Thursday, September 10, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૪

ગઢડામાં એક વખત શ્રીજી મહારાજે ગંભીર બીમારી ગ્રહણ કરી બીમારીમાં માણસ લવરી કરે તેવું ચરિત્ર કરી બોલવા લાગ્યા કે - "બસ મેં તો મારું કાર્ય પૂરું કરી લીધું, હવે મારે મારા ધામમાં જવું છે, હવે મારો દેહ રહેશે નહિ, તમે બધા અમારું ભજન કરી અમારો મહિમા બધાને કહેજો". એટલે બધા ગંભીર-ઉદાસ થઇ ગયા. એટલામાં બહારથી મુક્તાનંદ સ્વામી આવ્યા, અને મહારાજને કહ્યું હજી તો મોટા શિખરબંધ મંદિરો બાંધવાના બાકી છે, બાવાઓ અને મત પન્થીને કારણે આપણા સંતોના વિચરણમાં બહુ તકલીફ પડે છે. હજી તમારું પણ ભગવાન પણું પ્રતિષ્ટિત થયું નથી. ત્યારે મહારાજ કહે અમે પૂર્ણ પુરષોત્તમ નારાયણ છીએ - અમે સંકલ્પ કર્યો છે કે આ બ્રહ્માંડમાં એકે એક ગામમાં અમારી મૂર્તિની પ્રતિષ્ટતા થશે. માટે આજથી યુગો સુધી અમારા પરમ એકાંતિક સંતો અમારી મૂર્તિની પ્રતિસ્થા કરશે અને અમારો  સંકલ્પ પૂર્ણ કરશે.   





સર્વોપરી શ્રી હરિ અને સદગુરૂ સંતોએ પૂર્વે કરેલ સંકલ્પો આજે ધરતીના પાંચેય ખંડોમાં સાકાર અને મૂર્તિમાન  થઇ રહ્યા છે :-    ( એશિયા ખંડ - ભારતના કેટલાક મંદિરો )







આવાજ ભવ્ય બીજા ૨૯ શીખરબંધ મંદિરો ભારતમાં અમદાવાદ,અમલનેર,આણંદ,ભરૂચ, ભાવનગર, બોડેલી, દિલ્હી, ધારી ધોળકા, ગોધરા, હિંમતનગર, જયપુર, જામનગર, જુનાગઢ, કોલકોતા, લીંબડી, મહેળાવ, મહેશાણા, મહુવા, મુંબઈ, નડિયાદ, નાગપુર, નવસારી, રાજકોટ, સાંકરી, સિલવાસા, સુરત, સુરેન્દ્રનગર, અને તીથલ મુકામે સાકાર થઇ ચુક્યા છે. 

***આફ્રિકા ખંડમાં શીખરબંધ મંદિરો ***




તદુપરાંત અરુશા, દારેસલામ, ડર્બન, ગેબોન,જીન્જા, એલ્ડોરેટ, ઇન્ગાગા,જોહાનીસબર્ગ, કીશીમું, લેનાશિયા, લીમ્બે, મોમ્બાસા, મ્વાન્ઝા, નકુરુ, ટોરોરો અને ત્જાનીનના  ૧૬ હરીમંદિરોમાં સ્વામિનારાયણનું ભજન કીર્તન ગવાઈ રહ્યું છે.
*** અમેરિકા ખંડમાં ***





આ ઉપરાંત અમેરિકામાં કેવળ અક્ષર પુરસોત્તમ સંસ્થાનાજ બીજા ૭૫ જેટલા નાના હરિ મંદિરોમાં આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભજન-કીર્તન થાય છે. આ શિવાય અમદાવાદ - કાલુપુર સંસ્થા તેમજ મણીનગર અને વાસણા સંસ્થાના પણ બીજા અનેક સ્વામિનારાયણ મંદિરો કાર્યવિન્ત છે. 

યુરોપ ખંડ 




આ ઉપરાંત એન્ટવર્પ (બેલ્જીયમ), લીસ્બન (પોર્ટુગલ) અને યુ.કેમાં કેવળ અક્ષર-પુરષોત્તમ સંસ્થાનાજ બીજા ૧૨ નાના હરિ મંદિરોમાં આજે 'સ્વામિનારાયણ' નું ભજન કીર્તન થઇ રહ્યું છે. આ શિવાય અમદાવાદ કાળુપુર સંસ્થા તેમજ મણીનગર અને વાસણા સંસ્થાના પણ બીજા અનેક સ્વામિનારાયણ મંદિરો યુરોપ ખંડમાં કાર્યવિન્ત છે.

ઓસ્ટ્રેલીયા ખંડ


પ્રસ્તુત છે પુ.જ્ઞાનવત્સલ સ્વામીના લંડન ખાતેના 
૪થા દિવસનું પ્રવર્ચન 




    

No comments:

Post a Comment