Wednesday, April 29, 2015

"કર્મ નો સિદ્ધાંત" - ની સરળ સમજુતી / હીરાભાઈ ઠક્કર


            અમદવાદના સન્યાસ આશ્રમના શ્રી જયેન્દ્ર્પુરી મહારાજ થી પ્રભાવિત થઈને તેમણે વેદિક ફિલોસોફીનો ઊંડો અભ્યાસ કર્યો, ૩૮ વર્ષો સુધી ગુજરાત સરકારના રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરી. સરકારી નોકરીમાંથી  નિવૃત્તિ પહેલા ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના બહુ બધા શહેરો અને ગામડાઓમાં તેમણે ભાગવત, રામાયણ ભગવત ગીતા અને ઉપનિષદ ઉપર પ્રવર્ચનો કર્યા.

            ૧૯૮૫ પછી તેઓએ અમેરિકાના બહુ બધા રાજ્યોનું ભ્રમણ કરી, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પ્રવર્ચનો કર્યા. તેમણે બહુ બધા પુસ્તકો લખ્યા જેવાકે (૧) મ્રત્યુ નું માહત્મ્ય (૨) વેદાંત વિચાર (3) શ્રીમદ ભગવત ગીતા ભાવાર્થ (૪) ગીતા નવનીત અને (૫) કર્મનો સિદ્ધાંત.

            કર્મ નો સિદ્ધાંત : આપણા કર્મોની આપણા દૈનિક જીવન અને ભવિષ્ય ઉપર શું અસર થાય છે, અને કર્મો કેવી રીતે આપણા જન્મ-મરણ-પુનરજન્મ નું કારણ બને છે, અને તેનાથી બચવા આપણે શું કરવું જોઈએ તેની સાદી અને સરળ ભાષામાં સમજ આ પુસ્તિકામાં આપેલ છે. આ પુસ્તિકા નું હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ અને સિંધી ભાષામાં પણ રૂપાંતર થયેલ છે. અત્યાર સુધીમાં ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને આફ્રિકામાં ૨૦ લાખથી પણ વધુ આ પુસ્તિકાની પ્રતો વહેંચવામાં આવેલ છે.

          અમેરિકામાં એક અઠવાડિયા સુધી તેમણે કરેલ પ્રવર્ચનનું ઓડિયોવિડીયો રેકોર્ડીંગ ૨૦ કેસેટો દ્વારા ઉપલબ્ધ છે. 




No comments:

Post a Comment