ટ - પગના નિષ્ણાત ડૉક્ટર પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પણ કન્ફમ કર્યું કે મને "ગાઉટ" નો રોગ થયો છે. અને ત્રણ મહિના સુધી બે પ્રકાર ની ફાર્મસી પિલ્સ નો કોર્સ કર્યા પછી ફરી ને ચેકઅપ કરાવવાની સલાહ આપી. અમેરિકા ના ફાર્મસી અને હેલ્થ ઈન્સ્યોરન્સ ના નિયમ મુજબ મને ફક્ત એક મહિના ની પિલ્સ આપી ને ફરીથી રિફિલ કરાવવા કહેવા માં આવ્યું.

તે દરમ્યાન દર વર્ષ ની માફક વિન્ટર માં મારી ઈન્ડિયાની મુલાકાત નક્કી થઈ ત્યારે મે થોડું આત્મમંથન કર્યું તો મને સમજાયું કે મને ગાઉટ થવાનું મૂળ કારણ હું જે હાઇ બીપી કંટ્રોલ કરવા ફાર્મસી પિલ્સ લેતો હતો તે હતું. બેંગલોર ના હાર્ટ ના ડોક્ટરે મારા હ્રદય ને ઓછો શ્રમ પડે તે માટે ગોળીઓ આપીને મારી કિડની પાસે વધુ કામ કરાવેલ. એટલે હવે કિડની ની તકલીફ શરૂ થઈ હતી. અને મે મનોમન નિર્ધાર કર્યો હવેથી કોઈ જ "ફાર્મસી પિલ્સ" નહિ લેવાનો. 

ઈન્ડિયા પહોંચ્યા પછી અમદાવાદ જઈને મે શાહીબાગ માં આવેલ "યોગી હોસ્પિટલ" ના આયુર્વેદ અને નેચરોપથી વિભાગ માં આઠ દિવસ ના "પંચ કર્મ" થી દેહ શુદ્ધિ કરાવી. ત્યારબાદ બધીજ ફારમાડ્રગ્સ ને તિલાંજલિ આપીને શરીર માં ફરીથી કોઈ અશુદ્ધિ ના થાય તે રીત ની ખાણી પીણી અપનાવી. બહાર હોટેલ રેસ્ટોરાં માં જવાનું સદંતર બંધ કર્યું. અને હવે છેલ્લા પાંચેક વરસો થી અને અત્યારે ૭૭ વરસ ની ઉંમરે મને નથી કોઈ તકલીફ હાર્ટ ની કે કિડની ની.