Wednesday, May 13, 2015

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ : ૧૯ અને ૨૦ (સમાપ્ત)




  

કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૧૯ 

 






સારાંશ :-


* અંતહકરણમાં લાખો જન્મની વાસના અને કામનાઓ પડી છે, તેનો ક્ષય થવાને બદલે વધારો થતો રહે છે.
* અંતહકરણના પટ પર પડેલ વાસના/કામનાના લપેડા દુર કરવા સતત સત્સંગ કરવો પડે.
* વાસના/કામના પેદા થવાનું કારણ માયાના સત્વ, રજ અને તમો ગુણ છે.
* તમો ગુણનું લક્ષણ છે - પ્રમાદ,આળસ અને નિદ્રા. તેનું મારણ રજો ગુણ છે.
* રજો ગુણનું લક્ષણ છે - જરૂર કરતા વધારે ભેગું કરવું. તેનું મારણ છે, સત્વ ગુણ.
* સત્વગુણથી જીવમાં 'અહંકાર' આવે છે, તે પણ નુકશાન કારક અને પતનનું કારણ બને છે.
* સત્વગુણનું મારણ નથી, પણ તેની નિંદા કરવાથી અહંકાર ઓછો થાય છે.    
* સત્વ, રજો અને તમો ગુણથી પેદા થતી વાસનાઓ આત્માની અનુભૂતિ થવા દેતી નથી.  
* મળ, વિક્ષેપ અને આવરણ પણ આત્માના સ્વરૂપને દેખાવા દેતા નથી.




        કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૨૦   

સારાંસ :-                          


* હકીકતમાં તો હિબ્રુમાં લખાયેલ બાઈબલમાં પણ માંસહારની મનાઈ છે, પણ હિબ્ર્રુમાંથી 
  અંગ્રેજીમાં ભાષાંતર દરમ્યાન 'મીટ' શબ્દના ખોટા ઉપયોગથી અર્થ નો અનર્થ થયો છે. 
* માંસાહાર કરનાર વ્યક્તિને ગીતા અને ભાગવત સાંભળવાનો અધિકાર નથી.
* માનવ સૃષ્ટિની અંદર ૫ કોષો હોય છે, 
  - અન્નમય,પ્રાણમય,મનોમય,વિજ્ઞાનમય અને આનંદમય કોષ. 
* વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ અને આનંદમય કોષ એટલે અહંકાર.
* પંચકોષના અધ્યાસને કરીને માણસને આત્માનું સ્વરૂપ દેખાતું નથી.
* સ્ત્રી-પુરુષમાં ભેદ છે, એ ભાવ છે, ત્યાં સુધી ભોગ્ય ભાવ આવ્યા વિના રહે નહિ.
* પ્રાણમય કોષનો અધ્યાસ છૂટે તો જ હું ભૂખ્યો છું તરસ્યો છું એ મટી જાય.
* મનોમય કોષમાં સુખદુખની, વિજ્ઞાનમય કોષમાં હું જ્ઞાની/વિજ્ઞાની ની અને આનંદમય 
  કોષમાં અહંકારની લાગણી પેદા થાય છે.
* અંતહકરણ જેટલું શુદ્ધ એટલું તમારા આત્માની પ્રકાશ પડવાની શક્યતા વધારે.
* ઉપરના પાંચેય કોષમાંથી જયારે અધ્યાસ જાય ત્યારે અંતહકરણ શુદ્ધ થઈને આત્મદર્શન થાય. 
* જીવનની નદી સંયમના પાણીથી પૂરી ભરેલી હોય, એ પાણીમાં સત્યનું વહેણ ચારિત્રની ભેખડોથી 
  રક્ષાયેલ હોય, એમાં દયાની ઊર્મિઓ હોય, તેનાથી અંતહકરણ શુદ્ધિ થાય છે.  

                                         




*****- પ્રવર્ચન માલા સમાપ્ત - *****


 



No comments:

Post a Comment