Thursday, May 14, 2015

બોલ્યા શ્રી હરિ રે.........






     ભગવાન શ્રી સ્વામિનારાયણના પાંચસો પરમહંસોમાં, તેમની અતિ કૃપા પાત્ર એક એવા શ્રી પ્રેમાનંદ સ્વામીએ તેમના જીવનકાળ દરમ્યાન ૩૦૦થી વધારે ભક્તિ પદોની રચના કરી છે. તેમણે રચેલ "ઓરડા"  ના પદમાં તેમણે શ્રી હરિના તેજોમય સાકાર સ્વરૂપ અને રહેવાના ધામ વિષે નીચે મુજબ વર્ણન કરેલ છે :-

પદ - 3 
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન... ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત... ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ... ૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય... ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર... ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન... ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય... ૭
એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી... ૮
હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વા'લો વરસ્યા અમૃત મેહ... ૯








No comments:

Post a Comment