Thursday, May 21, 2015

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ : 3

                                પૂજ્ય નારાયણમુની સ્વામી 


* 'લક્ષ્મણ રેખા' - શાસ્ત્રોએ આપેલી મર્યાદાને ક્યારે પણ ઓળંગવી નહિ. પાંડવો ભગવાનને 

અતિશય પ્રિય હતા, ભગવાનના ભક્ત હતા. પણ એ પાંડવો કહેતાકને યુધિષ્ટિર મહારાજ 

જુગાર રમ્યા તો અતિશય મુશ્કેલીમાં મુકાયા. યાદવો તો ભગવાનના કુળનાજ હતા, પણ 

તેમણે પ્રભાસમાં જઈને 'મેરઈ' દારૂ પીધો તો તેમનુ કુળ નાશ પામ્યું. 


* એક બીજાને સમઝવાની કોશીસ કરવી અને મોટું મન રાખવું. જો નિખાલસતા હોય, ભૂલનો

  સ્વીકાર કરવાની તૈયારી હોય તો શોકનું શ્લોકત્વમાં પરિવર્તન કરી શકાય છે.


* જ્યાં સુધી આપણી બાહ્ય દ્રષ્ટિ હશે, ત્યાં સુધી સુખ શાંતિ ક્યારે પણ અનુભવાતી નથી. 

  સુખ શાંતિ માટે આંતર દ્રષ્ટિ કેળવવી જરૂરી છે.  






No comments:

Post a Comment