સત્સંગી તો તેને રે કહીએ, જે શિક્ષાપત્રી પાળે રે ,
નિયમ નિશ્ચય પક્ષ ન મુકે, નિર્મળ નજરે નિહાળે રે ..... સત ૦૧
સર્વોપરી શ્રીજીને જાણે, નિષ્ઠા ન ફરે એની રે,
બ્રહ્મરૂપે પરબ્રહ્મને સેવે, ધન્ય ધન્ય ભક્તિ તેની રે, ..... સત ૦૨
ગુણ દ્રષ્ટિથી દોષો ત્યાગે, વિનયી ને પૂર્ણ વિવેકી રે;
માથું જાતાં ટેક ન મુકે, ભક્તિ કરે એકાંતિકી રે.............. સત ૦૩
મદ્યમાંસ ને ચોરી અવેરી, વ્યસન સર્વે વિસાર્યા રે;
ચિંતવન એક શ્રીજીનું રાખે, તાપ ત્રિવિધ નિવાર્યા રે .... સત ૦૪
નિષ્કામ ભાવે સેવા સજે, હરિ ને હરિના જનની રે;
ષડુરમી ને તૃષ્ણા ત્યાગી, અહં મમતા તજી મનનની રે ... સત ૦૫
વણ ક્રોધી ને નિ:સ્વાદી છે, નીર્લોભી નિષ્કામી કા'વે રે ;
નિર્માની થઇ વર્તે તોયે, ગુણના માન ન આવે રે ...... સત ૦૬
મોહ માયા વ્યાપે ન જેને, તીવ્ર વૈરાગ્ય જેના મનમાં રે,
પંચ વિષયને પર હરિયા, વિકારો નહિ તેના તનમાં રે .... સત ૦૭
ઈર્ષ્યા અશુયા મત્સર ટાળ્યા, સદભાવ જેના મનમાં રે ;
શ્રીજી સાથે લગની લાગી, સકળ તીરથ તેના તનમાં રે .... સત ૦૮
કાળ કર્મ ન લોપે જેને, પરધન પથ્થર જાણે રે;
દાસ થઇ રહે સત્સંગે, તે અક્ષર પદ માણે રે ..................... સત ૦૯
No comments:
Post a Comment