Saturday, October 21, 2017

"નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ" ....







“નિર્વિકલ્પ ઉત્તમ અતિ..”
સ્વામિનારાયણ ના દરેક મંદિરો માં સાયંકાળે આરતી પછી ગવાતી પ્રાર્થના વિષે જાણવા જોગ વાત .... એક ખૂબી લગભગ આ વાત ✅ પડશે... ભગવાન સામે ઊભા ઊભા આ પ્રાર્થના બોલતા હોય. મોઢાને બોલવાની આજ્ઞા આપી મનજી ભાઈ ફરવા નીકળી જાય. સમાપન થાય ત્યારે ખબર પડે લે બોલાય ગયું.... અંદરના ભાવ સાથે બોલાય તો બોલ્યું કહેવાય, નહિતર મોઢાની કસરત કહેવાય.... પ્રાર્થનાની અંદર ૧ : નિશ્ચય : શ્રી સ્વામિનારાયણ ભગવાન એક સનાતન ભગવાન છે એવો પાકો દ્રઢ નિશ્ચય... ૨ : ભક્તિ : ભગવાનનો મહિમા અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. મહિમા અને જ્ઞાન સાથેની એકાંતિક ભાવ સાથેની અનન્ય ભક્તિ જેનો એકજ અંત છે આ સિવાય બીજો નહિ. ભક્તિનો આદિ અને અંત એક પુરુષોત્તમ નારાયણ જે સ્વામિનારાયણ છે એવી એક ભક્તિ.

3 : દોષ : ભક્તપણામાં કોઈ જાતનો, કોઈ પ્રકારનો દોષ-ખામી ન રહે એવો હું પાકો ભક્ત બનું...
૪ : દ્રોહ : ભગવત પ્રાપ્તિમાં મોટામાં મોટું વિઘ્ન હોય તો તે છે ભગવાનના ભક્તનો દ્રોહ. હે મહારાજ તમારા કોઈ ભક્તનો મારાથી ક્યારેય દ્રોહ ન થાય... ૫ : સમાગમ : ભગવત આરાધનામાં સફળ થવા માટે મોટામાં મોટું સાધન હોય તો તે છે... એકાંતિક ભક્ત, પરમ એકાંતિક સંત, અનાદિ મુક્તની સ્થિતિએ વર્તતા મોટા મુક્તનો સમાગમ. મોક્ષ માર્ગમાં દરેક સાધન સમાગમથીજ પ્રાપ્ત થાય છે...

૬ : દાસનકો દાસ : સમુદ્રમાં જેમ જળનો સંગ્રહ થાય છે તેમ જે દાસના દાસ થઈને આ સત્સંગમાં રહે છે ત્યાં સદ્ ગુણની સાથે મોટા સંત-હરિભક્તના રાજીપાનો ઢગલો થાય છે...દાસના દાસ થાવું એ ભગવત પ્રાપ્તિનો મોટો સદ્દ ગુણ છે...
૭ : સદા રાખીએ પાસ : : ભક્ત ભગવાન પાસે માગે છે કે હે પ્રભુ ! અમને સદાય તમારી પાસે રાખજો... આપણને ભગવાન પોતાની પાસે રાખે એનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે ? અર્થાત કોઈ નહિ. 👆🏼આ સાત વરદાન જોઈતા હોય તો, એના બદલામાં અગિયાર (નિયમ) પાળવા પડે... આ દુનિયામાં મફત તો કંઇ મળતું નથી... ★★★★★★★★★★★ અગિયાર નિયમની વાત શિક્ષાપત્રી ૧ : કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી... ૨ : પરસ્ત્રીનો સંગ ન કરવો... ૩ : ક્યારેય, કોઈ પણ સંજોગોમાં માસ ન ખાવું..

૪ : દારૂ-ભાંગ ક્યારેય, કોઈ પણ સંજોગોમાં ન પીવો, ન પીવી... ૫ : સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો (આનાથી વિધવા સ્ત્રીની સલામતી જળવાય, શાસ્ત્રનો એવો શુભ આશય રહેલો છે) ૬ : આત્મઘાત ન કરવો, કોઈ પણ દુઃખના પ્રસંગે આત્મઘાતનો વિચાર પણ ન કરાય...

૭ : કોઈ પણ પ્રકારની ચોરી ન કરાય... ૮ : કોઈના ઉપર ખોટું કલંક ન દેવું... ૯ : કોઈ પણ દેવ, દેવી, દેવતા, અવતારની નિંદા ન કરવી... ૧૦ : જેના પાત્રનું રાંધેલ અનાજ ખપતું ન હોય તેના પાત્રનું અનાજ ન ખાવું ને તેના પાત્રનું પાણી ન પીવું...(ચાર વર્ણ અને ચાર આશ્રમની મર્યાદાનું પાલન કરવું)

૧૧ : વિમુખ જીવ, વિમુખ માણસના મોઢેથી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી... આ ૧૧ નિયમનું જે પાલન કરે છે તે નિઃશંક પણે ભગવાનના ધામમાં જાય છે એમાં શંકા કરવા જેવું છેજ નહિ શ્રીજી મહારાજે કહેલી આજ્ઞાઓને સદ્દ. શ્રી પ્રેમાનંદ સ્વામીએ કાવ્યમાં ગૂંથીને સત્સંગીઓને આપી તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ નીચેની કથા પ્રવર્ચન દ્વારા. આ અદ્ભુત કથા સાંભળવા આપનો એકાદ કલાક નો સમય અચૂક ફાળવશો.

No comments:

Post a Comment