Tuesday, November 17, 2015

સ્વામીનારાયણના મંદિરોના નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક અવિસ્મરીણય ઘટનાઓ (૨)

ઈતિહાસ ની તવારીખ :- 



          ભાવનગર રાજ્યની નીચે આવતા ગઢડામાં ભાવનગરના મહારાજાએ ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના કાર્યને અટકાવ્યું હતું. મંદિરનું કાર્ય અટકે તે ભગવાન સ્વામિનારાયણને મંજૂર નહોતું. અહીં શ્રીહરિ ભાવનગર આવ્યા હતા. અહીં અંગ્રેજ અમલદારોને મળીને તેમણે ગઢડામાં મંદિરની બંધી અંગેની વાત કરી. અંગ્રેજ અમલદારે આ વાત રાજકોટના ઉપરી અંગ્રેજ અધિકારીને પત્ર લખી જણાવી.


          રાજકોટના અધિકારીએ ભાવનગરના મહારાજાને પત્ર લખી જણાવ્યું : 'સ્વામિનારાયણના મંદિરનું કામ બંધ કરાવશો નહીં. તેઓ ગઢ કરે છે તે મારા રાજ્યમાં છે, તે અમે જોઈશું. તમારે તેની ફિકર કરવાની જરૂર નથી.'


          પછી શ્રીહરિ સવારે કારિયાણી થઈ ભાવનગર પધાર્યા. ત્યાં રૂપાભાઈને ઘેર ઊતર્યા. સવારમાં શ્રીજીમહારાજ ભાવનગરના મહારાજા વજેસિંગના દરબારમાં પધાર્યા. વજેસિંગે પોતાની ગાદીએથી ઊભા થઈને શ્રીજીમહારાજનું સ્વાગત કર્યું અને કહ્યું 'મહારાજ, આ ગાદી ઉપર આપ બેસો.'


          પછી શ્રીજીમહારાજે કહ્યું 'જેમ તમારા પટેલિયા વેરો ભરે છે, તેમ અમે પણ વેરો તમને ભરીએ છીએ. બ્રાહ્મણ જમાડીએ છીએ, યજ્ઞ કરીએ છીએ. સાધુ ભજન-સ્મરણ કરે છે, ધર્મ પાળે છે. માટે તમારી ઇચ્છા હોય તો ગોપીનાથજી ગઢડા રહે, નહીં તો નવાબની ધરતીમાં લઈ જઈએ.'


          શ્રીહરિનો પ્રતાપ જોઈ વજેસંગ બાપુ નમ્ર થઈ ગયા. તેમણે હાથ જોડી સ્તુતિ કરતાં કહ્યું, 'એ તો બીજા કોઈએ કહ્યું હશે, હું એમ ન કહું. અમારે તો તમે આ દેશમાં રહ્યા છો તે ઘણું સુખ છે. તમારા પ્રતાપે અમારું રાજ્ય રહ્યું છે. બીજાનાં રાજ્ય ગયાં માટે ગોપીનાથજી આ દેશમાં રહે તેમાં અમે રાજી છીએ.'


          આમ, ગઢપુર મંદિરનું કાર્ય ચાલુ થઈ ગયું. શ્રીહરિ ગઢપુર મંદિરનું કામ ચાલુ જોઈને મલકાઈ ઊઠ્યા



           શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ભવ્ય શિખરબંધ મંદિરનું સર્જન કરી રહ્યા છે. ગામેગામથી સંતો-ભક્તો મંદિરની સેવા કરવા ઉમટી પડયા છે. શ્રી સ્વામિનારાયણ  ભગવાન દાદા ખાચરના દરબારમાં લીંબડાના ઝાડ તળે ભક્તોની વચ્ચે બિરાજમાન છે. પ્રેમીભક્તો અનેરા અવસરની અમૂલ્ય સેવાનો લાભલેવા પોતાની યથાશક્તિ અનુસાર દાન, ધર્માદો લખાવી રહ્યા છે. સો, બસો, પાંચસો કે હજારના આંકડામાં બોલી બોલાઈ રહી છે. 

          શ્રીજી સહુને અમી દૃષ્ટિથી નિહાળી રહ્યા છે. ત્યાં છેવાડેથી એક અતિ દરિદ્ર વૃદ્ધ પણ પ્રભુ પ્રતિ અગાધ પ્રેમવાળા  ભક્તજન સભા મધ્યે પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યાં કે, હે પ્રભુ! મને પણ મંદિરની સેવા કરવાનો લાભ આપો. શ્રીજીએ પ્રેમથી હસતાં-હસતાં કહ્યું કે દુબળી ભટ્ટ તમારી ભાવના સારી છે પણ સેવા કરવા માટે તમારી પાસે શું છે? ત્યારે દુબળી ભટ્ટ કહે કે, પ્રભુ મારી પાસે જે કંઈ પણ છે તે તમામ તમોને અર્પણ કરવા માંગું છું એમ કહીને ગાંઠો અને થીગડાંવાળી પાઘડી માથેથી ઉતારીને પાઘડીમાં વાળેલી ગાંઠો એક પછી એક ખોલતાં-ખોલતાં તેમાંથી તેર પૈસા નીકળ્યા. જે દુબળી ભટ્ટે હરખાતાં હૈયે હાથમાં લઈને પ્રભુના ચરણમાં ધર્યા અને કહ્યું કે હે! પ્રભુ મારા જીવનની આ બચાવેલી પૂંજી છે તે સમગ્ર આપના ચરણે અર્પણ કરું છું. 

         

          સભામાં સન્નાટો વ્યાપી ગયો. પ્રભુએ કહ્યું દુબળી ભટ્ટ આ તમારી પાઘડી ફાટી ગઈ છે હવે આયખુંય ઘસાઈ ગયું છે  તેને માથે નવી પાઘડી કે જુની પાઘડી શું ફરક પડવાનો છે? પરંતુ આવી સેવાનો લાભ મને ફરી ક્યારેમળશે? તેથી મારી આ સેવાનો પ્રભુ આપ સ્વીકાર  કરો. પ્રભુ પાતો આ પૈસામાંથી નવી લાવજો. તમારી સેવા અમને આવી ગઈ. ત્યારે દુબળી ભટ્ટ કહે, પ્રભુ ટ ઉપરથી ઉભા થયા અને દુબળી ભટ્ટના તેર પૈસાનો સ્વીકાર કરી તેમને પ્રેમથી બાથમાં લઈને ભેટયા અને કહ્યું કે, ''હવે અમારું મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જશે.'' ત્યારે સભામાં બેઠેલા ધનિક ભક્તોના મનમાં ગણગણાટ થવા લાગ્યો કે, તેર પૈસાદિર માં મંરું થપુઈ જશે ?

          

        અંતર્યામી પ્રભુએ ભક્તજનોના મનની મૂંઝવણ કળી ગયા અને કહ્યું કે, ''ભક્તજનો તેર પૈસા બહુ મોટી ચીજ નથી. પણ તેમની સમર્પણ ભાવના અનેરી છે. જેની પાસે કંઈ જ નથી છતાં પણ સર્વસ્વ સમર્પણ કરી દેવાની જેના દિલમાં તમન્ના છે તેના તેર પૈસા સમગ્ર સૃષ્ટિની સંપત્તિ કરતાં અધિક છે. અમે આવા સર્વસ્વ સમર્પણ કરનારા ભક્તોની ભાવનાને આદરથી સન્માનીએ છીએ.'' એમ કહીને શ્રી હરિ હેતે કરીને બાથમાં લઈને દુબળી ભટ્ટને ભેટ્યા.

                                                           *******

                                      ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ...


ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં રચાઈ રહેલા ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણ માટે ખર્ચ પણ ખૂબ થઈ રહ્યો હતો. ભગવાન સ્વામિનારાયણની મરજી મુજબ સેવા કરી રહેલા ભક્તરાજ દાદાખાચર આર્થિક રીતે ચારેબાજુ થી મુશ્કેલીઓમાં સપડાયા હતા. આથી તેમના મનમાં મૂંઝવણ ચાલી રહી હતી કે પૈસાની તંગી છે, તો મંદિર કઈ રીતે પૂરું થશે?


શ્રીહરિ દાદાખાચરની આ મૂંઝવણ પારખી ગયા. તેમણે દાદાખાચરને પાસે બોલાવી આકાશ તરફ હાથ ઊંચો કર્યો અને ત્યાં નીરખવા કહ્યું. દાદાએ ત્યાં નજર કરી એ સાથે ત્રણ શિખરના સોનાના દિવ્ય અને ભવ્ય મંદિરનાં દર્શન થયાં. 


દાદાખાચર તો આવું સુંદર મંદિર જોઈ આભા જ બની ગયા! તેમણે ગદ્‌ગદ થતાં કહ્યું: 'મહારાજ! આ જ મંદિર રાખી દ્યો ને !' 

શ્રીજીમહારાજ કહે : 'દાદા ! અમારે સૌનું કલ્યાણ કરવું છે. માટે સૌની સેવા લેવી છે. જો આ જ મંદિર રાખીએ તો કોઈને સેવા ન મળે.'


દાદાખાચર શ્રીજીમહારાજની આ જીવપ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાને વંદી રહ્યા.





            એક દિવસ શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં  શ્રીજી મહારાજની પ્રસાદીના મોટા 

કુંડે નહાવા જતા હતા. રસ્તામાં હાલ જ્યાં મંદિર છે, ત્યાં ઉભા રહ્યા અને સાથે આવેલ 

મોતીભાઈને સ્વામીશ્રીએ કહ્યું : 'મોતીભાઈ, શ્રીજી મહારાજે આ જગ્યાએ મંદિર કરવાનો 

સંકલ્પ કર્યો હતો અને મંદિર થશે તેવું વચન આપ્યું હતું. માટે અહી મંદિર જરૂર થશે' એમ 

કહી નાહવા ગયા.   


             નાહીને આવ્યા પછી સ્વામીશ્રીએ મોતીભાઈને કહ્યું : 'આપણે સારંગપુરમાં મંદિર કરવું છે, તો તેનું કીર્તન બનાવો'


               મોતીભાઈ તો વિચારમાં પડી ગયા : 'હજુ બોચાસણમાં મંદિર અધૂરું છે, કોઠારમાં 

પૈસા નથી અને વળી સ્વામીશ્રી આવા સંકલ્પ કરે છે? ' તેમની તો મટી મૂંઝાઈ ગઈ.


                સ્વામીશ્રીએ તેમની સામુ જોયું, તેવામાં તો તેમના આશ્ચર્ય વચ્ચે નજર સામે ત્રણ 

શિખરનું ભવ્ય મંદિર સોનાના કળશ સહિત, ધામ, ધામી અને મુક્તની પ્રતિમા અને સિંહાસન 

સહીત દેખાયું. અત્યારે ઉપર ફોટામાં છે તેવુ જ સુંદર અને ભવ્ય મંદિર જોઈ મોતીભાઈ તો 

આશ્ચર્યમાં પડી ગયા અને તેમના મુખમાંથી કીર્તનની કડીઓ નો પ્રવાહ વહેવા લાગ્યો :

                   

                        'શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, 

                         જોઈ અલૌકિક અદભુત ધામ અવિકારી'

            

             તેમના અંતરમાંથી શંકા દુર થઇ ગઈ. આ સ્વામી તો આવા અનેક મંદિરો કરવા 

શક્તિશાળી છે - તે તેમને સમજાઈ ગયું. 


                                                    
       

  



No comments:

Post a Comment