Monday, November 9, 2015

સ્વામિનારાયણના મંદિરોના નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક અવિસ્મરીણય ઘટનાઓ - (૧)

ઈતિહાસની તવારીખ :-



        ગઢડા ખાતે દાદાના દરબારમાં હાલ ગોપીનાથજીનું મંદિર છે, તેનુ નિર્માણ શ્રી હરિએ પોતાની હૈયાતીમાં ઓક્ટોબર ૧૮૨૮ની સાલમાં કરેલ. તે પહેલા શ્રી હરિની ઈચ્છા જીવા 
ખાચરની ઘેલા નદી કાંઠાની જમીન ઉપર કરવાની હતી. જીવાખાચરે ઘેલા કાંઠાની પોતાની જમીન શ્રી હરિને મંદિર નિર્માણ કરવા આપવાની પહેલા હા તો કહી પણ પછીથી ઘરના 
માણસની રોક-ટોકના કારણે જમીન સુપ્રત કરવામાં ગલ્લાતલ્લા કર્યા. એટલે શ્રીજ મહારાજ
રિસાઈને ગઢપુર છોડી સારંગપુર આવ્યા. અહિયાં બીજા જીવાખાચરે પોતાના સારંગપુર ખાતેના દરબાર ગઢની જમીન ઉપર શ્રીજી મહારાજને મંદિર નિર્માણ કરવાનો પ્રસ્તાવ મુક્યો. શ્રી હરીએ તે પ્રસ્તાવ સ્વીકાર્યો અને પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઇ ગોળ કુંડાળું ફરી જમીનમાં ખુન્ટીઓ લગાવી મંદિર નિર્માણ માટેની જગા પસંદ કરી. તે દરમ્યાન ગઢડાથી દાદાખાચર, જીવુબા, લાડુબા સારંગપુર દોડી આવ્યા અને શ્રી હરિને ગઢડા ખાતે પોતાના દરબારની જગામાં મંદિર નિર્માણ કરવા માટે અરજ કરી. દાદા અને તેમની બહેનો જીવુબા/લાડુબા ના આગ્રહ અને હઠને વશ થઇ પછીથી શ્રી હરીએ ગઢડા ખાતે દાદાના દરબારમાં મંદિર બાંધ્યું.



             એક વખત શ્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર ગોપાળાનંદ સ્વામી વિચરણ કરતા સારંગપુર ગામે આવ્યા ત્યારે દુષ્કાળ પીડિત દરિદ્ર ગ્રામ્યજનો તેમની વ્યથા સ્વામીને કહી.
એટલે સ્વામીએ ઈ.સ.૧૯૪૮ના વર્ષમાં સારંગપુરમાં એક મંદિર બનાવી તેમાં અતિશય સામર્થ્યવાળી કષ્ટભંજન શ્રી હનુમાનજીની મૂર્તિ પધરાવી.

પછી ગ્રામ્યજનોને કીધું કે આ કષ્ટ ભંજન દેવ સૌના કષ્ટ દુર કરશે અને દેશભરમાંથી લોકો 
તેના દર્શન કરવા સારંગપુર આવશે એટલે તમારા વ્યાપાર-રોજગાર પણ વધશે. આ રીતે 
સ્વામીએ ગ્રામ્યજનોના દુખનું નિવારણ કરી આપ્યું. આ મૂર્તિમાં સ્વામીએ પહેલા એટલું 
બધું તેજ મુકેલ કે મૂર્તિ સાક્ષક્ત જીવંત હોય તેમ ધ્રુજતી. પછી બીજા સંતોએ સ્વામીને કીધું 
કે સ્વામી હનુમાનજીની મૂર્તિનું થોડું તેજ ઓછું કરો, નહીતો બાજુમાં ગઢડા ગામે ગોપીનાથજી ના દર્શન કરવા કોઈ નહિ જાય. એટલે સ્વામીએ થોડું તેજ ઓછું કર્યું. 



          ૮૮ વરસો બાદ શાસ્ત્રીશ્રી યજ્ઞપુરષદાસે સારંગપુર ખાતે જીવા ખાચરના દરબારની જે જમીન ઉપર શ્રી હરીએ ખૂંટા રોપી મંદિર નિર્માણ કાજે જગા પસંદ કરેલ ત્યાં ૧૯૧૬ ની સાલમાં એક ભવ્ય અક્ષર પુરષોત્તમના મંદિરનું નિર્માણ કર્યું. તેવીજ રીતે ઘેલા નદીના કાંઠે મહારાજની જે જગાએ મંદિર કરવાની ઈચ્છા હતી ત્યાં ૧૯૫૧ની સાલમાં અક્ષર પુરષોત્તમ 
નું બીજુ એક ભવ્ય મંદિર તૈયાર કર્યું. 

                                                  ગઢડાના મંદિરોની તસ્વીર  


                                                                 (ક્રમશ:)

No comments:

Post a Comment