Wednesday, April 29, 2015

“ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે…” બાલાસાહેબ કંથારિયા દ્વારા રચાયેલ પહેલી ગુજરાતી ગઝલ

    “ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે…”
બાલાસાહેબ કંથારિયા દ્વારા રચાયેલ પહેલી ગુજરાતી ગઝલ
             જીવનના છ દસક પછી દરેક વ્યક્તિમાં એક અસાધારણ બદલાવ અનેક કારણોસર આવે છે. જેવાકે નોકરીમાંથી નિવૃત્તિ, સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ કે બીમારી, જીવનસાથીના અવસાન બાદ અપેક્ષાઓની સંતાનો દ્વારા થતી ઉપેક્ષાથી ઉપજતું દુ:ખ અને  સંતાપ. આવી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે શોધેલ ચાવીને ગઝલની નીચેની પંક્તિઓ દ્વારા કવિશ્રી  બાલાસાહેબ કંથારિયાએ તેમના હ્રદયની ઉર્મીઓને વ્યક્ત કરી છે.
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.
વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.
રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.
કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.
Headphone
***** ગઝલ સાંભળવા માટેની લીંક *****


No comments:

Post a Comment