Thursday, October 18, 2018

બે સત્ય ઘટનાઓ - એક વિડીયો કલીપ અને બીજી ૩ પાના ના પત્ર દ્વારા



ડોક્ટર તેજસ પટેલ ની વિડીયો કલીપ 



પૂજ્ય મહંત સ્વામી ને સંબોધી ને તારીખ ૨૮-૯-૨૦૧૮ ના સુરત ના એક હરિભક્તે  લખેલ પત્ર વાંચવા નીચીને લીંક ઉપર ક્લિક કરો   

પત્ર વાંચવા આ લીંક ઉપર ક્લિક કરો

Tuesday, October 16, 2018

સ્વાસ્થ્ય માટે ગુણકારી જાયફળ: દર્દ અનેક ઈલાજ એક

સ્વાસ્થ્ય પર મામૂલી અસર પણ થાય તો લોકો ફટાફટ ડૉક્ટર પાસે ભાગે છે, આયુર્વેદિક, એન્ટિબાયોટિક અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં પૈસા ખર્ચ કરવામાં તેઓ માને છે, પણ ઘરગથ્થુ ઇલાજ ઘણો ગુણકારી હોય છે એ આજની પેઢીને સમજાવવું થોડું અઘરું છે. જાયફળ એક એવી ઔષધિ છે જેનાથી રોજિંદા જીવનમાં આવતી અમુક તકલીફોથી હંમેશ માટે રાહત મળી શકે છે.

કોઇ વ્યક્તિને આખો દિવસ કામ કર્યા બાદ પણ ભૂખ ન લાગતી હોય તો તેણે જાયફળનો એક નાનકડો ટૂકડો દરરોજ ચૂસવો જોઇએ, જેથી તેમની ભૂખ ઉઘડશે અને વારંવાર ભૂખ લાગશે.


ૄજાયફળના ચુર્ણને મધ સાથે લેવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે અને હૃદય મજબૂત બને છે.


ૄ પેટમાં દુખાવાની સમસ્યા ઉદ્ભવે ત્યારે જાયફળના તેલના બે ટીપા પીવાથી પેટ સંબંધિત તમામ તકલીફોનો અંત આવે છે. 


ૄ ગળામાં સોજો આવ્યા હોય તો જાયફળ ગુણકારી નીવડે છે. જાયફળના ચુર્ણને પાણીમાં ઘોળીને દરરોજ સવારે કોગળા કરવાથી ગળાના સોજા અને દુખાવાથી રાહત મળે છે.


ૄ શિયાળાની ઋતુમાં મોટા ભાગના લોકોને વારંવાર શરદી થતી રહે છે. તેને રોકવા માટે એક ચપટી જાયફળનું ચુર્ણ દૂધમાં ભેળવીને પીવાથી શરદીની વારંવાર થતી તકલીફથી રાહત મળે છે. 


ૄ કાચા દૂધમાં જાયફળ ઘસીને તેનો લેપ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ પર કાબૂ મેળવી શકાય છે. આ ઉપરાંત જાયફળ અને ૧૦ કાળા મરીને કાચા દૂધમાં ઘસીને લગાવવાથી પણ ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. 


ૄ નાના બાળકોને છાતીમાં કફ જમા થાય છે ત્યારે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અથવા ન્યૂમોનિયા જેવા લક્ષણ થતાં હોય છે ત્યારે જાયફળને પાણીમાં ઘસીને તે ગરમ કરીને બાળકોની છાતીએ લગાવવાથી કફમાં રાહત થાય છે.


ૄ વારંવાર હેડકી આવે ત્યારે તુલસીની ૧૦ પાંદડીઓની સાથે એક જાયફળનો ટુકડાને ચાવવાથી હેડકી બંધ થઇ જશે.


ૄ જાયફળમાં લીંબુનો રસ ઘસીને ચાટવાથી પેટમાંની ગેસની સમસ્યાથી છૂટકારો થાય છે.


ૄ ચોખા ધોયા બાદ જે નીકળેલું પાણી હોય તેમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી બંધ થાય છે.


ૄ ગાયના ઘીમાં જાયફળનું ચુર્ણ ભેળવીને પગના તળિયે રોજ ઘસવાથી અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે અને ખૂબ જ સારી નિદ્રા આવશે.


ૄ જાયફળના લેપને કમર પર લગાવવાથી કમરદર્દની તકલીફ દૂર થાય છે.


ૄ નાના ટાબરિયાઓને તાવ આવે ત્યારે જાયફળ પીસીને માથા, છાતી-નાક પર લગાવવાથી રાહત મળે છે.

(ઋણ સ્વીકાર : મુંબઈ સમાચાર દૈનિક)

Saturday, October 13, 2018

ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ

   ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ


                                                        | સાહિત્યકાર : ગુણવંત શાહ |
                                                   [‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.


જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે
ઘરડમાં ચાલે તે ઘરડો.

ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ
વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ !

પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ?
ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું.
જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ શામ.

પરસેવાના બે પ્રકાર છે.
એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો.
મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય.

શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય.

એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે.
કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.

પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે.
ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે.

વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી.
પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે.
સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે.

આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે.
કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.

પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી.
સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે.

ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે.
અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે.
પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી.
ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી.
પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી.

કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે.
આવું ઘડપણ અભિશાપ ગણાય.

જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો.
પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે.

આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી.

સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે.
ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.
ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું.

જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે.
લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે.
આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે.

કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે.
ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી.

પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી.

હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે.

ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે.

અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :

ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે.

મોબાઈલની આત્મકથા

                               મોબાઈલની આત્મકથા 

હું એક મોબાઈલ છું, તમે મારા વિશે જાણતા જ હશો, પણ તમારી પાસે અધૂરી માહિતી છે, તમે મને એક ઇલેકટ્રોનિક વસ્તુ જ સમજો છો ?  એ માહિતી પણ અધૂરી જ છે, જો મનુષ્ર્ય મને ખરેખર સમજશે તો તે સુખી થઇ જશે, પરંતુ જો તે મારો ઉપયોગ કરવામાં વિવેક ચુક્યો તો એને કોઈ નહિ બચાવી શકે.

👉🏽હું તમારો અને તમારા બાળકો સાથે નો પ્રેમ ઓછો કરાવી નાખું છું.

👉🏽હું તમને જ તમારા બાળકોથી નફરત પેદા કરાવતા કરી નાખું છું. 

👉🏽હું તમારા પરિવારના બરબાદીનું કારણ બની શકું છું. 

👉🏽હું તમારા પતિ-પત્ની વચ્ચેના સબંધોનો નાશ કરું છું. 

👉🏽હું તમારા એકાગ્રતાને નષ્ટ કરું છું.

👉🏽હું તમારા કાર્યની ગતિમાં અવરોધ પેદા કરું છું.

👉🏽હું તમારા ખર્ચમાં દિન -પ્રતિદિન વધારો કરું છું.

👉🏽હું તમને વધારે ગુસ્સાવાળા બનાવું છું.

👉🏽હું તમને ગેરમાર્ગે દોરી જાઉં છું.

👉🏽હું તમને ચારિત્રહીન બનાવું છું.

👉🏽હું તમને માનસિક રોગી બનાવું છું.

👉🏽હું તમને મારી લત લગાડી દઉં છુ, જેથી તમે મારી  જાળમાં ફસાઈ જાઓ છો.

👉🏽હું કરોડો લોકોના ઘરને બરબાદ કરવામાં સફળ રહ્યો છું.

👉🏽મોટા ભાગના યુવાનો મારો સંગ કરીને પોતાની કારકિર્દીને ખતમ કરી નાખે છે.

નાના બાળકો માટે તો હું ધીમા ઝેર સમાન છું. એના આખા મનને ખરાબ કરી દઉં તો પણ બાળકને ખબર જ નથી પડતી.

👉🏽મેં કરોડો લોકોના સંબંધોને ખરાબ કર્યા છે...

તેમાય ખાસ કરીને પતિ-પત્નીના સબંધોને છુટા-છેડા સુધી લઇ જવામાં મારી મુખ્ય ભૂમિકા રહી છે.

👉🏽મેં સાધુ-સંતોને પણ નથી છોડ્યા, જે સાધુ-સંતો વિવેકને ચુક્યા છે એ પણ બહુ પછતાયાં છે.

👉🏽બળાત્કાર જેવા ગંભીર ગુનાનું બીજ મારા ઉપયોગથી  જ જન્મે છે.

👉🏽 હું લોકોનો સમય ખાઈ જાઉં છું છતાં લોકોને ખબર જ પડતી નથી એવો હું ભયાનક રાક્ષસ છું.

માટે ચેતી જજો ,

મારો ઉપયોગ વિવેકથી નહિ કરો તો તમારી અને તમારા આખા પરિવારની જીંદગી બરબાદ કરી નાખીશ.... 

હું મોબાઈલ નામનો છૂપો વાયરસ છું....😟😟😟😟😔😔😔😔🤝🏻👍🏻

ભક્તિ

BAPS Swaminarayan 

સંસ્થા નાં મહિલા હરિભક્તો ની કેવી અનન્ય ભક્તિ હોય છે તેનાં દર્શન આ તલ નાં બનાવેલ હારમાં થાય છે.

મહંત સ્વામી મહારાજની ૮૫  મી જન્મ જયંતિ નિમિતે તળાજા ક્ષેત્રના બહેનો એ દિવસ રાત સ્વામિનારાયણ મહા મંત્રના રટણ સાથે એક એક તલ ને દોરામાં પરોવી  સેર ૧૧૨૧ નો 5 ફૂટ લાંબો સફેદ અને કાળા તલ નો હાર બનાવ્યો.

ધન્ય છે તેઓ ની ભક્તિને...




Monday, October 8, 2018

પુરણ ગોંડલીયા ની વિડીયો લાયબ્રેરેરી (૧)

કમ્પ્યૂટર/લેપટોપમાં ગુજરાતી/હિન્દી /અંગ્રેજી જે બોલો,તે ટાઈપ થશે

                      

બ્લોગની મોબાઇલ એપલીકેશન બનાવો એકદમ ફ્રી માં

                   


કોમ્પ્યૂટરના ડેટાની સી.ડી./ડી.વી.ડી.કેવી રીતે બનાવશો ?

વાહ મારા શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી અને વાહ મારો સત્સંગ જેનાથી ધન્ય થયું મારું જીવન

ઇસવીસન ૧૭૯૩ માં કૈલાશ માનસરોવર ના કિનારે  અગિયાર  વર્ષના બાળ નીલકંઠવરણી એ શિયાળાની થીજાવી દેતી ઠંડી માં ધ્યાન ધરેલ 

અને 

જે સ્થળે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧ ~૨૦૧૬)ના અસ્થી નું વિસર્જન કરાયેલ છે તે સ્થળે 

શૂન્ય ડીગ્રી તાપમાન માં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી એ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ ના સ્થાનિક સમય ૨ વાગે સ્થાનિક બૌધ ભિક્ષુઓ, ચાયના ના શુભેચ્છકો અને તિબેટી યાત્રાળુઓ ની હાજરી માં  સંપ્રદાય ની પ્રથા મુજબ કાયમી સ્મૃતિ રૂપે ચરણાવિંદ પધરાવ્યાને નિહાળીએ તસ્વીરો દ્વારા :-











વિશેષ નોંધ : શૂન્ય ડીગ્રી તાપમાન માં પણ નિયમ ધર્મ નું ચુસ્ત  પાલન કરતા બી એ પી એસ ના બન્ને સંતો એ ફક્ત બે જ વસ્ત્રો ધોતી અને ઉપરણી શિવાય અન્ય કોઈ વસ્ત્ર કે ઠંડી થી બચવા માથા ઉપર ટોપી પણ ધારણ કરી નથી. 

કોટી કોટી  વંદન અમારા પ્રમુખ સ્વામી ના પગલે પગલે ચાલનારા બી એ પી એસ ના બધાજ સંતો ને .















Monday, September 24, 2018

સાધુ નીલકંઠદાસ (મિસ્ટિક ઇન્ડિયા મુવી ના બાળ કલાકાર) બી એ પી એસ - રેડમોન્ડ મંદિર ની મુલાકાતે







                            

પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી બેઈજીંગ (ચાયના) ગુઆન્ગજી મંદિર ના માસ્ટર યાન્જી સાથે....

બૌદ્ધ એસોસિએશન ઑફ ચાઇનાના વડા, જે 300 મિલિયન અનુયાયીઓની દેખરેખ રાખે છે, વેનેરેબલ માસ્ટર યાન્જીએ  બેઇજિંગમાં જાણીતા ગુઆંગજી મંદિરમાં 22 સપ્ટેમ્બર 2018 ના રોજ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારિદાસનું સ્વાગત કર્યું હતું, જેમાં તેઓના  10 વરિષ્ઠ સાધુઓ, દૂતાવાસના અધિકારીઓ, મહાનુભાવો અને સરકારી અધિકારીઓની હાજરી હતી. . તેમણે લાંબા ઇતિહાસ અને ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોના સ્રોતની વર્તમાન સંભાવના અને લાંબા ગાળાના ભવિષ્ય અને વૈભવી વાયદા સાથેના આપણા વિશ્વની સૌથી મોટી, સૌથી જૂની, મજબૂત અને બુદ્ધિમાન રાષ્ટ્રોમાં લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. ભારતમાં ભગવાન બુદ્ધના જન્મ અને માનસરોવરમાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પછી, સાર્વત્રિક શાંતિ માટે ઉપહાર અને પ્રાર્થના કરવામાં આવી.








Tuesday, September 18, 2018

Rules of Happiness ( સુખી થવા માટે ના નિયમો )






            


            


            
            

            

Thursday, September 13, 2018

અક્ષર પુરષોત્તમ સંસ્થા ના સંતો ની પુલાશ્રમ ની યાત્રા



દાદર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી, સંત મંડળ અને હરિભક્તો નું નેપાળ ખાતે આગમન 

 નેપાળ ના એક વખત ના ગવર્નર અને અત્યારે ૯૦ વર્ષ ની ઉંમરના લીલા ભગત ની સાથે 

તેમની જગામાં સંત મંડળ 





બુઢ્ઢા નીલકંઠ ના દર્શન કર્યા.વિષ્ણુ ભગવાન ની શેષશાયી મૂર્તિ છે.ઇ.સ.575 માં નિલકંઠ નામના ખેડૂત ને જમીનમાંથી આ મૂર્તિ મળી હતી.સુતેલી મૂર્તિ છે.પાણી માં રાખેલી છે વિશેષ તા એ છે કે પ્રતિબિંબ માં એવી ને એવી મૂર્તિ દેખાય છે. ૧૬ વર્ષથી નીચેના બાળકો જ પૂજા કરી શકે. અને પશુપતિનાથ ના દર્શન કર્યા. શંકર ભગવાનનું આ મુખ કહેવાય છે.ચારેય બાજુથી દર્શન થાય છે. આ બંને જગ્યાએ નીલકંઠ વર્ણી અને બાપા પધાર્યા હતા.બાપા ૧૯૭૯ માં અહિયાં પધાર્યા હતાં.

નેપાળ થી પોખરા જતા રસ્તામાં ત્રિસુલી ગંગા અને મત્સ્યેન્દ્રિ ગંગા જેને સંપ્રદાયમાં ભૂરી ગંગા કહેછે એ બે નદી નો સંગમ થાય છે તે જગ્યાએ બાપા એ ઠાકોરજીને સ્નાન કરાવ્યું હતું.તે જગ્યાએ સંતોએ જળ માથે ચઢાવ્યું.આ સંગમ થયેલી નદી ને નારાયણી ગંગા કહે છે. નીલકંઠ વર્ણીએ આ નદી માં સ્નાન કર્યું હશે એવું અનુમાન કરી શકાય


આજે પોખરા ના દર્શન હતા બાજુમાં સેતી ગંગા નદી વહે છે નીલકંઠ વરણી ત્યાં સ્નાન કરેલું છે પછી નીલકંઠવર્ણી બાજુમાં જ મહાદેવનું દેરૂં છે તે આગળ પધારેલા જેને ગૌ ઘાટ પણ કહે છે ત્યાં એમને કોઈએ અન્ન આપ્યું ન હતું . એટલે વર્ણીએ સંતરા નું વૃક્ષ જમીનમાંથી ઉત્પન્ન કર્યું અને નિલકંઠવણી રહ્યાં ત્યાં સુધી સંતરાનું વૃક્ષ ત્યાં રહ્યું અને વરણી ત્યાંથી જતા રહ્યા પછી વૃક્ષ જમીનમાં સમાઈ ગયું.સેતી ગંગાના કિનારે પ્રમુખસ્વામી મહારાજ નો અસ્થિ વિસર્જન વિધી પણ કર્યો અને વિવિધ સંકલ્પો કરી મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સારું રહે હરિભક્તો તને મને ધને સુખી રહે એવી પ્રાર્થના પણ કરી અને સર્વે હરિભક્તો સંતોને પણ યાદ કર્યા.

પોખરા જતા રસ્તામાં બીજું એક  પ્રસાદી નું  સ્થાન આવે છે એ છે વ્યાસગુફા. અહીં વ્યાસ ભગવાન નો જન્મ થયો હતો.નીલકંઠ વર્ણી અહીં પધાર્યા હતાં. બાજું માંજ સેતી ગંગા નદી વહે છે.નીલકંઠ વર્ણીએ અહીં સ્નાન કર્યું હતું.પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ અહીં ૧૯૭૯ માં અહીં પધાર્યા હતા અને  ઠાકોરજીને સ્નાન પણ કરાવ્યું હતું.

આ પ્રસાદી ના સ્થળે પૂ કોઠારી બાપા પૂ.વિવેકસાગર સ્વામી પૂ જ્ઞાનેશ્વર સ્વામી પૂ.શ્રુતિપ્રકાશ સ્વામી પૂ.ઋષિરાજ સ્વામી સહિત ૯૦ સંતો હરિભક્તો સહિત મસ્તકે જળ ચઢાવ્યું.અને બાપાનું અસ્થિ વિસર્જન શાંતિપાઠ અને શ્લોક સાથે કર્યું. તથા મહંત સ્વામી નું  સ્વાસ્થ્ય સારું રહે,હરિભક્તો સંતો એકાંતિક ધર્મ સિદ્ધ કરે,હરિભક્તો ના દેશકાળ સારા રહે, એવી ધૂન કરી. પોખરા જવા આગળ વધ્યા.


Thursday, September 6, 2018

મકાન ભલે કાચા હતા પણ......

🌹

@દાદીમા બનાવતા હતા રોટલી,

પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !


રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું,  

ગોળનું ઢેફું ખાવા માટે !


કબુતરોને  ચણ, 

           કીડીઓને લોટ !


શનિવારે હનુમાનને સરસવનું તેલ,  

અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, 

ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!


બધું જ એજ ઘરમાંથી  અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો'તો !!


આજ..


સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !


મને આજે પણ યાદ છે..


મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા... 

દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !


ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા ! 


સોફા અને ડબલ બૅડ શું આવી ગયો, 

અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !


ઘરની છત /અગાસી માથે સૂતા'તા અને વાતો અલકમલકની કરતા'તા !


ઘરના આંગણે ઝાડ હતા, 

સૌના સુખ-દુ:ખ ભેળા હતા !


દરવાજા ઘરના ખુલ્લા રહેતા'તા,

રસ્તે જનારા પણ આવી બેસતા'તા !


કાગડા છત પર બોલતા'તા,

મહેમાન પણ આવતા જાતા,તા !


એક સાયકલ જ ખાલી પાસે હતી ,  

તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !


સંબંધો સૌ સાચવતા હતા,

રિસાતા હતા અને મનાવતા પણ હતા !


પૈસાનું ભલે છેક હતું,

પણ તેનું દુ:ખ ના એક હતું !


મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા ! 


હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું


લેટેસ્ટ મોડેલ ના સ્માર્ટ ફોન લઈને ઘૂમતી આજની યુવા પેઢી ને તેઓની માનીતી યુ ટ્યુબ ગુગલ કે ડોગ પાઈલ જેવી વેબ સાઈટ ઉપર બધુજ જોવા જાણવા મળશે પણ ઉપર જણાવેલ મોઝ તો જવા દ્યો સ્વપ્ના માં પણ આવું દ્રશ્ય હવે જોવા નહિ મળે !


Wednesday, September 5, 2018

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ: ૪

                               પૂજ્ય નારાયણમુની સ્વામી 


* રામાયણમાં 3 કુટુંબની વાત આવે છે. એક શ્રી રામચંદ્રજીનું માનવ કુટુંબ, બીજું વાલી અને સુગ્રીવનું વાનર કુટુંબ, અને ત્રીજું રાવણનું રાક્ષસ કુટુંબ. 


* ત્રણેય કુટુંબોની અંદર નાના મોટા પ્રશ્નો થયા. એમાં માનવ શ્રી રામચંદ્રજીના કુટુંબે એવો વ્યવહાર કર્યો કે એમનો શોક, એમનું દુ:ખ એજ સુખનું કારણ બની ગયું. 


* વાનર કુટુંબની અંદર થોડી ગેર સમજ થઇ, પણ એ કુટુંબ આગળ વધ્યું ,પ્રયત્ન કર્યો અને એ કુટુંબમાં પણ શોકનું શ્લોકત્વ થયું. 


* રાક્ષસ કુટુંબ, જ્યાં અહંકાર પ્રધાન હતો, ભગવાન પ્રધાન ના થયા, એટલે ત્યાં આનંદનું વાતાવરણ શોકમાં બદલાઈ ગયું. 





Monday, September 3, 2018

જુઓ ઓનલાઈન ગુજરાતી નાટક

હર્ષાબેન શાહના સૌજન્યથી :

ગુજરાતી પ્રેમીઓ માટે...

 🎭 ONLINE

 જુઓ ઓનલાઈન ગુજરાતી નાટક

અમારી દુનિયા તમારી દુનિયા

 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6091.html

અમે બરફ ના પંખી 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6208.html


અલવિદા ડાર્લિંગ 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4834.html

 

અભિનય સમ્રાટ 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_3814.html

અઢી અક્ષર પ્રેમ ના 


http://gujnatak.blogspot.com/2010/02/gujarati-natak.html

 

એક ચતુર નાર 

http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-chatur-nar.html


એક મૂરખ ને એવી ટેવ 

http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-murakh-ne-aevi-tev.html

 

અલ્પવિરામ 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8355.html

આંખ મીંચોલી

 <

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4176.html

આ છે આદમખોર 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6179.html

આવ તારું કરી નાખું 


http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-aav-taru-kari-nakhu.html



 

આપણા જ ઘરમાં નો એન્ટ્રી

 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9542.html



કાજળ ઢોળાયું કંકુમાં 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9814.html


 કાંતિ તોફાને ચડ્યો 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_02.html



 ગ્રહણ 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_2352.html


 પત્તા ની જોડ 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_5269.html


 હું પૈસા નો પરમેશ્વર 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9526.html


 વિસામો 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_7783.html


 તો કરો શ્રીગણેશ 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_1114.html


બની રહીએ એક મેક ના


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_01.html



 પ્રેમ કરતા પંચર પડ્યું 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9990.html


 છક્કો મક્કો 


http://gujnatak.blogspot.com/2010/02/blog-post_638.html


 

બા એ મારી બાઉન્ડ્રી 


http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6116.html



 છેલ છબીલા 


http://gujnatak.blogspot.com/2010/02/blog-post_7815.html


 મમ્મી ૨૦ ની દીકરી ૪૦ ની http://gujnatak.blogspot.com/2010/02/1.html



જલસા કરો જયંતિલાલ 


http://gujnatak.blogspot.com/2010/02/blog-post.html>


બસ કર બકુલા 


http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8870.html


 ગોલમાલ 


http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-golmal.html


 

ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું

 

http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-gujjubhai-e-gam-gajavyu.html>



વાત બહાર જાય નહિ

 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_895.html



મૂંગા બોલે બહેરા સાંભળે 

http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-munga-bole-bahera.html


 

તોફાની ત્રિપુટી 


http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-sahebji.html


 

રંગ છે રાજા 


http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9705.html


 

બુઢ્ઢા એ મારી સિક્ષ્સર 


http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6843.html


 

સાહેબજી 


http://gujnatak.blogspot.com/2010/03/blog-post_04.html


 

સખણા રેજો રાજ 


http://gujnatak.blogspot.com/2010/03/sakhana-rejo-raj-gujarati-natak.html



 છગન મગન તારા છાપરે લગન

  

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9592.html


 છાનું ને છપનું કૈ થાય નહિ

 

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4613.html


બા રીટાયર થાય છે

http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8524.html


સાસરિયું સોનાની ખાણ

 

http://gujnatak.blogspot.com/2010/03/sasariyu-sona-ni-khan-gujarati-natak.html




ગુજરાતી નાટકો માં મઝા આવતી હોઈ તો એક વાર મુલાકાત લેવા જેવી સાઈટ છે.

જો તમને ગમે તો બીજા દોસ્તો ને પણ આ ફોરવર્ડ કરવા વિનતી. 

❛અડધી સદીની ધારે થી કહું છું

❛અડધી સદીની ધારે થી કહું છું,

60 ની ઉમર ના ઓવારે થી કહું છું.... 


જીવવાની પડી છે મજા,

એવું હું અનુભવના આધારે કહું છું...


ખુબ દીધું છે ઉપરવાળા એ,

પડી છે મૌજ, એના સરવાળે કહું છું...


સૌ સપના સાકાર ના પણ થાય,

પણ, જે થયા તેના સથવારે  કહું છું...


ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યું,

અભાવો સૌ મૂકી પરભારે કહું છું !


વીત્યા તેટલા વીતવાના નથી,

જે બાકી છે તેના અણસારે કહું છું!


ખુલ્લા મને હસતો રહ્યો છું

મળ્યો જે આનંદ એના ફૂવારે કહું છું...


દોસ્ત મળ્યા - સ્વજન પણ મળ્યા,

વીત્યું મજેથી એમના સથવારે કહું છું..


રહે સૌ આનંદમાં મારા થકી,

બસ, એટલા અમથા વિચારે કહું છું...


અધૂરો છું અને ટૂંકી છે સમજ,

એટલે તો શબ્દોના સહારે કહું છું!


ફાળો છે જેનો મારા ઘડતરમાં,

તે સૌના ભરપૂર આભારે કહું છું...


ક્યાંક લાગ્યું હોય જો દુઃખ મારાથી,

તો, માફીની વાત જુદા પ્રકારે કહું છું ! 


શીદને મન ટૂંકું કરવું ભલા ?

એટલી વાત આ મઝધારે કહું છું !  


"સૌ" નો આભાર માનું તેટલો ઓછો,

એટલું જ આગવા અધિકારે કહું છું !


આમ જ વીત્યા કરે દિવસો સૌ,

આ દિલની વાત વારે વારે કહું છું.❜

🙏😊

આને કહેવાય પત્ની નો વિકાસ...

😆😆😆😆😆😆


મસ્ત છે ભાઈ પત્ની ઓ નો વિકાસ ક્રમ જુવો

1960 માં
પતિ:- એક કપ ચા...???
પત્ની:- પહેલાથી લઈને સામે ઉભેલી મળે
            

1970 મા
પતિ:- એક કપ ચા...???
પત્ની:- હમણાં લાવું જી..
            

1980 મા
પતિ:- એક કપ ચા...???
પત્ની:- લાવું છુ...
            

1990 મા
પતિ:- એક કપ ચા...???
પત્ની:- લાવું છુ, થોડી રાહ તો જુવો..


2000 મા
પતિ:- એક કપ ચા...???પત્ની:- લાવું છુ હમણાં સિરિયલ મા બ્રેક પડવા દો...
            

2010 મા
પતિ:- એક કપ ચા...???પત્ની:- બૂમો ના પાડો, આપું છું... બહુ ઉતાવળ હોય તો જાતે બનાવી ને પીલો...
       

અને હાલ 2018 મા

પતિ:- એક કપ ચા...???પત્ની:- શું કીધું...???
પતિ:- એક કપ ચા બનાવવા જઉછું તો, મેં વિચાર્યું કે તને પણ... પૂછી લઉ... કે... તું પણ ચા પીસ..???
આને કહેવાય પત્ની નો વિકાસ

😆😆😆😆😆😆😆😆

જન્માષ્ટમી સ્પેશીયલ ( ૬ વિડીયો ક્લિપ્સ)


અદભુત બાળ કૃષ્ણ 





સ્પેઇન દેશ ની દહીં હાંડી 



નંદ ઘેર આનંદ ભયો 



શ્રી કૃષ્ણ લીલા 




રાધા અને કૃષ્ણ 



સુંદર એનીમેશન 

                                       (એક આંખ બંધ કરીને 3D ઇફેક્ટ માણો)


                                                                                    





Saturday, August 25, 2018

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ


સાબુદાણા એટલે તાત્કાલિક શક્તિ (ઇન્સ્ટન્ટ એનર્જી) મેળવવા માટેનો યોગ્ય ખાદ્ય પદાર્થ. સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણા કપડાને કડક કરવામાં તો વપરાય છે, પણ બીમારી અને અશક્તિને લીધે નરમઘેંશ જેવા થઇ ગયેલા તમારા તનમનને કડકાઇ,શક્તિ અને સ્ફૂર્તિ આપવામાં નિમિત્ત બને છે. તમે આખા દિવસના કામના અંતે ખૂબ થાકી ગયા હોવ ત્યારે એક કામ જરૂર કરજો. પલાળેલા સાબુદાણામાં થોડું મરચું-મીઠું અને શિંગદાણાનો ભૂકો નાખીને ખાઇ જોજો. થોડા જ સમયમાં તમારો થાક ઊતરી જશે. તમે ઘણી વાર જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હશે કે ઘણા ડૉક્ટર બીમાર માણસને આહારમાં સાબુદાણાની કાંજી બનાવીને પીવાનું કહેતાં હોય છે. . 


સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન્સ પણ સારા એવા પ્રમાણમાં હોય છે, જેનાથી તમારા શરીરના સ્નાયુઓ કસાય છે. સ્નાયુઓને નાની-મોટી ઇજા થઇ હોય તો રૂઝ આવી જાય છે. સ્નાયુઓ શક્તિશાળી બને છે. શરીરનો બાંધો મજબૂત બને છે. સાબુદાણામાં કેલ્શિયમ અને લોખંડ પણ હોઇ હાડકાં પણ મજબૂત અને સ્વસ્થ રહે છે. સાબુદાણાના નિયમિત ઉપયોગથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. હૃદયરોગની બીમારી સતાવતી નથી. જે લોકોની કાયા સાવ માયકાંગલી (વધુ પડતી પાતળી) છે કે જેમનું વજન જરૂર કરતાં ઓછું હોય તેમણે તો અવશ્ય પોતાના રોજના આહારમાં સાબુદાણાનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરવો જોઇએ. શરીરને મજબૂત બાંધા સાથે ભરાવદાર બનાવવા માટે સાબુદાણા શ્રેષ્ઠ છે. 


સાબુદાણા: નાના બાળકો માટે દૂધ પછીનો સૌપ્રથમ શ્રેષ્ઠ ઘન ખોરાક


નાના બાળકોને એક તો દાંત નથી હોતા અને તેમની પાચનક્રિયા પણ હજી અપરિપક્વ હોય છે. આવા સમયમાં દૂધ પછી જ્યારે એને ઘન(સોલિડ) ખોરાક આપવાનું વિચારો ત્યારે રવાનો શીરો તો ઉત્તમ છે જ પણ દિલ્હીની એક પ્રખ્યાત હૉસ્પિટલના મહિલા ડૉક્ટર અને પોષણ શાસ્ત્રી તો કહે છે કે આ રવા કરતાં પણ સાબુદાણા ઉત્તમ છે. રવામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, પણ સાબુદાણામાં તો કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિમ અને લોહ જેવા તત્ત્વો મોજૂદ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં અત્યંત ઉપયોગી છે. સાબુદાણા ચોક્કસ તમારા બાળકો માટેનો પહેલો સોલિડ અને શ્રેષ્ઠ ખોરાક બની શકે છે. પચવામાં હલકાં એવા સાબુદાણા તમારા સંતાનને કબજિયાત, અતિસાર અને અપચાથી તો બચાવે જ છે. 


સાથે સાથે તેમનું વજન વધારવામાં અને હાડકા તેમ જ સ્નાયુઓના સમતોલ વિકાસમાં અત્યંત ઉપયોગી નીવડે છે. આખો દિવસ બાળકને શક્તિ અને સ્ફૂર્તિથી ભરપૂર રાખે છે. આયુર્વેદ પ્રમાણે સાબુદાણા ઉનાળાના દિવસોમાં પણ ઉપયોગી છે, કારણ કે ગુણમાં શીતળ હોવાથી ગરમીના દિવસોમાં શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરીને એને ઠંડું રાખે છે.

ભક્ત ચિન્તામણી - વ્યાપકાનંદ સ્વામી - (ભાગ: ૧ ) / ૩૨ મિનીટ


Monday, August 20, 2018

દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા





દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા


ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે.કે-બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે-તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી.


ઉપરાંત,પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું.જે આનંદદાયી ગૃહસ્થી જીવનની-શુભેચ્છા રૂપે અપાતું.


વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે.કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે.હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું.તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી.


દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે.મને ડર હતો કે-જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેઇલ જશે...પણ,દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે. 


86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે...પણ,મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે.


આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે.,ખસ-ખૂજલી તાજી થાય છે.,એ શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે !,આ મારો જાત અનુભવ છે.


તમે ભાવનગર બાજુ જાઓ તો,આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો.નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે.


પણ,મહેરબાની કરી ‘વાંચીને’ પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે...-તેને વાંચશો નહીં.


કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો.,મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે.


કુદરતની ‘ફાર્મસી’ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં.


ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો-કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો...તો પછી,કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયું ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ.


કૃપા કરી યુરોપ-અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના-કાગળના ડબલાના તોડીને એ રસ પીશો નહીં.દાડમને તાજે તાજા ખાજો.


અમે મહુવામા હતા ત્યારે ઘાંચીનો દીકરો શેરીમાં મસ્કતી દાડમ વેચવા આવતો.,તે દાડમને અમે માત્ર જોઈ જ શકતા,ખરીદવાનો વેંત નહોતો.


આજે હિન્દુસ્તાનના મધ્યમવર્ગની સ્થિતિ સુધરી છે .


પાકિસ્તાનીઓ ભાગ્યશાળી છે.કે-તેમને અનાર (દાડમ) સસ્તા મળે છે,અફઘાનિસ્તાનથી સરળતાથી મળે છે.


કુરાનમાં લખ્યું છે.કે-સ્વર્ગના બગીચામાં દાડમ પાકે છે.,તેને પવિત્ર ફળ ગણાય છે.


ફરી ફરી વિનંતી કરું છું કે-દાડમના ઝાડ-છોડ ઉપર પેસ્ટીસાઈડઝ છંટાય છે તેની દરકાર કરશો નહીં.


ખુદાનો આ છોડ તમારા પેસ્ટીસાઈડઝને પણ ઝાપટી જશે.


દાડમ સ્વયં ક્લીન થઈ જશે.કયાંક છાપેલા ગુણ કોઈ લહિયો વાંચે તો લખી નાખશે.કે દાડમ-‘એન્ટીઓક્સિડંન્ટ’ છે !


અરે સાહેબ !,એન્ટીઓક્સિડંન્ટ વળી કઈ વાડીનો મૂળો છે ?


સાદી ભાષામાં-દાડમ તમારા શરીરમાં જઈ તમારા અંગો ઉપર સુરક્ષાના પડ ચઢાવે છે.


દાડમ ગરમાટો આપે છે.,આ મોસમ કે કોઈપણ મોસમમાં ચા પીતા પહેલા દાડમ ખાઈ લો.


ઘણા આરબ દેશોના ધાતુના ચલણના સિક્કામાં દાડમનું ચિત્ર હતું,-તેમ વીકીપીડીયા કહે છે.


આજે પણ ગ્રીસમાં નવા વર્ષનાં દિવસે કે કન્યાના લગ્ન વખતે દાડમથી મંડપ શણગારે છે.


આપણે જેમ શુભ કાર્ય પહેલા કે હનુમાનને નાળિયેર વધારીએ છીએ,તેમ ગ્રીક લોકો શુભ કાર્ય પહેલાં કે વરરાજાની જાન લઈ જતા પહેલા દાડમ વધેરે છે!


મિશેલી સ્કોફીરો કૂક નામની યુરોપિયન આહાર શાસ્ત્રી લખે છે.કે-હું નિયમીત દાડમનું સેવન કરું છું.,અને બીજા લોકોને સવારે દાડમના દાણાનો નાસ્તો કરવાનુ કહું છું....


કારણ કે-તમારી વૃદ્ધાવસ્થાને દાડમ આઘી ઠેલે છે.


અમેરિકાનું કૃષિ ખાતું એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ રાખે છે...તે દાડમના એન્ટી-એઈજીંગ ગુણને વખાણે છે.


ખાસ તો મિશેલી કહે છે...-તે વાત મારે ગળે ઉતરે છે.કે-દાડમ તમારી કિડનીનું અને લીવરનું રક્ષણ કરે છે.


ઝાઝી વાતના ગાડા ભરાય.


તમારે કિડનીને રોગનો ભોગ બની એલોપથી ડોક્ટરને રૂ. 5-6 લાખ ન ખટાવવા હોય તો,કિડની અને લીવરના રક્ષણ માટે રોજ દાડમના તાજા દાણા ખાઓ.