Friday, May 13, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૯)


૧૮૬૭ ના વર્ષમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતિતાનંદ સ્વામી ગોંડલમાં અક્ષરધામ સિધાવ્યા.તેમના અસ્થીને એક ત્રાંબાના ચરુમાં મૂકી તેમની જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવેલ તે જગ્યાએ પધરાવવામાં આવ્યા. તેમની સ્મૃતિમાં ગણોદ ગામના અભયસિંહ દરબારે ત્યાં એક સુંદર દેરી બંધાવી. અને જુનાગઢના બાલમુકુન્દ સ્વામીએ પંચાળામાં જે પત્થર પર બેસી ભગવાન સ્વામિનારાયણે અનેક વખત સ્નાન કરેલ તે પથ્થરમાંથી ચરણાવિંદ કોતરાવી અક્ષરદેરીમાં પધરાવ્યા. ૧૯૨૭ના વર્ષમાં બાલમુકુન્દ સ્વામીના શિષ્ય અને તત્કાલીન જુનાગઢના મહંત નારાયણદાસ સ્વામીની ઈચ્છા આ દેરી ઉપર એક શિખરનું મંદિર બાંધવાની હતી, પણ વડતાલ મંદિરના કોઠારી અને આચાર્યશ્રી એ તે માટે પરવાનગી આપી નહિ. ત્યારે નારાયણદાસ સ્વામીએ કીધું કે - "ભવિષ્યમાં અહીત્રણ શિખરનું ભવ્ય મંદિર બનશે.

કેટલાક વરસ પછી વિરસદ ગામના નારાયણજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી ગોંડલમાં ત્રણ શિખરનું મંદિર બાંધવા માટે તેમના આશ્રીતોને જણાવવા કીધું. એટલે નારાયણજી મહારાજ વિરસદ ગામના તેમના શિષ્યો શંકરભાઈ અમીન અને હીરાભાઈ અમીન અને જડેશ્વરના ભીખાભાઈ શુક્લાને લઈને ગોંડલ ગયા. અહિયાં તેઓએ ગોંડલના મહારાજા ભગવતસિંહજીને મળીને જે જગા ઉપર અક્ષરદેરી હતી ત્યાં મંદિર નિર્માણ માટે તે ખેતરની જમીનની માંગણી કરી. મહારાજા ફક્ત ૨૫૦૦૦ રૂપિયાની નજીવી કિંમતે પણ ત્રણ શરતોને આધીન તે જમીન આપવા તૈયાર થયા. (૧) અક્ષર દેરી જેમ છે તેમજ રહેવી જોઈએ (૨) ત્રણ શિખરનું ભવ્ય મંદિર ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાના ખર્ચથી બંધાવું જોઈએ (૩) મંદિરનું  નિર્માણ ત્રણ વરસમાં થઇ જવું જોઈએ.

નારાયણજી મહારાજ અને હીરાભાઈ અમીને વિચાર્યું કે આ શરતે ફક્ત શાસ્ત્રીજી મહારાજ જ મંદિર બંધાવી શકશે, એટલે તેઓ સારંગપુર શાસ્ત્રીજ મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ મંદિર નિર્માણ માટે તૈયાર થયા પણ શરત કરીકે તમારે જમીન પ્રાપ્ત કરીને મને ફ્રિ માં સુપ્રત કરવાની રહેશે. પછી તે મુજબ ૧૯૩૨ના વરસમાં મંદિરનો શિલાન્યાસ વિધિ કરી નિર્માણ શરુ થયું. મંદિરના પાયાના ખોદકામ દરમ્યાન ચાંદીનો હાથી અને રથ મળ્યા એટલે શાસ્ત્રીજી મહારાજે ભવિષ્યવાણી કરી કે ભવિષ્યમાં અહિયાં શોભાના હાથી મુકાશે, લાખો લોકો દર્શન કરવા આવશે અને જે કોઈ અહિયાં મહાપૂજા કરાવશે તેમની મનોકામના પૂર્ણ થશે, અને મંદિર માટે જરૂરી પૈસાની તંગી ક્યારે પણ નહિ આવે.

મંદિર નિર્માણ દરમ્યાન એક વખત બધા સંતો કોઈ પ્રસંગે સારંગપુર ગયેલ. ગાયો અને મંદિરની દેખભાળ માટે ફક્ત મોહન ભગત અને મૂળજી ભગત બેજ .લોકો રહ્યા હતા. ત્યારે એક રાત્રીના કોઈ ચાર બદમાશ લોકો પપ્પૈયાની ઝાડીમાંથી દાખલ થયા. તેઓ પપૈયાના ઝાડ કાપવાની સાથે અને અંદરો અંદર વાત કરવા લાગ્યા કે - "આજતો તેના એવા ટુકડે ટુકડા કરી દેવા છે કે ભવિષ્યમાં કોઈ અહિયાં આવવાની હિમ્મત જ ના કરે". આ સાંભળી મોહન ભગતને ધ્રાસકો પડ્યો કે આજે તેનું આવી બન્યું છે - આ લોકો જરૂર તેના ઉપર હુમલો કરશે. એટલે તેઓ અક્ષરદેરીમાં જઈને ચરણાવિંદ પર મસ્તક ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા કે "હે મહારાજ - હે સ્વામી મને બચાવો". ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન આપી તેમના માથે હાથ મૂકીને કીધું કે "ભગત ડરો છો કેમ ? તમે એકલા નથી. હું અને શ્રીજી મહારાજ અહિયાં સદાય હાજર છીએ. પછી સ્વામીએ તેમને નજીકના આંબલીના વ્રક્ષ તરફ જોવાને કીધું." આંબલીના વ્રક્ષના પાંદડાના ઝુંડમાં ભગતને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થવાથી હિમ્મત આવી. એટલે તેઓએ પેલા ઘુસણખોર લોકોને જોરથી પડકાર્યા અને બદમાશો ડરીને ભાગી ગયા.

બહુ બધા પ્રશ્નો અને મુશીબતોનો સામનો કરીને પણ શાસ્ત્રીજી મહારાજે ફક્ત બેજ વરસમાં મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું અને ત્રણ દિવસના ભવ્ય યજ્ઞના આયોજન સાથે ૨૩-૫-૧૯૩૪ના દિવસે મંદિરની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ટા કરી.                     


    


No comments:

Post a Comment